AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અમદાવાદ પ્લેન ક્રેશમાં સગાઈ કરવા માટે આવેલા યુવક-યુવતીનું મોત, કુલ 241 લોકોના મોત

અમદાવાદના મેઘાણીનગરમાં પ્લેન ક્રેશની ઘટનામાં 241 લોકોના મોતની પુષ્ટી કરવામાં આવી છે. જેમાંથી મોટાભાગના લોકો બળીને ખાખ થઈ ગયા છે. દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાં સગાઈ કરવા માટે વતને આવેલા યુવક-યુવતીનું મોત થયું છે.

Breaking News : અમદાવાદ પ્લેન ક્રેશમાં સગાઈ કરવા માટે આવેલા યુવક-યુવતીનું મોત, કુલ 241 લોકોના મોત
Ahmedabad
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 13, 2025 | 8:31 AM
Share

અમદાવાદના મેઘાણીનગરમાં પ્લેન ક્રેશની ઘટનામાં 241 લોકોના મોતની પુષ્ટી કરવામાં આવી છે. જેમાંથી મોટાભાગના લોકો બળીને ખાખ થઈ ગયા છે. દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાં સગાઈ કરવા માટે વતને આવેલા યુવક-યુવતીનું મોત થયું છે. બંને યુવક-યુવતી લંડનથી સગાઈ કરવા માટે વતન આવ્યા હતા. સગાઈ કર્યા બાદ પરત ફરતી વખતે પ્લેન દુર્ઘટના બની હતી. જેમાં સુરતના વિભૂતિ પટેલ અને બોટાદના હાર્દિક અવૈયાનું મોત નિપજ્યું છે.

વિમાન દુર્ઘટનામાં ચિખોદરાના માતા-પુત્રનું પણ મોત

વિમાન દુર્ઘટનામાં ચિખોદરાના માતા-પુત્રનું પણ મોત થયુ છે. દુષ્યંત પટેલ પોતાના પરિવાર સાથે લંડનમાં સ્થાયી થયા હતા. ચિખોદરા ગામે માતા એકલા રહેતા હોવાથી તેમને લેવા આવ્યા હતા. માતા-પુત્ર બન્ને દુર્ઘટનાનો ભોગ બનતા પરિવારમાં શોક છવાયો છે.

અમદાવાદ પ્લેન ક્રેસમાં દીવના 11 યાત્રિકના મોત, એક ઘાયલ

અમદાવાદ પ્લેન ક્રેસમાં દીવના 11 યાત્રિકના મોત થયા છે. જ્યારે એક વ્યક્તિ ઘાયલ છે. દીવના ફૈઝાન રફીકનું પણ પ્લેન દુર્ઘટનામાં મોત થયુ છે. ફૈઝાન રફીકના મોતના સમાચાર મળતા પરિવારમાં ભારે શોક ફેલાયો છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત કરવામાં  આવ્યો છે. PM રૂમની બહાર પરિવારજનોનું હૈયાફાટ આક્રંદ જોવા મળી રહ્યુ છે. કોલ્ડ સ્ટોરેજમાં મૃતદેહોને લઈ જવાયા છે. DNA સેમ્પલને પણ તપાસ માટે લઈ જવાયા.

અત્યાર સુધીમાં ટેકઓફ કરતી વખતે કેટલા વિમાન અકસ્માતો થયા છે?

એવિએશન સેફ્ટી નેટવર્ક અનુસાર, 2017 થી 2023 દરમિયાન વિશ્વભરમાં કુલ 813 વિમાન અકસ્માતો થયા છે, જેમાંથી લગભગ 14 ટકા અકસ્માતો ટેકઓફ દરમિયાન થયા છે. આનો અર્થ એ થયો કે લગભગ 113 અકસ્માતો ટેકઓફ દરમિયાન થયા છે. આમાં ભારતમાં થયેલા કેટલાક મોટા અકસ્માતોનો પણ સમાવેશ થાય છે, જે ટેકઓફ દરમિયાન થયા હતા. આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંગઠન અનુસાર, ટેકઓફ દરમિયાન અકસ્માતો ઘણીવાર ટેકનિકલ ખામીઓ (જેમ કે એન્જિન નિષ્ફળતા, પક્ષી અથડામણ અથવા હાઇડ્રોલિક સિસ્ટમમાં ખામી), પાઇલટની ભૂલ, લપસણો રનવે અથવા ખોટા લોડિંગ બેલેન્સને કારણે થાય છે.

Follow Us
અમદાવાદના કાલુપુરમાં મકાન ધરાશાયી થતાં એકનું મોત તો યુવક ગંભીર! Video
અમદાવાદના કાલુપુરમાં મકાન ધરાશાયી થતાં એકનું મોત તો યુવક ગંભીર! Video
સુરતની શાળામાં કરંટ લાગતા ધોરણ-9ના વિદ્યાર્થીનું મોત, પરિવારજનોમાં રોષ
સુરતની શાળામાં કરંટ લાગતા ધોરણ-9ના વિદ્યાર્થીનું મોત, પરિવારજનોમાં રોષ
દેવગઢ બારીયા નગરપાલિકાની 6 સીટો પર મતદાન શરૂ ! Video
દેવગઢ બારીયા નગરપાલિકાની 6 સીટો પર મતદાન શરૂ ! Video
5 મહિનાનું બાળક રૂમમાં થયું લોક! ફાયર વિભાગની ટીમે કર્યું રેસ્ક્યુ
5 મહિનાનું બાળક રૂમમાં થયું લોક! ફાયર વિભાગની ટીમે કર્યું રેસ્ક્યુ
ચાલતી ટ્રેનમાં દીવો પ્રગટાવી પૂજા કરવા લાગ્યો મુસાફર ! Video
ચાલતી ટ્રેનમાં દીવો પ્રગટાવી પૂજા કરવા લાગ્યો મુસાફર ! Video
ગુજરાતમાં પાંચ વરસાદી સિસ્ટમ એકસાથે સક્રિય, 30 જુલાઈથી ભારેની આગાહી
ગુજરાતમાં પાંચ વરસાદી સિસ્ટમ એકસાથે સક્રિય, 30 જુલાઈથી ભારેની આગાહી
બાપ-દીકરાએ લોકરમાથી 2.67 કરોડના સોના દાગીનાની ઉચાપત કરી
બાપ-દીકરાએ લોકરમાથી 2.67 કરોડના સોના દાગીનાની ઉચાપત કરી
સૂતો હતો બાળક... ગળામાં હતો સાપ! વાયરલ વીડિયોએ બધાને ચોંકાવ્યા
સૂતો હતો બાળક... ગળામાં હતો સાપ! વાયરલ વીડિયોએ બધાને ચોંકાવ્યા
સાહિત્યમાં તમારી રુચિ વધશે, અનુભવી લોકોની વચ્ચે સમય વિતાવવો
સાહિત્યમાં તમારી રુચિ વધશે, અનુભવી લોકોની વચ્ચે સમય વિતાવવો
Breaking News: ધોરણ 1માં પ્રવેશ માટે પ્રી-સ્કૂલ સર્ટિફિકેટ ફરજિયાત નહી
Breaking News: ધોરણ 1માં પ્રવેશ માટે પ્રી-સ્કૂલ સર્ટિફિકેટ ફરજિયાત નહી
g clip-path="url(#clip0_868_265)">