ગુજરાતમાં કોરોનાનો ફરી ફૂંફાડો, 24 કલાકમાં 1,276 કેસ, 3ના મોત

ગુજરાતમાં સતત વધી રહેલા Corona કેસને લઈને રાજ્ય સરકારની ચિંતા વધી છે. જેમાં કોરોના એપીસેન્ટર બનેલા સુરત અને અમદાવાદમાં વહીવટીતંત્ર આખરે એક્શન આવ્યું છે.

Chandrakant Kanoja
| Edited By: | Updated on: Mar 18, 2021 | 9:58 PM

ગુજરાતમાં સતત વધી રહેલા Corona કેસને લઈને રાજ્ય સરકારની ચિંતા વધી છે. જેમાં કોરોના એપીસેન્ટર બનેલા સુરત અને અમદાવાદમાં વહીવટીતંત્ર આખરે એક્શન આવ્યું છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં રાજયમાં કોરોનાના 1,276 પોઝિટિવ કેસ નોંધાયા છે, તેમજ કોરોનાના લીધે ત્રણ દર્દીઓના મોત થયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 899 દર્દીઓ સાજા થયા છે. જ્યારે અત્યાર સુધી કોરોનાથી દર્દીઓનો મૃત્યુઆંક 4,433 નોંધાયો છે.

 

ગુજરાતમાં હાલ કોરોનાના કેસની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1,276 કેસ સામે આવ્યા છે. જેમાં સૌથી વધારે કેસ સુરત 395 નોંધાયા છે. અમદાવાદમાં 304, વડોદરા 129 , રાજકોટમાં 113, જામનગરમાં 48, ભાવનગરમાં 32, ગાંધીનગરમાં 24, જૂનાગઠમાં 4, ખેડામાં 25, મહીસાગરમાં 13, સુરેન્દ્રનગરમાં 5, પોરબંદરમાં 1, પંચમહાલમાં 25, મહેસાણામાં 18, આણંદમાં 15, નવસારીમાં 3, અરવલ્લીમાં 2, ડાંગ 2, દ્વારકા 2 અને બોટાદમાં 1 કેસ નોંધાયા છે. ગુજરાતમાં કોરોના એક્ટિવ કેસની સંખ્યા 5,310 છે અને વેન્ટિલેટર 61 લોકો વેન્ટિલેટર પર છે.

 

સુરતમાં કોરોના ગાઈડલાઇનના નેતાઓએ ધજાગરા ઉડાવ્યા 

ગુજરાતમાં Coronaનું વિકરાળ સ્વરૂપ સામે આવ્યું છે. જેમાં સુરત કોરોના વાઈરસનું એપીસેન્ટર બની ચૂક્યું છે. તેવા સમયે લોકોને Corona ગાઈડલાઈનના પાલનની સુફિયાણી સલાહ આપનારા નેતાઓ જ કોરોનાના નિયમોના ધજાગરા ઉડાવતા નજરે પડ્યા હતા. જેમાં સુરત મહાનગરપાલિકાની આજે મળેલી સામાન્ય સભામાં લોકોને સલાહ આપતા કાઉન્સિલરો Corona ગાઈડલાઈનનો ભંગ કરતા નજરે પડ્યા હતા. જેમાં સભાખંડમાં કોર્પોરેટરોના ટોળેટોળે જોવા મળ્યા હતા. તેવા સમયે લોકોને સલાહ આપનારા આ નેતાઓ કોરોનાના નિયમો ક્યારે પાળશે તે વાત લોકમુખે ચર્ચાઈ રહી છે.

 

અમદાવાદમાં રાત્રિ કર્ફ્યૂના સમયગાળામાં વધારો, શનિ -રવિ મોલ  સિનેમા બંધ

ગુજરાતમાં સતત વધી રહેલા Corona  કેસને લઈને રાજ્ય સરકારની ચિંતા વધી છે. જેમાં કોરોના એપીસેન્ટર બનેલા સુરત અને અમદાવાદમાં વહીવટીતંત્ર આખરે એક્શન આવ્યું છે. જેમાં ગુરુવારે સાંજે અમદાવાદવાસીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ શહેરમાં કર્ફ્યૂની મુદ્દત હવે રાત્રે 9થી સવારના 6 વાગ્યા સુધી કરી દેવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદમાં મોલ અને સિનેમાગૃહ શનિ અને રવિવારના રોજ બંધ રાખવામાં આવશે.

 

અમદાવાદ શહેરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ Coronaના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. તેમજ હાલ અમદાવાદ શહેરમાં દરરોજ કોરોનાના 200થી વધારે કેસ સામે આવી રહ્યા છે. તેમજ કોરોના ટેસ્ટિંગ વધતાં તેની સંખ્યા હજુ પણ વધે તેવી શક્યતા છે. જેના પલગે અમદાવાદ મહાનગરપાલિકામાં કોરોના નિયંત્રણનો હવાલો સચિવ ડો. રાજીવ કુમાર ગુપ્તાને સોંપવામાં આવ્યો છે.

 

આ પણ વાંચો: કોરોનાનો કહેર: AMCનો મોટો નિર્ણય, આવતીકાલથી રાત્રે 9થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂનો અમલ

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">