1 જાન્યુઆરીના મહત્વના સમાચાર : પરિક્ષા પે ચર્ચા 2024 માટે નોંધણી પ્રક્રિયા શરૂ, વિદ્યાર્થીઓ સાથે વાત કરશે PM
આજે 1 જાન્યુઆરીના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

પંજાબના જલંધરમાં એક જ પરિવારના પાંચ સભ્યોએ આત્મહત્યા કરી. રાજ્ય બહારના લોકો ઉત્તરાખંડમાં જમીન ખરીદી શકશે નહીં. સીએમ ધામીએ જિલ્લા મેજિસ્ટ્રેટને સૂચના આપી હતી. નેપાળમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. ભૂકંપનું કેન્દ્ર રાજધાની કાઠમંડુના સિંધુપાલચોકમાં લિસ્ટિકોટ હતું. ભૂકંપ રાત્રે 10.21 કલાકે આવ્યો હતો. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5 માપવામાં આવી છે.
આંધ્રપ્રદેશ સરકાર 2 જાન્યુઆરીથી જગન્ના આરોગ્ય સુરક્ષાનો બીજો તબક્કો શરૂ કરશે. VHP પ્રમુખ આલોક કુમારે કહ્યું કે આ સમગ્ર દેશનો કાર્યક્રમ છે અને અહીં દરેકનું સ્વાગત છે. સાધ્વી ઋતંભરાના ષષ્ઠી પૂર્તિ મહોત્સવમાં ભાગ લેવા માટે બાબા રામદેવ વૃંદાવન પહોંચ્યા છે. ઉત્સવમાં ભાગ લીધા બાદ બાબા રામદેવ મંચ પર પહોંચ્યા અને ભજન સંધ્યાના ગીતો પણ ગાયા. દેશ અને દુનિયા સાથે જોડાયેલા દરેક મોટા સમાચારની અપડેટ અહીં વાંચો
LIVE NEWS & UPDATES
-
પરિક્ષા પે ચર્ચા 2024 માટે નોંધણી પ્રક્રિયા શરૂ
pm દ્વારા વિદ્યાર્થીઑ સાથે સંપર્કમાં આવવા માટે સૌ પ્રથમ વાર 2018માં પહેલીવાર પરિક્ષા પે ચર્ચા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને અત્યાર સુધીમાં આવા 6 કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. પરિક્ષા પે ચર્ચા 2024 માટે નોંધણી પ્રક્રિયા ઓનલાઈન મોડમાં શરૂ થઈ ગઈ છે. જે વિદ્યાર્થીઓ અથવા માતા-પિતા પીએમ મોદી સાથે વાત કરવા માગે છે તેઓ સત્તાવાર વેબસાઇટ innovateindia.mygov.in પર જઈને અરજી કરી શકે છે.
-
ભારતીય શેર બજાર પર મોટું સંકટ
ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ 12 માર્ચ પહેલા ભારતીય સ્ટોક ડમ્પ કરવા અને યુએસ સ્ટોક ખરીદવાની અપીલ કરી છે. તેણે કેટલીક બેંકો અને કોર્પોરેટ્સની પણ ઓળખ કરી છે.
-
-
બોરવેલમાં ફસાયેલી બાળકી આખરે જિંદગીનો જંગ હારી
દ્વારકાના રાણ ગામે બોરવેલમાં ફસાયેલી બાળકીને આખરે સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવી હતી. આર્મી, NDRF અને ફાયરની ટિમની કલાકોની જહેમત બાદ બાળકીને બહાર કાઢવામાં આવી હતી, પરંતુ જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડાતા તબીબે બાળકીને મૃત જાહેર કરી હતી.
-
બોરવેલમાં ફસાયેલી બાળકીને બહાર કઢાઈ
આર્મી, NDRF અને ફાયરની ટિમની 8 કલાકની જહેમત બાદ બાળકીને બહાર કાઢવામાં આવી છે. આ ઉપરાંત 108 અને ફાયર સહિત ખાનગી સોર્સનો ઉપયોગ કરી બોરવેલમાં કેમેરો ઈન્સ્ટોલ કરવામાં આવ્યો અને ઓક્સિજન આપવા માટે લાઇન મુકવામાં આવી હતી. આખરે આ તમામની મદદથી બાળકીને બોરવેલમાંથી કાઢવામાં સફળતા મળી છે.
-
મહેસાણામાં ટ્રક ડ્રાઇવરોએ ચક્કાજામ કર્યો, રસ્તા પર ટાયર સળગાવી નવા કાયદાનો કર્યો વિરોધ
મહેસાણા જિલ્લાના ખેરાલુમાં વાહન ચાલકોએ ચક્કાજામ કર્યો હતો. ખેરાલુ પાસે આવેલ વૃંદાવન ચોકડી પાસે ડ્રાઇવરોએ ચક્કાજામ કરવા માટે રોડ પર ઉતરી આવીને નવા કાયદાનો વિરોધ કર્યો હતો. નવા કાયદા મુજબ અકસ્માતની ઘટનાઓમાં ડ્રાઇવરોની સજામાં નવી જોગવાઈઓ કરી છે. જેને લઈ હવે ડ્રાઇવરોએ વિરોધ દર્શાવ્યો છે. જુઓ વીડિયો
-
-
ગુજરાતમાં દારુબંધી છતાં 1 વર્ષમાં 19 કરોડથી વધુનો દારૂ ઝડપાયો
આમ તો ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છે પરંતુ કહેવાય છે કે કદાચ અન્ય રાજ્યો કરતા ગુજરાતમાં ચોરી છુપીથી સૌથી વધુ દારૂ પીવાતો હશે. બીજી તરફ બહારના રાજ્યોમાંથી જે દારૂનો જથ્થો ગુજરાતમાં આવી રહ્યો છે તેને રોકવા પોલીસ પણ તેટલી જ સતર્ક છે. આ તમામ વાતો વચ્ચે વર્ષ 2023 માં પોલીસ દ્વારા જે દારૂ અને જુગારને રોકવાની કામગીરી કરવામાં આવી તેના આંકડા ખુબ ચોકાવનારા આવ્યા છે. વધુ વિગતો વાંચો
-
હિમાચલમાં દુર્ઘટના બાદ પર્યટન ફરી જીવંત થયુંઃ સીએમ સુક્ખુ
હિમાચલના સીએમ સુખવિંદર સુખુએ કહ્યું છે કે આપત્તિ બાદ હિમાચલમાં પર્યટન પુનઃજીવિત થયું છે. મને ખુશી છે કે ગઈ કાલે ઈતિહાસમાં પહેલીવાર શિમલામાં વિન્ટર કાર્નિવલની શરૂઆત કરવામાં આવી હતી જે 4 જાન્યુઆરી સુધી ચાલુ રહેશે અને આવતીકાલે મનાલીના વિન્ટર કાર્નિવલની શરૂઆત છે, અમે પ્રવાસીઓને અતિથિ દેવ ભવ માનીએ છીએ, આ આપણી સંસ્કૃતિ છે.
-
અયોધ્યા પર નિર્ણય લેતી વખતે સંઘર્ષના લાંબા ઈતિહાસને ધ્યાનમાં રાખવામાં આવ્યોઃ CJI
દેશના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે કહ્યું છે કે, અયોધ્યા કેસમાં ન્યાયાધીશોએ સર્વસંમતિથી નિર્ણય લીધો હતો કે ચુકાદો કોણે લખ્યો છે તેનો કોઈ ઉલ્લેખ કરવામાં આવશે નહીં. ખંડપીઠના શિકારના મુદ્દા પર સીજેઆઈએ કહ્યું કે, મારા મગજમાં તે સ્પષ્ટ છે કે સુપ્રીમ કોર્ટની વિશ્વસનીયતા જાળવી રાખવામાં આવી છે.
-
એવું ન થવું જોઈએ કે આપણી મસ્જિદો છીનવાઈ જાય : ઓવૈસી
હૈદરાબાદના સાંસદ અને AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ એક સભાને સંબોધતા કહ્યું, યુવાનો, તમને જે સમર્થન અને તાકાત મળી છે તેને જાળવી રાખો અને મસ્જિદોને આબાદ રાખો. એવું ન થાય કે આપણી મસ્જિદો છીનવાઈ જાય.
-
બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ આવતીકાલે એક મોટી બેઠક બોલાવી
બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ મંગળવારે તમામ પ્રદેશ અધ્યક્ષો અને પાર્ટીના અન્ય વરિષ્ઠ નેતાઓની બેઠક બોલાવી છે. આ બેઠકમાં લોકસભા ચૂંટણી અને તે પહેલા સંઘ દ્વારા રામ મંદિરને લઈને ચાલી રહેલી ગતિવિધિઓને લઈને રણનીતિ બનાવવામાં આવશે.
-
દ્વારકા અપડેટ : બાળકીને બચાવવા માટે આર્મીની ટિમ પહોંચી
- બાળકીને બચાવવા માટે આર્મીની ટિમ પહોંચી
- આર્મીની એક બટાલિયન રાણ ગામે પહોંચી ગઈ છે
- બાળકીને બચાવવા માટે બોરવેલમાં અંદર કેમેરો ઇન્સ્ટોલ કરવામાં આવ્યો છે
- જેમાંથી બાળકીનો વીડિયો સામે આવ્યો છે
-
ACV 184 અને 185 જહાજની બે દાયકાની સેવા બાદ વિદાય, ભારતીય કોસ્ટ ગાર્ડની સલામ
ગુજરતમાં જખાઉ ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બે વિશિષ્ટ ACVs (હોવરક્રાફ્ટ) ને વિદાય આપવામાં આવી હતી. આ માટે એક યુગનો અંત થયો તેમ કહેવાય તો ખોટું નથી. મહત્વનું છે કે કોસ્ટ ગાર્ડની હોવરક્રાફ્ટ ટેક્નોલોજી પ્રત્યેની પ્રતિબદ્ધતા અટલ છે. જુઓ ફોટો
-
ગેંગસ્ટર ગોલ્ડી બરારને આતંકવાદી જાહેર કરવામાં આવ્યો
ભારત સરકારે પંજાબના ગેંગસ્ટર ગોલ્ડી બરારને આતંકવાદી જાહેર કર્યો છે. સરકારે UAPA હેઠળ બરારને આતંકવાદી જાહેર કર્યા છે.
Ministry of Home Affairs has declared gangster Satwinder Singh alias Satinderjit Singh alias Goldy Brar as a terrorist under the Unlawful Activities (Prevention) Act, 1967.#TV9News pic.twitter.com/PjIJXq83bL
— Tv9 Gujarati (@tv9gujarati) January 1, 2024
(Credit Source : @tv9gujarati)
-
આમ આદમી પાર્ટી 4 થી 10 જાન્યુઆરી વચ્ચે દિલ્હીના લોકો સાથે કરશે જાહેર સંવાદ
જો ઇડીના નોટિસ બાદ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવે તો તેમણે રાજીનામું આપવું જોઈએ કે જેલમાંથી સરકાર ચલાવવી જોઈએ? જાણવા માટે, આમ આદમી પાર્ટી 4 થી 10 જાન્યુઆરી વચ્ચે દિલ્હીમાં જાહેર સંવાદ કરશે.
-
22 જાન્યુઆરી પછી અયોધ્યા જાવ, ત્રેતાયુગ યાદ આવશેઃ સીએમ યોગી
મથુરામાં ત્રણ દિવસીય ષષ્ઠીપૂર્તિ મહોત્સવને સંબોધતા ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે કહ્યું કે અગાઉ અયોધ્યાની રચનામાં રસ્તાઓ હતા, એક જ રેલ લાઇન હતી અને તેના પર ક્યારેક-ક્યારેક ટ્રેનો દોડતી હતી. આજે પણ અયોધ્યાની અંદર તમને 4 અને 6 લેન રોડ જોવા મળશે. 22મી જાન્યુઆરી પછી અયોધ્યા જાવ, ત્રેતાયુગ યાદ આવશે.
-
નર્મદા : સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં પટાંગણમાં વહેલી સવારે ગુંજયા ભગવાન સુર્ય નારાયણના સપ્તનામ
નર્મદા : વૈશ્વિક પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની વિશ્વની સૌથી વિરાટકાય પ્રતિમાના સાનિધ્યમાં નાંદોદ ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખની ઉપસ્થિતમાં સામુહિક ‘સૂર્ય નમસ્કાર’ કાર્યક્રમ યોજાયો હતો. વીડિયો જુઓ
-
Ayodhya : મંદિર માટે રામલલ્લાની પ્રતિમાની થઇ પસંદગી, મૈસૂરના કારીગરે બનાવી છે પ્રતિમા
22 જાન્યુઆરી, 2024ના રોજ અયોધ્યાના રામ મંદિરમાં રામલલ્લાનો પ્રાણપ્રતિષ્ઠા ઉત્સવ થવાનો છે. હવે મંદિરમાં રામલલ્લાની કઈ મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે તે નક્કી થઈ ગયું છે.
-
પીએમ મોદીએ 10 વર્ષના શાસન પર જનતા પાસેથી ફીડબેક માંગ્યા
પીએમ મોદીએ પોતાના 10 વર્ષના શાસન પર દેશની જનતા પાસેથી ફીડબેક માંગ્યો છે.પીએમે છેલ્લા 10 વર્ષમાં વિવિધ ક્ષેત્રોમાં થયેલી પ્રગતિ અંગે લોકોનો અભિપ્રાય માંગ્યો છે. પીએમએ કહ્યું કે, નમો એપ પર જન મન સર્વે દ્વારા તમારો પ્રતિસાદ સીધો મને મોકલો.
-
દેવભૂમિ દ્વારકાના રાણ ગામમા બાળકી બોરમા ફસાઈ
- અઢી વર્ષની બાળકી ફળીયામાં રમતા રમતા અંદર પડી
- દ્રારકાની ફાયર ટીમ દ્વારા રેસ્કયુ કરાશે
- એંજલ મુલ્લા સાખરા નામની બાળકી બોરમા ફસાતા રેસ્કયુ ઓપરેશન હાથ ધરાયુ
-
જાપાનના પશ્ચિમ કિનારે 7.2ની તીવ્રતાનો આવ્યો ભૂકંપ
નેશનલ સિસ્મોલોજીકલ સેન્ટરે અહેવાલ આપ્યો છે કે જાપાનના પશ્ચિમ કિનારે રિક્ટર સ્કેલ પર 7.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે.
Earthquake of Magnitude 7.2 on the Richter Scale strikes near West Coast of Japan: National Center for Seismology#Japan #Earthquake #TV9News pic.twitter.com/vCQ6EeZAR4
— Tv9 Gujarati (@tv9gujarati) January 1, 2024
-
રામલલ્લાની મૂર્તિઓમાં અરુણ યોગી રાજની પ્રતિમાની કરાઈ પસંદગી – સૂત્રો
- મૈસુરના કારીગર દ્વારા શિલ્પની પસંદગી – સૂત્રો
- અરુણ યોગી રાજની પ્રતિમાની પસંદગી કરવામાં આવી છે – સૂત્રો
- રામલલ્લાની મૂર્તિઓ ત્રણ કારીગરો દ્વારા બનાવવામાં આવી હતી – સૂત્રો
- આ ત્રણેય મૂર્તિઓ રામલલ્લાના મંદિરમાં પણ સ્થાપિત કરવામાં આવશે – સૂત્રો
-
ગાઝિયાબાદમાં પબ્લિક ટ્રાન્સપોર્ટની હડતાલ, મુસાફરો પરેશાન
ગાઝિયાબાદમાં પબ્લિક ટ્રાન્સપોર્ટરોની હડતાલ બાદ સામાન્ય જનતાને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણા બસ ડ્રાઇવરો અને ઓટો ડ્રાઇવરો હડતાલ પર ઉતરી ગયા છે, જેના કારણે જનતા પરેશાન છે. કેટલાકને તેમના ઘરે જવું હોય છે અને કેટલાકને તેમની ઓફિસે જવું હોય છે, પરંતુ જાહેર પરિવહન સેવાઓ સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે.
-
ઝારખંડના જમશેદપુરમાં મોટો રોડ અકસ્માત, 6 લોકોના મોત
ઝારખંડના જમશેદપુરમાં એક માર્ગ અકસ્માતમાં છ લોકોના મોત થયા છે. કાર કાબૂ બહાર જઈ ડિવાઈડર સાથે અથડાઈ હતી. અકસ્માત સમયે કારમાં આદિત્યપુરના કુલ 8 લોકો મુસાફરી કરી રહ્યા હતા. પાંચનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે એકનું સારવાર દરમિયાન મોત થયું હતું. બે બચેલા લોકો ગંભીર રીતે ઘાયલ છે. વધુ તપાસ ચાલુ છે.
-
સુરત BRTS અને સીટી બસ ચાલકોની હડતાળ
- શહેરમાં 3 દિવસની હડતાળ
- સરકારે ડ્રાયવરો વિરુદ્ધ બનાવવમાં આવેલ કાયદાના વિરુદ્ધમાં હડતાળ
- સરકારે કાયદો બનાવ્યો છે કે અકસ્માતમાં મોત થશે તો 10 વર્ષની સજા અને 7 લાખનો દંડ થશે તેનો વિરોધ કરવામાં આવ્યો.
-
ISROએ PSLV-C58 XPoSat મિશન સફળતાપૂર્વક કર્યું લોન્ચ
ISRO એ શ્રીહરિકોટાથી એક્સ-રે પોલેરીમીટર સેટેલાઇટ (XPoSat) સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે.
-
સરકારી નોકરી આપવાનું કૌંભાડ ઝડપાયું
- ગીર સોમનાથમાં ડુપ્લીકેટ કોલ લેટર આપી સરકારી નોકરી આપવાનું કૌંભાડ ઝડપાયું
- ત્રણ શખ્સોની ગીર સોમનાથ પોલીસે ધરપકડ કરી
- જૂનાગઢમાંથી પકડાયેલા બોગસ નોકરી આપવાના કૌંભાડનું પગેરૂ ગીર સોમનાથ નીકળ્યું
- કોડિનાર અને કડીમાંથી છેતરપિંડી આચરનારને પોલીસે પકડી પાડ્યા
- મુખ્યમંત્રી સહિત મંત્રીઓની સહીં કરીને બોગસ કોલ લેટર આપીને કૌંભાડ આચરતા હતા
-
ધુમ્મસ અને ખરાબ હવામાનને કારણે દિલ્હીમાં 21 ટ્રેનો મોડી પડી – રેલવે
રેલવેએ માહિતી આપી છે કે ધુમ્મસના કારણે દિલ્હીમાં 21 ટ્રેનો મોડી ચાલી રહી છે.
21 trains running late in Delhi area due to fog: Indian Railways pic.twitter.com/EchaLOuZPd
— ANI (@ANI) January 1, 2024
-
ભાજપ રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા ઘરે-ઘરે જઈને આપશે આમંત્રણ
દિલ્હી ભાજપ રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા આજથી 15 જાન્યુઆરી સુધી અભિયાન ચલાવશે, ઘરે-ઘરે જઈને આમંત્રણ આપવામાં આવશે.
-
નવા વર્ષની શરુઆતમાં જ ઠંડીમાં વધારો થાય તેવી સંભાવના
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે સોમવારે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહે તેવી સંભાવના છે. તો અમદાવાદ, અરવલ્લી, ગાંધીનગર, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 16 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. તો અમરેલી, ભરુચ, બોટાદ, દેવભૂમિ દ્વારકા, જામનગર,જુનાગઢ, નર્મદા સહિતના જિલ્લાઓમાં 18 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.
તેમજ આણંદ, દાહોદ, ખેડા, મહીસાગર, મોરબી, પંચમહાલ, રાજકોટ, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 17 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. તો વડોદરા, વલસાડ સહિતના જિલ્લાઓમાં 21 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ,આણંદ, ભાવનગર, દેવભૂમિ દ્વારકા,ખેડા, પંચમહાલ, વડોદરા સહિતના જિલ્લાઓમાં 30 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો ગીર સોમનાથ, મોરબી, નર્મદા, પોરબંદર, સુરત, સુરેન્દ્રનગર, વલસાડ સહિતના જિલ્લાઓમાં 31 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો અરવલ્લી, દાહોદ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા,પાટણ સહિતના જિલ્લાઓમાં 29 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.
-
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા વર્ષની પાઠવી શુભેચ્છા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા વર્ષની શુભકામનાઓ પાઠવી છે.
Prime Minister Narendra Modi extends New Year greetings pic.twitter.com/9zWxmZxx6c
— ANI (@ANI) January 1, 2024
-
રાજ્ય બહારના લોકો ઉત્તરાખંડમાં જમીન ખરીદી શકશે નહીં
દેહરાદૂન: ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામીના નિર્દેશો પર, નિર્ણય લેવામાં આવ્યો છે કે જ્યાં સુધી જમીન કાયદા સમિતિનો રિપોર્ટ સબમિટ ન થાય અથવા આગળના આદેશો ન આવે ત્યાં સુધી, જિલ્લા મેજિસ્ટ્રેટ ઉત્તરાખંડ રાજ્યની બહારની વ્યક્તિઓને પરવાનગીની દરખાસ્તોને મંજૂરી આપશે નહીં. ખેતી અને બાગાયતના હેતુ માટે જમીન ખરીદવી. સીએમ ધામીએ તેમના નિવાસસ્થાને જમીન કાયદા અંગેની ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી ત્યારે અધિકારીઓને નિર્દેશ આપ્યો હતો કે જમીન કાયદા માટે રચાયેલી સમિતિ દ્વારા મોટા પાયે જાહેર સુનાવણી હાથ ધરવામાં આવે અને લોકો વિવિધ ક્ષેત્રો અને નિષ્ણાતોના અભિપ્રાય લેવા જોઈએ. સરકારી સ્ત્રોતો
Dehradun: On the instructions of Uttarakhand CM Pushkar Singh Dhami, it has been decided that till the submission of the report of the Land Law Committee or till further orders, the District Magistrate will not allow the proposal of permission to persons outside the state of…
— ANI (@ANI) January 1, 2024
-
ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં નવા વર્ષ 2024 ની પ્રથમ ભસ્મ આરતી
મધ્યપ્રદેશ: ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં નવા વર્ષ 2024ની પ્રથમ ભસ્મ આરતી.
#WATCH | Madhya Pradesh: First Bhasma Aarti of the New Year 2024 at Mahakaleshwar Temple in Ujjain pic.twitter.com/28CJHVp0IM
— ANI (@ANI) December 31, 2023
Published On - Jan 01,2024 6:38 AM