બનાસકાંઠાઃ લોકસભાની ચૂંટણીનો ખેડૂતો દ્વારા બહિષ્કાર કરવાનો નિર્ણય, ફરી યોજાશે જળ આંદોલન, જુઓ

બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર જળ આંદોલન શરુ થવાના સંકેતો વર્તાયા છે. કરમાવદ તળાવ ભરવાને મામલે ખેડૂતોમાં ફરી એકવાર રોષ ફેલાયો છે. જેને લઈ હવે સ્થાનિક ખેડૂતો જળ આંદોલન કરવાના મૂડમાં જોવા મળી રહ્યા છે. ખેડૂતોએ હવે લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 04, 2024 | 11:26 AM

ફરી એકવાર બનાસકાંઠામાં ખેડૂતોમાં જળ આંદોલન કરવાનો મૂડ જોવા મળી રહ્યો છે. કરમાવદ તળાવ ભરવાને લઈ ખેડૂતોની માંગ વર્તાઈ રહી છે. આ દરમિયાન શનિવારે ખેડૂતોએ જલોત્રામાં બેઠક યોજી હતી. જે બેઠકમાં લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. તેમજ ફરીથી જળ આંદોલન કરવાનું ખેડૂતોએ નક્કી કર્યુ હતુ.

આ પણ વાંચો: વિજયનગરમાં બંધ મકાનમાં 5.75 લાખની ચોરીનો મામલો, સામે આવ્યા CCTV વીડિયો, જુઓ

બે વર્ષ અગાઉ પણ જળ આંદોલન બનાસકાંઠામાં કરવામાં આવ્યું હતું જેમાં તે વખતે 125 જેટલા ગામડાઓના ખેડૂતો અને પશુપાલકો જોડાયા હતા. મહિલાઓની મોટી સંખ્યા પણ જોવા મળી હતી. જે આંદોલન લગભગ અઢી મહિના સુધી ચાલ્યુ હતુ. જેમાં બે વિશાળ રેલી પણ યોજવામાં આવી હતી. જે રેલીમાં વીસથી પચ્ચીસ હજાર લોકો જોડાયા હતા. જોકે આમ છતાં પણ બે વર્ષ બાદ પણ તળાવ ભરવા અંગે કોઈ નિર્ણય કરવામાં નહીં આવતા આખરે ફરીથી ખેડૂતોમાં રોષ જન્મ્યો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">