Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અમદાવાદના બાવળાની કેમિકલ કંપનીમાં દુર્ઘટના, ટેન્કમાં ઉતરેલા બે કર્મચારીઓના ગૂંગળામણથી મોત, જુઓ Video

અમદાવાદના બાવળા તાલુકાના ઢેઢાળ ગામમાં આવેલી એક ખાનગી કેમિકલ કંપનીમાં હૃદયદ્રાવક ઘટના બની છે. શ્રી કેમિકલ કંપનીમાં કામ કરતા બે શ્રમિકો ટેન્કની સફાઈ માટે ઉતર્યા હતા, પરંતુ ઝેરી વાયુના પ્રભાવથી ગૂંગળાઈ જતાં બંનેના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા.

Breaking News : અમદાવાદના બાવળાની કેમિકલ કંપનીમાં દુર્ઘટના, ટેન્કમાં ઉતરેલા બે કર્મચારીઓના ગૂંગળામણથી મોત, જુઓ Video
Follow Us:
Harin Matravadia
| Edited By: | Updated on: Mar 27, 2025 | 7:23 PM

બાવળાના ઢેઢાળ ગામમાં આવેલી શ્રી કેમિકલ્સ કંપનીમાં મિકેનિકલ ખામી સર્જાતા ટેન્કની સફાઈ કરવાનું કામ શરૂ થયું હતું. દરમિયાન, બે શ્રમિકો ટેન્કમાં ઉતર્યા અને ઝેરી વાયુના સંસર્ગમાં આવતાં તેઓ બેભાન થઈ ગયા. જો કે, તેમને તાત્કાલિક બહાર કાઢવા પ્રયત્નો કર્યા છતાં, તબીબી સહાય મેળવતા પહેલા બંનેએ દમ તોડી દીધો.

પોલીસની પ્રાથમિક તપાસ

ઘટનાની જાણ થતાં બાવળા પોલીસ તુરંત ઘટનાસ્થળે પહોંચી હતી. બંને શ્રમિકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે અને પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે ટેન્કમાં ઝેરી વાયુની અસરને કારણે શ્રમિકોના મોત થયા હતા.

કાવ્યાની ટીમના 23 વર્ષના ખેલાડીએ IPLમાં પોતાની પહેલી અડધી સદી ફટકારી
શેરડીના રસમાં કયા વિટામિન ભરપૂર હોય છે?
મુકેશ અંબાણીની Jio યુઝર્સને ભેટ, 365 દિવસના પ્લાનમાં મળશે 912.5 GB ડેટા ફ્રી !
Navratri: નવરાત્રી દરમિયાન ભૂલથી પણ આ વસ્તુઓ ન ખરીદો, તમારા જીવનમાં ગરીબી છવાઈ જશે!
તુલસીના છોડમાં કીડીઓનું નીકળવું કઈ વાતનો આપે છે સંકેત?
ચૈત્ર નવરાત્રી આજથી શરૂ ! આ 5 રાશિઓનું ભાગ્ય ચમકી ઉઠશે

કંપનીની બેદરકારી ?

પ્રાથમિક અનુમાન મુજબ, આ ઘટના કંપનીની બેદરકારીના કારણે બની હોવાની શંકા વ્યક્ત થઈ રહી છે. કંપની દ્વારા સુરક્ષાની પુરતી વ્યવસ્થા રાખવામાં ન આવી હોવાનું કહેવાઈ રહ્યું છે. જો કે, શ્રમિકોના મોત પાછળનું સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે.

મૃતક શ્રમિકોની ઓળખ અને વધુ કાર્યવાહી

હાલમાં બંને શ્રમિકોની ઓળખ જાણવા માટે પોલીસે પ્રયાસો શરૂ કર્યા છે. આ દુર્ઘટનાને લઈ શ્રમિકોના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસ હવે કંપનીના જવાબદાર અધિકારીઓના નિવેદન લઈ રહેલી છે અને આગળની કાર્યવાહી પ્રગતિ પર છે.

મહત્વપૂર્ણ મુદ્દાઓ

  • ટેન્કની સફાઈ દરમ્યાન શ્રમિકોની સલામતી માટે જરૂરી ઉપાયો ન અપનાવવાથી આ ઘટના બની હોવાનું અનુમાન.

  • બાવળા પોલીસ ઘટનાની સંપૂર્ણ તપાસ કરી રહી છે અને કંપનીની બેદરકારી અંગે પણ તપાસ હાથ ધરાઈ છે.

g clip-path="url(#clip0_868_265)">