Aravalli: માલપુરમાં 9 વર્ષીય બાળકીનું શંકાસ્પદ ડેન્ગ્યૂથી મોત

અરવલ્લી જિલ્લાના માલપુરના રોહિત ફળિયાની 9 વર્ષિય બાળકીનું શંકાસ્પદ ડેન્ગ્યૂથી મોત થયું છે. નોંધનીય છેકે રોહિત ફળિયામાં ગંદકીનું સામ્રાજ્ય રહેતા ડેન્ગ્યૂની અસર હોવાનું મનાય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 10, 2021 | 8:28 PM

Aravalli: છેલ્લા કેટલાક દિવસોથી રાજયમાં રોગચાળાએ માથું ઉચક્યું છે. અને, વરસાદી માહોલમાં અનેક લોકો રોગચાળામાં સપડાયા છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ રોગચાળાના વાવર સંભળાઇ રહ્યા છે. અરવલ્લી જિલ્લાના માલપુરના રોહિત ફળિયાની 9 વર્ષિય બાળકીનું શંકાસ્પદ ડેન્ગ્યૂથી મોત થયું છે. નોંધનીય છેકે રોહિત ફળિયામાં ગંદકીનું સામ્રાજ્ય રહેતા ડેન્ગ્યૂની અસર હોવાનું મનાય છે. જોકે, શંકાસ્પદ ડેંગ્યૂથી બાળકીના મોતથી આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. અને, રોગચાળાને લઇને અગમચેતી રાખવા કાર્યવાહી આરંભી દેવાઇ છે. ત્યારે હવે બાળકીના મોતનો રિપોર્ટમાં શું ખુલે છે તેની રાહ જોવી રહી.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">