Ambaji શક્તિપીઠ ખાતે મંગળા આરતીમાં ઊમટ્યા ભાવિકો, શરદ પૂનમની વિશેષ આરતીમાં પ્રગટાવાશે 30 હજાર દીવા

શરદપૂર્ણિમાના  દિવસથી  શીતળતાનો અનુભવ થતો હોય છે. આ દિવસથી ચોમાસુ સંપૂર્ણ પણે વિદાય લઇને શરદ ઋતુમાં ઠંડીનો અનુભવ થાય છે.  શરદપૂનમ ગુજરાતી પંચાગની છેલ્લી પૂનમ ગણાય છે જેને લઈને વ્રતની પૂનમ ભરવા માટે વિવિધ મંદિરોમાં  શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે.

Ambaji શક્તિપીઠ ખાતે મંગળા આરતીમાં ઊમટ્યા ભાવિકો, શરદ પૂનમની વિશેષ આરતીમાં પ્રગટાવાશે 30 હજાર દીવા
અંબાજી મંદિર ખાતે શરદ પૂનમની મંગળા આરતીમાં ઊમટ્યા ભાવિકો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 09, 2022 | 9:30 AM

આજે શરદપૂર્ણિમાનું (Shardpoonam ) પાવન પર્વ છે ત્યારે શક્તિપીઠ અંબાજી  (Ambaji) ખાતે માઇભક્તો મોટી સંખ્યામાં પૂનમાં  દર્શન કરવા માટે ઉમટ્યા હતા. સવારના સમયે અંબાજી શક્તિપીઠ ખાતે મંગળા આરતીમાં મોટી સંખ્યામા ભાવિકોએ દર્શન કર્યા હતા.  શરદ પૂર્ણિમાએ સવારના 6 વાગ્યે મહારાજ દ્વારા  આરતી કરવામાં આવી હતી. તેમજ રાત્રે 12 વાગ્યે પણ શરદ પૂનમની વિશેષ આરતી  કરવામાં આવશે.  સાથે સાથે  રાત્રે 12 વાગ્યે શરદપૂનમની મહાઆરતી થશે જેમાં 30 હજાર દીવડા  પ્રગટાવવામાં આવશે.  શરદ પૂનમ પણ ભાદરવી પૂનમની જેમ મોટી પૂનમ ગણાતી હોવાથી ગત રાતથી જ ભાવિકો મંદિર ખાતે દર્શન માટે ઉમટી  પડ્યા હતા. આજે રાત્રે 12 વાગ્યે વિશેષ આરતી બાદ દૂધ પૌઆનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવશે.

વિશેષ પ્રસાદ લેવા માટે લાગે છે લાઇન

અંબાજી ખાતે મોટી સંખ્યામાં દૂધ પૌંઆનો  પ્રસાદ તૈયાર કરવામાં આવે છે અને ભાવિક ભક્તો દ્વારા આ પ્રસાદ લેવા માટે લાંબી કતારો લાગે છે રાત્રે બાર વાગ્યે આરતી સંપન્ન થયા બાદ આ પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે. અંબાજી સહિત આજે વિવિધ શક્તિમંદિરોમાં શરદ પૂનમ નિમિત્તે દૂધ પૌંઆના વિશેષ પ્રસાદનું વિતરણ કરવામાં આવશે તેમજ ગરબાનું આયોજન પણ કરવામાં આવ્યું છે.  મંદિર ટ્રસ્ટ તરફથી દર્શન માટેની વ્યવસ્થા સારી રીતે કરવામાં આવી છે.  આ પૂનમે પણ કેટલાક સંઘો પગપાળા આવી મા અંબાના શિખરે ધજાઓ  ચઢાવવા માટે પહોંચ્યા હતા.

શરદ પૂર્ણિમાથી થશે ઠંડકનો અનુભવ

કહેવાય છે કે  શરદપૂર્ણિમાના દિવસથી  શીતળતાનો અનુભવ થતો હોય છે. આ દિવસથી ચોમાસુ સંપૂર્ણ પણે  વિદાય લઇને  શરદ ઋતુમાં ઠંડીનો અનુભવ થાય છે.  શરદપૂનમ  ગુજરાતી પંચાગની છેલ્લી પૂનમ ગણાય છે  જેને લઈને વ્રતની પૂનમ ભરવા માટે  વિવિધ મંદિરોમાં  શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

અનુરાધા પૌડવાલે કર્યા હતા દર્શન

તો પ્રખ્યાત ગાયિકા અનુરાધા પૌડવાલે આઠમના રોજ અંબાજીમાં દર્શનનો લાભ લીધો હતો અને ચાચર ચોકમાં માતાજીની આરતી ઉતારી હતી. જે બાદ અનુરાધા પૌડવાલે શ્લોક સ્તુતિ સાથે ગરબાની રમઝટ પણ બોલાવી હતી.  આ સમયે ચાચર ચોકમાં ગરબા રમવા માટે ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">