બરડા ડુંગર સર્કિટમાં બનશે જંગલ સફારી, જાબુંવનની ગુફા અને મોકરસાગર જળાશયનો થશે વિકાસ, ગૃહમાં પ્રવાસન મંત્રીએ આપી માહિતી
ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યુ છે, જેમાં પ્રશ્નોત્તરી દરમિયાન પ્રવાસન સ્થળોના વિકાસ અંગે સવાલ કરવામાં આવ્યો હતો.જેના જવાબમાં પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરાએ ગુજરાતમાં યાત્રાધામો સાથે પ્રવાસન સ્થળોનો પણ વિકાસ કરવા અંગેની માહિતી આપી હતી.
ગુજરાત ભારતનું છઠ્ઠું સૌથી મોટું રાજ્ય છે, જે ભારતના પશ્ચિમ ભાગમાં 1600 કિલોમીટર લાંબો દરિયાકિનારો ધરાવે છે. તે દેશમાં નવમું સૌથી લોકપ્રિય પ્રવાસી સ્થળ છે. 2018માં ગુજરાતની 5.44 કરોડ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી.હવે ગુજરાતમાં આ પ્રવાસન સ્થળો અને યાત્રાધામોનો સરકાર વધુ વિકાસ કરવાની છે.
ગુજરાતમાં પ્રવાસન સ્થળોનો પણ થશે વિકાસ
ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યુ છે, જેમાં પ્રશ્નોત્તરી દરમિયાન પ્રવાસન સ્થળોના વિકાસ અંગે સવાલ કરવામાં આવ્યો હતો.જેના જવાબમાં પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરાએ ગુજરાતમાં યાત્રાધામો સાથે પ્રવાસન સ્થળોનો પણ વિકાસ કરવા અંગેની માહિતી આપી હતી.
યાત્રાધામમો વચ્ચે વિકસશે પ્રવાસન સ્થળો
વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરાએ જણાવ્યું હતું કે, સોમનાથથી દ્વારકા વચ્ચે પોરબંદર અને જામનગર જિલ્લાના વિવિધ સ્થળોને પ્રવાસન અને યાત્રાધામ સ્થળ તરીકે વિકસાવવાનું રાજ્ય સરકારનું આયોજન છે.
તેમણે ઉમેર્યું કે, બરડો ડુંગર સર્કિટમાં પોરબંદર જિલ્લાની જાબુંવનની ગુફા, મોકરસાગર જળાશય તેમજ જામનગર જિલ્લાના ફૂલનાથ મહાદેવને યાત્રાધામ અને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવશે. આ માટે ટેન્ડર પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત જામનગરના સિદસર તાલુકામાં સ્થિત ઉમિયા માતાજીના મંદિરનો પણ યાત્રાધામ તરીકે વિકાસ થઇ રહ્યો છે.
મંત્રી મુળુભાઇ બેરાએ કહ્યું કે, ભવિષ્યમાં બરડા ડુંગર સર્કિટમાં વન્ય પ્રાણીઓને નિહાળી શકાય તે માટે ઓપન જંગલ સફારી તેમજ મૂળ દ્વારકાને પણ યાત્રાધામ સ્થળ તરીકે વિકસાવવા અંગેનું આયોજન કરવામાં આવશે.