RCB vs CSK, IIPL 2025 : રોમાંચક મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ચેન્નાઈ સુપર કિંગ્સને 2 રનથી હરાવ્યું
આજ 03 મેના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

આજે 03 મેને શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
RCBએ CSKને 2 રનથી હરાવ્યું
રોમાંચક મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ચેન્નાઈ સુપર કિંગ્સને 2 રનથી હરાવ્યું
-
આયુષ-બ્રેવિસ આઉટ
લુંગી ન્ગીડીએ ચેન્નાઈને સતત બે બોલ પર બે ઝટકા આપ્યા છે. ૧૭મી ઓવરમાં આવેલા ન્ગીડીએ પહેલા આયુષ મ્હાત્રેની વિકેટ લીધી, જે સદી ચૂકી ગયો અને ૯૪ રન બનાવીને આઉટ થયો. પછીના બોલ પર, નવા બેટ્સમેન ડેવાલ્ડ બ્રેવિસ LBW આઉટ થયા.
-
-
જાડેજાની જોરદાર ફિફ્ટી
ચેન્નાઈ સુપર કિંગ્સનો સ્કોર 150 ને પાર, રવીન્દ્ર જાડેજાની જોરદાર ફિફ્ટી, શાનદાર સિક્સર ફટકારી ફિફ્ટી પૂરી કરી
-
આયુષ મ્હાત્રેની આક્રમક ફિફ્ટી
ચેન્નાઈ સુપર કિંગ્સનો સ્કોર 100 ને પાર, આયુષ મ્હાત્રેની આક્રમક ફિફ્ટી, આયુષ મ્હાત્રેએ રોમારિયો શેફર્ડની ઓવરમાં બે સિક્સર અને એક ફોર ફટકારી હતી. આયુષ મ્હાત્રે IPLમાં ફિફ્ટી ફટકારનાર ત્રીજો સૌથી યુવા બેટ્સમેન બન્યો હતો.
-
સેમ કરન 5 રન બનાવી આઉટ
ચેન્નાઈ સુપર કિંગ્સને બીજો ઝટકો, સેમ કરન માત્ર 5 રન બનાવી થયો આઉટ, લુંગી એનગીડીએ લીધી વિકેટ
-
-
CSKને પહેલો ઝટકો
ચેન્નાઈ સુપર કિંગ્સને પહેલો ઝટકો, શેખ રશીદ માત્ર 11 રન બનાવી થયો આઉટ, કૃણાલ પંડયાએ લીધી વિકેટ, આયુષ મ્હાત્રે અને શેખ રશીદ વચ્ચે 51 રનની પાર્ટનરશિપ તૂટી.
-
CSKને જીતવા 214 રનનો ટાર્ગેટ
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ચેન્નાઈ સુપર કિંગ્સને જીતવા 214 રનનો આપ્યો ટાર્ગેટ, અંતિમ ઓવરોમાં રોમારિયો શેફર્ડની આક્રમક બેટિંગના સહારે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે 200 થી વધુનો સ્કોર કર્યો, રોમારિયોએ જોરદાર સિક્સર અને ફોર ફટકારી મેચ જ પલટી નાખી, માત્ર 14 બોલમાં ફિફ્ટી ફટકારી હતી.
-
RCBની અડધી ટીમ પોવેલિયન ભેગી
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની અડધી ટીમ પોવેલિયન ભેગી, રજત પાટીદાર-જીતેશ શર્મા સસ્તામાં આઉટ
-
RCBને ત્રીજો ઝટકો
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને ત્રીજો ઝટકો, દેવદત્ત પડિકલ 17 રન બનાવી થયો આઉટ
-
કોહલી અર્ધ સદી ફટકારી આઉટ
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને બીજો ઝટકો, વિરાટ કોહલી અર્ધ સદી ફટકારી થયો આઉટ, સેમ કરને લીધી કોહલીની વિકેટ, ખલીલ અહેમદે કર્યો કેચ. RCBને મોટો ઝટકો
-
કોહલીની આક્રમક ફિફ્ટી
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનો સ્કોર 100 ને પાર, વિરાટ કોહલીની આક્રમક ફિફ્ટી, જાડેજાની ઓવરમાં બેક ટુ બેક બાઉન્ડ્રી ફટકારી ફિફ્ટી પૂરી કરી
-
RCBને પહેલો ઝટકો
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને પહેલો ઝટકો, જેકબ બેથેલ ફિફ્ટી ફટકારી થયો આઉટ, મથીશા પથિરાણાએ લીધી વિકેટ, CSK ને પહેલી સફળતા અપાવી, વિરાટ કોહલી-જેકબ બેથેલની મજબૂત પાર્ટનરશિપનો અંત.
-
જેકબ બેથેલની ફિફ્ટી
RCBએ ફિલ સોલ્ટની જગ્યાએ જેકબ બેથેલને ઓપનર તરીકે ટીમમાં સ્થાન આપ્યું અને આ ખેલાડીએ સિઝનની પોતાની પહેલી જ મેચમાં કમાલ પ્રદર્શન કરતાં આક્રમક ફિફ્ટી ફટકારી હતી.
-
RCB નો સ્કોર 50 ને પાર
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનો સ્કોર 50 ને પાર, વિરાટ કોહલી-જેકબ બેથેલની જોરદાર ફટકાબાજી
-
ચેન્નઈએ ટોસ જીત્યો
ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન એમએસ ધોનીએ ટોસ જીત્યો અને બોલિંગ પસંદ કરી, ફરી એકવાર પોતાના ઘરઆંગણે ટોસ હાર્યા બાદ બેંગલુરુને પહેલા બેટિંગ કરવી પડશે.
-
ખેડબ્રહ્મા-અંબાજી હાઇવે પર ત્રિપલ અકસ્માત, 6 લોકોના મોત
રાજ્યમાં વધતા જતાં અકસ્માતો વચ્ચે ખેડબ્રહ્મા-અંબાજી હાઇવે પર હિંગટીયા નજીક ત્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે. બસ-જીપ અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા એક બાળકી સહિત 6 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 8 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે મોતને ભેટેલા 4 મુસાફરો જીપમાં સવાર હતા. જ્યારે બાઈક પર સવાર 2 લોકોના મોત થયા છે. અકસ્માત એટલો ભયંકર હતો કે જીપનો કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માતની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. અકસ્માતમાં ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યારે મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી હાથ ધરાઇ હતી. અંબાજીથી વડોદરા જતી બસનો અકસ્માત થયો હતો
-
NEETની પરીક્ષામાં ચોરીની આશંકા મુદ્દે કોંગ્રેસનો પ્રહાર
- NEETની પરીક્ષામાં ચોરીની આશંકા મુદ્દે કોંગ્રેસનો પ્રહાર
- કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ સરકાર પર તાક્યું નિશાન
- ગેરરીતિમાં સામેલ લોકો સામે કાર્યવાહી થાયઃ કોંગ્રેસ
- “માર્કસ વધારવાના દાવા મામલે તટસ્થ તપાસ થાય”
- “ઓડીયો ક્લીપ સાથે સંકળાયેલા લોકોને જેલ હવાલે કરો”
- “NEET પરીક્ષાર્થીઓને પારદર્શકતાનો વિશ્વાસ અપાવવો જરૂરી”
- “ગુનાહીત કૃત્ય કરનારને ભાજપ સરકાર કેમ બચાવે છે?”
- “ક્યાં મંત્રી અને સંત્રી માટે ખેલ થયો તેની તપાસ કરો”
-
અમદાવાદ: કુખ્યાત ભૂમાફિયા લલ્લા બિહારીના 6 દિવસના રિમાન્ડ મંજૂર
અમદાવાદમાં ચંડોળામાં મેગા ડિમોલિશન દરમિયાન નાસી છૂટેલા કુખ્યાત ભૂમાફિયા લલ્લા બિહારીની ધરપકડ બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો અને કોર્ટ દ્વારા લલ્લા બિહારીના 6 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપી કેવી રીતે બોગસ દસ્તાવેજ બનાવતો અને આ કામમાં કોણ કોણ તેવી સાથે હતું તેની તપાસ કરવા ઉપરાંત આરોપી પિતા-પુત્રનું લલ્લા બિહારી અને ફતેહ મોહમ્મદની જોઈન્ટ ઇન્ટ્રોગેશન સહિતના કારણો દર્શાવી રિમાન્ડની માંગ કરવામાં આવી હતી. તેના પર સૂનાવણી હાથ ધરાતા કોર્ટે લલ્લા બિહારીના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ત્યારે તપાસમાં અને મોટા ખુલાસા થવાની શક્યતા છે.
-
જુનાગઢમાં ભાખરવડ અને વ્રજની ડેમ ખાલી થવાના આરે
માળીયા હાટીનામાં આવેલ ભાખરવડ અને વ્રજની ડેમમાં પાણીની સપાટી નોંધપાત્ર રીતે ઘટી ગઈ છે, જેને કારણે સ્થાનિક લોકોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. પાણીનો જથ્થો ઘટતા હવે આ વિસ્તારને પાણીની તીવ્ર અછતનો સામનો કરવો પડી શકે છે. ભાખરવડ ડેમમાં હાલ માત્ર 12 ટકા પાણી જ બચ્યું છે. આ ડેમ આસપાસના 4થી વધુ ગામોને પીવાનું પાણી પૂરું પાડે છે. જો વરસાદ વહેલો ન આવે તો ડેમ સંપૂર્ણ રીતે ખાલી થઈ શકે છે. તે જ રીતે, વ્રજની ડેમની સ્થિતિ પણ ચિંતાજનક બની છે. આ ડેમમાં હાલ માત્ર 5 ટકા પાણીનો જ સંગ્રહ રહ્યો છે, જ્યારે તે 7 ગામોને પાણી પૂરું પાડે છે. જળાશયો ખાલી થવાને આરે હોવાથી સ્થાનિક તંત્ર અને ગ્રામજનોમાં પાણીની ભવિષ્યની સ્થિતિને લઇને ચિંતાની લાગણી પ્રસરી છે.
-
અમદાવાદઃ ગળેફાંસો ખાઈને પરિણીતાનો આપઘાત
- અમદાવાદઃ ગળેફાંસો ખાઈને પરિણીતાનો આપઘાત
- અંતિમ પગલું ભરતા પહેલા પરિણીતાએ બનાવ્યો વીડિયો
- પતિ, નણંદ અને સાસુ, સસરા પર કર્યા ગંભીર આક્ષેપ
- સાસરિયા પક્ષના લોકો ત્રાસ આપતા હોવાનો આરોપ
- વારંવાર ઝઘડો કરી મેણાટોણા મારતા હોવાનો વીડિયોમાં ઉલ્લેખ
- પરિણીતાએ નણંદ પર કર્યા ગંભીર આક્ષેપ
- નણંદે કહ્યું પહેલા બાળક પેદા કરો પછી સંબંધ તોડોઃ પરિણીતા
- બાળક પેદા કરો, અમને આપો અને પછી લગ્ન તોડોઃ પરિણીતા
- સામસામે લગ્નમાં નણંદ પરિણીતાના ભાઈને હેરાન કરતી હોવાનો આરોપ
- પતિ, સાસુ, સસરા સહિત પાંચ વિરુદ્ધ ખાડીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
-
સિટી બસ અકસ્માતમાં કોઈ કાર્યવાહી ન થતા રમકડાની બસ આપી કોંગ્રેસે કર્યો વિરોધ
રાજકોટના ઈન્દિરા સર્કલ પાસે બેફામ સિટી બસે અકસ્માત સર્જયો હતો. જેમાં ચાર લોકો મોતને ભેટ્યા હતા. જે મામલે કડક કાર્યવાહીની માગ ઉઠી હતી. ત્યારે કોંગ્રેસે પણ કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહીની માગ સાથે રજૂઆત કરી હતી. પરંતુ અત્યાર સુધી કોઈ નક્કર કાર્યવાહી ન કરાઈ હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. સાથે જ કોંગ્રેસ નેતાઓએ મનપા કમિશનરને રમકડાની સિટી બસ આપીને વિરોધ દર્શાવ્યો હતો. કોંગ્રેસની ઉગ્ર રજૂઆતને લઈ વિજિલન્સની ટીમ અને કોંગ્રેસના અગ્રણીઓ વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સામે આવ્યા હતા. કોંગ્રેસે તાત્કાલિક ધોરણે નક્કર કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરી છે. સાથે જ કોંગ્રેસે ઈલેક્ટ્રિક સિટી બસ બંધ કરવાના નિર્ણય અંગે પણ વિરોધ દર્શાવ્યો હતો.
-
રાજકોટઃ NEETની પરીક્ષામાં વાલીઓએ ચોરીની આશંકા કરી વ્યક્ત
- રાજકોટઃ NEETની પરીક્ષામાં વાલીઓએ ચોરીની આશંકા કરી વ્યક્ત
- કેટલાક વાલીઓએ પૂર્વ DEOને કરી ફરિયાદ
- પૂર્વ DEOને કરેલી ફરિયાદમાં વચેટિયાઓ સક્રિય હોવાનો કર્યો દાવો
- વચેટિયાઓ 50 લાખ જેવી રકમ લઈને માર્કસનું સેટિંગ પાડતા હોવાનો દાવો
- 650થી વધુ માર્ક્સ આપવાની લાલચે રૂપિયા પડાવવાનો ધંધો
- અમદાવાદની એક હોટલમાં બોલાવી વાલીઓને અપાઈ છે લાલચ
- 4 માસ અગાઉ જ વિદ્યાર્થીઓનું આધારકાર્ડ અન્ય રાજ્યનું બનાવી દેવાઈ છે
- પૂર્વ જિલ્લા શિક્ષણ અધિકારીએ પણ આ બાબતે તપાસની કરી માગ
-
GTUએ ગુજરાતીમાં એન્જિનિયરિંગ શિક્ષણ બંધ કરવાનો નિર્ણય કર્યો
- ગુજરાતીમાં એન્જિનિયરિંગના શિક્ષણ અંગે GTUનો મોટો નિર્ણય
- GTUએ ગુજરાતીમાં એન્જિનિયરિંગ શિક્ષણ બંધ કરવાનો નિર્ણય લીધો
- 3 વર્ષમાં એક પણ વિદ્યાર્થી ન આવતા નિર્ણય લેવાયો
- ગુજરાતીમાં એન્જિનિયરિંગ બાદ નોકરી અને ઉચ્ચ અભ્યાસમાં થતી હતી સમસ્યા
- આગામી શૈક્ષણિક વર્ષથી પ્રવેશ જ ન આપવાની જાહેરાત
- મહેસાણાની જીપેરી કોલેજમાં ગુજરાતીમાં એન્જિનિયરિંગ કરાયું હતું શરૂ
- માતૃભાષામાં એન્જિનિયરિંગ કરાવવાના પ્રયત્નો બાદ આખરે લેવાયો નિર્ણય
- સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિક, કોમ્પ્યુટરના ગુજરાતી પુસ્તકો પણ હતા તૈયાર
- અંગ્રેજીમાં અભ્યાસ કરવું હોવાથી ગુજરાતી વિદ્યાર્થીઓને રસ ન દાખવ્યો
-
ભારતની પાકિસ્તાન પર વધુ એક ‘સ્ટ્રાઈક’
ભારત સરકારે પાકિસ્તાન સાથેના તમામ પ્રકારના વેપાર પર પ્રતિબંધ મુકી દીધો છે. એટલે કે ન તો હવે ભારતમાંથી કોઈ વસ્તુ પાકિસ્તાન જશે કે ન તો પાકિસ્તાનમાંથી કોઈ વસ્તુ ભારત આવશે. ડાયરેક્ટ ટ્રેડ તો પહેલાં જ બંધ કરી દેવાયો હતો. પણ, હવે ઈનડાયરેક્ટ ટ્રેડ એટલે કે. પરોક્ષ આયાત ઉપર પણ તાત્કાલિક અસરથી પ્રતિબંધ મુકાયો છે. જેનો અર્થ એ છે કે અન્ય કોઈ દેશ મારફતે પણ હવે પાકિસ્તાનની કોઈ જ વસ્તુ ભારત નહીં આવે. ભારતના વાણિજ્ય મંત્રાલય દ્વારા એ ઉત્પાદનોની યાદી તૈયાર કરાઈ રહી છે કે જેની હવે આયાત નહીં થાય.
-
જુનાગઢ: ચુનારવાડામાં મારામારી કરનારાઓની સાન ઠેકાણે
- જુનાગઢ: ચુનારવાડામાં મારામારી કરનારાઓની સાન ઠેકાણે
- પોલીસે આઠેય આરોપીને સાથે રાખીને ઘટનાનું કર્યું રિ-કન્સ્ટ્રક્શન
- પોલીસે આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈ હથિયારો પણ શોધી કાઢ્યા
- જાહેરમાં આરોપીઓએ હથિયારો લઈ ફરિયાદી સાથે કરી હતી મારામારી
- પોલીસે CCTVના આધારે આઠ આરોપીની કરી ધરપકડ
-
સુરતઃ ફાયર NOC ન ધરાવતી શાળાઓ સામે કાર્યવાહી
- સુરતઃ ફાયર NOC ન ધરાવતી શાળાઓ સામે કાર્યવાહી
- સુરતની 68 જેટલી શાળાઓને DEOએ નોટિસ ફટકારી
- સુરત શહેરની 23 શાળાઓને 10-10 હજારનો દંડ ફટકાર્યો
- સુરત ગ્રામ્યની 44 શાળાઓને 10-10 હજારનો દંડ
- આગામી સમયમાં સ્કૂલ માન્યતા રદ સુધીની કાર્યવાહી થશે
- ફાયર સેફ્ટીમાં જો બેદરકારી દાખવશે તો થશે કડક કાર્યવાહી
-
અમે કડક કાર્યવાહી કરીશું… પહેલગામ આતંકી હુમલાને લઈ પીએમ મોદીનો પાકિસ્તાનને કડક સંદેશ
અંગોલાના રાષ્ટ્રપતિ 4 દિવસની ભારત મુલાકાતે આવ્યા છે. આ દરમિયાન પીએમ મોદીએ દિલ્હીમાં અંગોલાના રાષ્ટ્રપતિ જોઆઓ લોરેન્કો સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી હતી. પહેલગામ હુમલાનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે, અમે સર્વસંમતિથી કહીએ છીએ કે આતંકવાદ માનવતા માટે સૌથી મોટો ખતરો છે. આ સાથે, પીએમએ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવા બદલ રાષ્ટ્રપતિ લોરેન્સો અને અંગોલાનો આભાર પણ વ્યક્ત કર્યો. પ્રધાનમંત્રીએ કહ્યું કે, આતંકવાદ માનવતા માટે સૌથી મોટો ખતરો છે. આતંકવાદને સમર્થન આપનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
-
પ્રેમસંબંધ રાખવાની ના પાડનાર યુવતી પર યુવકે કર્યા છરીના ઘા, શરીરના વિવિધ ભાગે લેવા પડ્યા 55 ટાંકા
દ્વારકાના ખંભાળિયામાં યુવતી પર છરી વડે ઘાતક હુમલો કરવામાં આવ્યો હતો. સંજયનગર વિસ્તારમાં યુવતીને બળજબરીથી પ્રેમ સંબંધ બાંધવા યુવકે જીવલેણ હુમલો કર્યો. યુવતીએ ના કહેતા વિશાલ પરીયા નામનો યુવક ગુસ્સે ભરાઈ યુવતી પર છરી વડે હુમલો કર્યો હતો. યુવતીને હાથ પગ અને છાતીના ભાગે છરીના ઘા ઝીંક્યા હતા. લોહીલોહાણ હાલતમાં યુવતીને ખંભાળિયા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઈ હતી. સારવાર દરમિયાન યુવતીને, શરીરના જૂદાજૂદા ભાગે 55 ટાંકા લેવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા ખંભાળિયા dysp સહિતના પોલીસ અધિકારીઓ હોસ્પિટલ પહોંચ્યા હતા. પોલીસે યુવતીના નિવેદનના આધારે તપાસ હાથ ધરી છે.
-
માવઠાની આગાહીને જોતા, ખેડૂતોને જરૂર પુરતો માલ ઢાંકીને વેચવા માટે લાવવા ગોંડલ માર્કેટયાર્ડની તાકીદ
માવઠાની આગાહીના પગલે ગોંડલ માર્કેટિંગ યાર્ડ સતર્ક થયું છે. માવઠાની આગાહી હોય લાલ ડુંગળી અને સફેદ ડુંગળીની આવક જરૂરિયાત મુજબ કરવા ખેડૂતોને સૂચના અપાઈ છે. યાર્ડમાં ખુલ્લા પડેલ જણસીઓને છાપરામાં મૂકવા વેપારીઓને સૂચના અપાઈ છે. ખેડૂતોએ પોતાનો માલ ઢાંકીને લાવવા અપીલ કરવામાં આવી છે.
-
સુરતમાં ફાયર NOC ના ધરાવતી શાળાને 10 હજારનો દંડ કરી નવા શૈક્ષણિક સત્ર પહેલા લઈ લેવા તાકીદ
સુરત જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ફાયર એનઓસી ના ધરાવતી શાળાઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. શહેરમાં ફાયર એનઓસીના ભંગ બદલ સ્કૂલો સામે કાર્યવાહી કરવામાં આવી છે. શહેરની 68 શાળાઓને 10-10 હજારનો દંડ ફટકાર્યો છે. તક્ષશિલા અગ્નિકાંડ અને રાજકોટની ઘટના બાદ પણ શાળાઓની બેદરકારી યથાવત રહેવા પામી છે. શહેરની 24 અને ગ્રામ્યની 44 શાળાઓએ ફાયર એનઓસી નિયમોનું પાલન ના કરતાં શિક્ષણ વિભાગે દંડ ફટકાર્યો છે. શિક્ષણ સત્ર શરૂ થાય તે પહેલા ફાયર NOC માટે સૂચન નહીં તો સ્કૂલ માન્યતા રદ સુધીની કાર્યવાહી થશે. વેકેશનમાં DEO દ્વારા કરવાહી કરી જેથી વિદ્યર્થિઓના અભ્યાસ પર અસર ના પડે.
-
GTU હવે નહીં ભણાવે ગુજરાતીમાં એન્જિનિયરિંગ, વિદ્યાર્થીઓ જ ના મળતા 3 વર્ષ પછી કરાશે બંધ
ગુજરાતીમાં એન્જિનિયરિંગ શિક્ષણ બંધ કરવાનો GTU દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. છેલ્લા ત્રણ વર્ષમાં એકપણ વિદ્યાર્થી ના મળતા, આગામી શૈક્ષણિક વર્ષથી પ્રવેશ જ ના આપવા નિર્ણય કરાયો છે. NEP હેઠળ વિદ્યાર્થીઓ માતૃભાષામાં એન્જિનિયરિંગ કરે એ માટે ગુજરાતીમાં પુસ્તકો પણ તૈયાર કર્યા હતા. મહેસાણામાં આવેલ જીપેરી કોલેજમાં ગુજરાતીમાં એન્જિનિયરિંગ શરૂ કરાયું હતું. માતૃભાષામાં એન્જિનિયરિંગ કરાવવાના ત્રણ વર્ષના પ્રયત્નો બાદ આખરે બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિક અને કોમ્પ્યુટર બ્રાન્ચના ગુજરાતી પુસ્તકો પણ તૈયાર કરાયા હતા. ગુજરાતી વિદ્યાર્થીઓને અંગ્રેજી ભાષામાં એન્જિનિયરિંગ કરવું હોવાથી ગુજરાતીમાં ભણવા માટે રસ ના દાખવ્યો. ગુજરાતીમાં એન્જિનિયરિંગ બાદ નોકરી અને ઉચ્ચ અભ્યાસમાં સમસ્યા થતી હોવાનું આવ્યું છે સામે.
-
જૂનાગઢમાં ખડક ચઢાણની તાલિમ લેતા વિદ્યાર્થીઓ પર મધમાખીનુ ઝુંડ તુટી પડ્યુ- 15 ને હોસ્પિટલમાં દાખલ કરાયા
જૂનાગઢમાં ભવનાથ તળેટી વિસ્તારના પાજનાકા પુલ પાસે પહાડ-ખડક ચઢાણની તાલિમ લેતા વિદ્યાર્થીઓ પર મધમાખીઓએ હુમલો કરીને ડંખ માર્યા છે. ગુજરાતભરથી વિદ્યાર્થી ભાઈ બહેનો, ખડક ચઢાણની તાલિમ જૂનાગઢ ખાતે લેતા હોય છે. આ તાલિમ દરમિયાન માધમાખીના ઝુંડે હુમલો કર્યો હતો. જેમાં મધમાખીઓના ડંખની વધુ અસર થવાને કારણે 15 વિધાર્થીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મધમાખીઓના ઝુંડે હુમલો કર્યા ત્યારે અંદાજે 50થી વધુ વિદ્યાર્થી સ્થળ ઉપર હોવાની વિગત સામે આવી છે.
-
રાજકોટમાંથી વધુ 6 બાંગ્લાદેશી ઝડપાયા
રાજકોટમાંથી વધુ 6 બાંગ્લાદેશીને પોલીસે પકડી પાડ્યા છે. અત્યાર સુધીમાં કુલ 21 જેટલા બાંગ્લાદેશીને પકડી પાડવામાં આવ્યા છે. તમામની પુછપરછ કર્યા બાદ ડિપોર્ટ કરવામાં આવશે. રાજકોટના ભગવતીપરા, મોરબી રોડ, રામનાથપરા, જંગલેશ્વર સહિતના વિસ્તારોમાં પોલીસની તપાસ હાથ ધરાઇ હતી. જેમાં આ બાંગ્લાદેશીઓ ઝડપાઈ જવા પામ્યા હતા.
-
સુરત-તાપીના પશુપાલકો માટે ખુશખબર, દૂધ ખરીદ કિંમતમાં કરાયો વધારો
રાજકોટ બાદ, સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે ખુશખબર આવ્યા છે. સુમુલ ડેરીના ચેરમેન માનસિંગ પટેલે, પશુપાલકો પાસેથી ખરીદાતા દૂધના ભાવમાં કિલોફેટે રૂપિયા 20નો વધારો કરવાની જાહેરાત કરી છે. ભેંસના દૂધના ભાવ કિલોફેટે 850 રૂપિયા હતા જે વધીને 870 રૂપિયા થયા છે. જ્યારે ગાયના દૂધનો ભાવ કિલોફેટે 810હતા જેના 830 કરવામાં આવ્યા છે. સુમુલ ડેરીના આ નિર્ણયને પગલે, સુરત અને તાપી જિલ્લાના અઢી લાખ પશુપાલકોને વાર્ષિક સિત્તેર કરોડનો ફાયદો થશે.
-
રાજકોટમાં 17 વર્ષની સગીરાને બેભાન કરી દુષ્કર્મ આચર્યા પોલીસ ફરિયાદ
રાજકોટમાં 17 વર્ષની સગીરાને, બેભાન કરી દુષ્કર્મ કરાયું હોવાના આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. કેફી પીણું પિવડાવી બેભાન કરી દુષ્કર્મ કર્યાની ફરિયાદ રાજકોટ પોલીસ સમક્ષ નોંધાઈ છે. યુવકે ગોંડલ ચોકડી નજીક સગીરા સાથે દુષ્કર્મ કર્યું હોવાનો આક્ષેપ કરાયો છે. સાવરકુંડલાની સગીરા સાથે રીબડાના યુવકે દુષ્કર્મ કર્યું છે. ભાનમાં આવ્યા બાદ ભોગ બનનારે બહેનને બોલાવી હતી. યુવક સાથે સપ્તાહ પહેલા જ થયો હતો પરીચય. અમિત ખૂંટ નામના શખ્સ સામે દુષ્કર્મનો આક્ષેપ કરાયો છે. પોલીસ દ્વારા સગીરાની મેડિકલ તપાસ સહિતની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.
-
ગુજરાતમાં ભૂકંપના આંચકા, બનાસકાંઠાના વાવમાં કેન્દ્રબિંદુ
આજે મધ્યરાત્રીએ ગુજરાતના બનાસકાંઠામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા, રિક્ટર સ્કેલ પર 3.4 નોંધાઈ હતી. આ માહિતી આપતાં ISR એ જણાવ્યું હતું કે ભૂકંપનું કેન્દ્ર બનાસકાંઠાના વાવમાં જમીનથી 4.9 કિલોમીટર નીચે હતું. આજે મધ્યરાત્રીના 3.35 કલાકે આ ભૂકંપનો આંચકો આવ્યો હતો. જેના કારણે નજીકના વિસ્તારોમાં ગભરાટ ફેલાયો હતો. જોકે ભૂકંપની તીવ્રતા ઘણી ઓછી હતી. જાનમાલને કોઈ નુકસાન થવા પામ્યુ નથી.
-
રાજકોટ સિટીબસ એક્સિડન્ટમાં વિશ્વમ એજન્સીના સુપરવાઈઝરની ધરપકડ
તાજેતરમા રાજકોટ સિગ્નલ પોઈન્ટ પર સિટી બસ દ્રારા સર્જાયેલ અકસ્માતમાં 4 લોકોના મોતના કેસમાં, પોલીસે એજન્સીના સુપરવાઈઝર નિલેશ ચાવડાની ધરપકડ કરી છે. રાજકોટમાં સિટીબસનો કોન્ટ્રાક્ટ વિશ્વમ નામની એજન્સીને સોપ્યો છે. પોલીસે, ગંભીર અકસ્માતના કેસમાં વિશ્વમના સુપરવાઇઝર નિલેશ ચાવડા સામે કાર્યવાહી કરી છે. 150 ફુટ રિંગરોડ પર આવેલા ડેપોની બસના ડ્રાઇવરના લાયસન્સ ચકાસણીની જવાબદારી નિલેશની છે. નિલેશે ડ્રાઇવરના લાયસન્સની ચકાસણી ના કરીને ગંભીર બેદરકારી દાખવી હતી.
-
રાજકોટ જિલ્લા સહકારી દૂઘ ઉત્પાદક સંઘે દૂઘના ખરીદભાવમાં કર્યો વધારો, કિલો ફેટે 810 ચૂકવાશે
રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘે દૂધના ભાવમાં વધારો કર્યો છે. દૂધના ખરીદ ભાવમાં કિલો ફેટે રૂપિયા 10 નો વધારો કરવામાં આવ્યો છે. ખેડૂતો અને માલધારીઓને કિલો ફેટે 800 રૂપિયા આપવામાં આવતા હતા, આજથી 810 રૂપિયા આપવામાં આવશે. ઉનાળામાં દર વર્ષે દૂધના ભાવમાં વધારો આપવામાં આવે છે. ઉનાળામાં દૂધ અને દૂધની બનાવટોની માંગમાં પણ વધારો થાય છે. રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના આ નિર્ણયથી રાજકોટ જિલ્લાના 50,000 પશુપાલકોને ફાયદો થશે.
-
ધારીમાંથી ઝડપાયેલ મૌલવી મોહમદ ફઝલ શેખના મોબાઈલમાંથી પાકિસ્તાન-અફધાનિસ્તાનના કનેકશન સામે આવશે
અમરેલીના ધારીના હીમખીમડીપરાના મૌલવી મોહમદ ફઝલ શેખના “પાકિસ્તાન” કનેક્શન મામલે સૌથી મોટા સમાચાર અમરેલી SOG ટીમે મૌલવીને ઉઠાવીને અમદાવાદ ATS ખાતે લઈ જવાયો છે. મૌલવી મોહમદ ફઝલ શેખના મોબાઈલમાં ટેક્નિકલ તપાસ બાદ સૌથી મોટો ઘટસ્ફોટ થવાની શક્યતા રહેલી છે. મૌલવીના મોબાઈલ માંથી “પાકિસ્તાન અફઘાનિસ્તાન” વોટ્સએપ ટેલિગ્રામ જેવા ગ્રુપમાં શંકાસ્પદ ભૂમિકા સામે આવી છે. બપોરે 11 વાગ્યા સુધીમાં મૌલાના એટીએસ કચેરી પહોચી જશે ત્યારબાદ, એટીએસ તેની પૂછપરછ કરશે. SOG બાદ હવે મૌલવીની તપાસ ગુજરાત ATS કરી શકે છે. મદ્રેશા ચાલવતા મૌલવીની સામે સ્થાનિક વિસ્તારમાં પણ ભારે નારાજગી હતી તેમ સૂત્રોએ જણાવ્યું હતું.
-
ગોવામાં ધાર્મિક કાર્યક્રમ દરમિયાન થઈ નાસભાગ, 6ના મોત, 30 ઘાયલ
ગોવાના શિરગાંવમાં યોજાયેલી શ્રી લરાઈ યાત્રા દરમિયાન એક ગંભીર ઘટના બની હતી. ધાર્મિક કાર્યક્રમ દરમિયાન થયેલ નાસભાગને કારણે 6 લોકોના મોત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. જ્યારે આ ગંભીર ઘટનામાં 30 થી વધુ ધાર્મિક ભક્તો ઘાયલ થયા હતા.
-
અમદાવાદના વટવામાં લાગેલી આગ 7.30 કલાકની જહેમતભરી કામગીરી બાદ કાબૂમાં આવી
અમદાવાદના વટવા જીઆઈડીસીમાં આવેલ કેમિકલ કંપનીમાં લાગેલી આગ, 7.30 કલાકની ભારે જહેમત બાદ કાબૂમાં આવી છે. વટવા જીઆઈડીસીમાં આવેલ જયશ્રી કેમિકલમાં આગ લાગી હતી. તપાસમાં સામે આવ્યું છે કે, જયશ્રી કેમિકલ કંપની પાસે ફાયર એનઓસી નહોતી. ફેક્ટરીમાં વીમો ના લીધો હોવાનું પણ સામે આવ્યું છે. બપોરના 2.30 કલાકે લાગેલી આગ રાત્રે 10 વાગ્યે કાબૂમાં લેવાઈ હતી. ફેક્ટરીમાં લાગેલી આગનું કારણ હજી જાણવા મળ્યું નથી. ફેક્ટરીમાં સોલવન્ટ અને ઇથાઇલ હોવાથી આગ લાગી અને ઝડપથી પ્રસરી હતી. 31 જેટલી ફાયરની ગાડીઓ અને જવાનો તેમજ અધિકારીઓ આગને કાબૂમાં લેવાની કામગીરીમાં જોડાયા હતા.
-
પાકિસ્તાને ફરી LoC પર કર્યો ગોળીબાર, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ
2 અને 3 મે મહિનાની રાત્રે, પાકિસ્તાની સેનાએ, જમ્મુ અને કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશના કુપવાડા, ઉરી અને અખનૂર સેક્ટરની સામે નિયંત્રણ રેખા પર નાના હથિયારોથી કોઈ જ પ્રકારની ઉશ્કેરણી વિના ગોળીબાર શરૂ કર્યો હતો. ભારતીય સેનાએ તાત્કાલિક અને યોગ્ય રીતે જવાબ આપ્યો છે.
Published On - May 03,2025 7:08 AM





