વિજયનગરમાં બંધ મકાનમાં 5.75 લાખની ચોરીનો મામલો, સામે આવ્યા CCTV વીડિયો, જુઓ

સાબરકાંઠા જિલ્લામાં ચોરીના વધતા જતા પ્રમાણ વચ્ચે વિજયનગરમાં ત્રણ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યા છે. આચાર્ય અને તેમના ભાઈ સહિતના ત્રણ બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યા હતા. જેમાં તસ્કરોએ 5.75 લાખના સોના અને ચાંદીના ઘરેણાંની ચોરી આચરી હોવાનો ગુનો નોંધાયો હતો.

| Updated on: Feb 03, 2024 | 5:22 PM

વિજયનગર પોલીસે ટોલ ડુંગરીમાં થયેલ ચોરી અંગેનો ગુનો નોંધીને તસ્કરોને ઝડપી પાડવા માટે પ્રયાસ શરુ કર્યા છે. તસ્કરોને ઝડપવા માટે એફએસએલ સહિત ડોગ સ્ક્વોડ અને અન્ય ટીમોની પણ મદદ લઈને તસ્કરોની કડીઓ મેળવવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઇડર DySP સ્મિત ગોહિલ પણ ઘટનાને પગલે સ્થળ પર દોડી ગયા હતા.

આ પણ વાંચો: સાબરકાંઠાઃ ભાજપના ભીંત ચિત્રો પર કૂચડો ફેરવવાની ઘટના સામે આવી, જુઓ

DySP ના માર્ગદર્શન હેઠળ તસ્કરોને ઝડપી લેવા માટે પ્રયાસો શરુ કર્યા છે. જે મુજબ CCTV ની તપાસ શરુ કરતા તસ્કરોના ફૂટેજ સામે આવ્યા છે. જેમાં તસ્કરો નજર આવતા તેમની કડીઓ એકઠી કરવાની શરુઆત કરી છે. સારોલી આદીવાસી સેવાલયમાં ફરજ બજાવતા આચાર્ય ઇશ્વર રામજીભાઈ ગામેતીએ આ અંગેની ફરિયાદ વિજયનગર પોલીસ મથકે નોંધાવી હતી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

 

Follow Us:
ગુજરાતમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી
ગુજરાતમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી
માવઠાથી રાજ્યમાં 7 લોકોના મોત, 11 ટાઉનમાં વીજળી ડૂલ
માવઠાથી રાજ્યમાં 7 લોકોના મોત, 11 ટાઉનમાં વીજળી ડૂલ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે વેપારમાં થશે ફાયદો
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે વેપારમાં થશે ફાયદો
નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ
નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ
અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ
અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ
હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video
હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
g clip-path="url(#clip0_868_265)">