Ahmedabad: બારમાસી ઘઉં ભરવાનું થયું મોઘું, મસાલા, દૂધ, અનાજના ભાવ વધારાએ ખોરવ્યું મધ્યમ વર્ગનું બજેટ

બજારમાં વિવિધ પ્રકારના મળીને દસથી વધુ અલગ અલગ પ્રકારના ઘઉં મળી રહ્યા છે. જેમાં સૌથી વધારે લોકો દાઉદખાની, એમ. પી. શરબતી ટુકડી અને રજવાડી ઘઉંની ખરીદી કરતા હોય છે. તેમાં ઘઉમાં 20% થી લઈને 100 ટકા સુધી ભાવ વધારો નોંધાયો છે.

Ahmedabad: બારમાસી ઘઉં ભરવાનું થયું મોઘું, મસાલા, દૂધ, અનાજના ભાવ વધારાએ ખોરવ્યું મધ્યમ વર્ગનું બજેટ
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Apr 03, 2023 | 6:13 PM

હાલમાં ગુજરાતમાં બારમાસી મસાલા અને અનાજ ભરવાની સિઝન ચાલી રહી છે. મરચું, ધાણાજીરું પાવડર, જીરું, હળદર તેમજ અન્ય મરી મસાલાની સાથે સાથે ઘઉં ભરવાની સિઝન પણ ચાલી રહી છે. જોકે તમામ અનાજ તથા મસાલામાં આ વખતે 20થી 100 ટકા સુધીનો ભાવ વધારો ઝીંકાતા મધ્યમ વર્ગ માટે બારમાસી અનાજ અને મસાલા ભરવાનું આકરું બની ગયું છે.

રોજબરોજના ઉપયોગમાં લેવાનારા ઘઉં થયા અતિશય મોંઘા

ત્યારે એક તરફ હાલમાં ઘઉં ભરવાની સિઝન ચાલી રહી છે અને તે દરમિયાન ઘઉંના ભાવમાં અતિશય વધારો થતા લોકોના બજેટ ઉપર અસર પડી છે તો સાથે જ ભાવ વધતા લોકો જરૂરિયાત સામે ઓછા ઘઉંની ખરીદી કરી રહ્યા છે. તો કેટલાક લોકો વિચારી રહ્યા છે કે ઘઉં ખરીદવા કે નહીં?

દાઉદખાની ઘઉંનો ભાવ 5000થી 6000 રૂપિયા

વેપારીઓના જણાવ્યા પ્રમાણે બજારમાં વિવિધ પ્રકારના મળીને દસથી વધુ અલગ અલગ પ્રકારના ઘઉં મળી રહ્યા છે. જેમાં સૌથી વધારે લોકો દાઉદખાની, એમ. પી. શરબતી ટુકડી અને રજવાડી ઘઉંની ખરીદી કરતા હોય છે. તેમાં ઘઉમાં 20%થી લઈને 100 ટકા સુધી ભાવ વધારો નોંધાયો છે. જેમાં 100 કિલોના ઘઉંના ભાવ જોઈએ તો દાઉદખાની ઘઉંમાં એક વર્ષ પહેલાં 3000થી લઈને 3,500 જેટલો ભાવ હતો. જે હાલ 5000થી 6,000 સુધી પહોંચી ચૂક્યો છે.

લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર
ખરતા વાળથી છુટકારો મેળવવા માટે રોજ એક વાર પીવો આ જ્યુસ

એમપી શરબતી ટુકડી એક વર્ષ પહેલાં 3 હજાર હતા જે હાલ 3500થી 4 હજાર રૂપિયા થયા છે

રજવાડી ઘઉં પહેલા 3 હજાર હતા જે હાલ 3600 ભાવ થયા છે.

તુવેર દાળના 1 કિલોના 95 રૂપિયા હતા, તેમાં 110 રૂપિયા થઈ ગયા છે.

મગની દાળ 1 કિલોના 90 રૂપિયા હતા તે વધીને 105 રૂપિયા ભાવ થઈ ગયા છે.

વેપારીઓ અને ખેડૂતો સહિત સામાન્ય લોકો માટે માવઠું બન્યું વેરી

વેપારીઓના જણાવ્યા પ્રમાણે માલ અછતના કારણે ભાવ વધ્યાનું વેપારીએ નિવેદન આપ્યું હતું. મવાઠાને કારણે બજારમાં પૂરતો જથ્થો ઠલવાયો નથી તેના કારણે ભાવમાં વધારો થયો છે. એક તરફ શહેર અને રાજ્યમાં ગરમીની શરૂઆત થઈ છે તો રાજ્યમાં કમોસમી વરસાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો.

આગામી સમયમાં પણ માવઠાની વકી

આગામી વરસાદની આગાહીને પગલે પણ વેપારીઓ એવી આશંકા સેવી રહ્યા છે કે હજી પણ ઘઉંંના પાકને નુકસાન થઈ શકે છે. ઘઉંને નુકસાન થાય અને આવકમાં અછત સર્જાય તો ભાવમાં હજી પણ વધારો થઈ શકે છે.

Latest News Updates

બનાસકાંઠાઃ ભારે પવન ફૂંકાવા સાથે વરસાદને પગલે ખેડૂતોને મોટું નુકસાન
બનાસકાંઠાઃ ભારે પવન ફૂંકાવા સાથે વરસાદને પગલે ખેડૂતોને મોટું નુકસાન
ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીનાની મદ્રેસાઓમાં શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરી
ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીનાની મદ્રેસાઓમાં શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરી
ગુજરાતના 1100 મદ્રેસામાં સર્વે હાથ ધરાયો
ગુજરાતના 1100 મદ્રેસામાં સર્વે હાથ ધરાયો
નવસારીમાં મુકાયેલા પાલિકાના વોટર એટીએમ ભરઉનાળે ઠપ્પ
નવસારીમાં મુકાયેલા પાલિકાના વોટર એટીએમ ભરઉનાળે ઠપ્પ
ગુજરાતમાં હીટવેવ અને માવઠાની આગાહી
ગુજરાતમાં હીટવેવ અને માવઠાની આગાહી
ચારધામ યાત્રામાં અરાજકતાના કારણે સુરતના શ્રદ્ધાળુઓ અટવાઈ પડ્યા
ચારધામ યાત્રામાં અરાજકતાના કારણે સુરતના શ્રદ્ધાળુઓ અટવાઈ પડ્યા
ડેડીયાપાડા તાલુકા પંચાયતમાં મનસુખ વસાવાની હાજરીથી ચૈતર વસાવા ગિન્નાયા
ડેડીયાપાડા તાલુકા પંચાયતમાં મનસુખ વસાવાની હાજરીથી ચૈતર વસાવા ગિન્નાયા
આ ચાર રાશિના જાતકો આજે સ્વાસ્થ્યને લઈને રહે સાવચેત, જાણો કઈ છે રાશિ
આ ચાર રાશિના જાતકો આજે સ્વાસ્થ્યને લઈને રહે સાવચેત, જાણો કઈ છે રાશિ
રાજકોટમાં બસપોર્ટની લિફ્ટમાં ફસાયો યુવક, ફાયરવિભાગે કર્યુ રેસ્ક્યુ
રાજકોટમાં બસપોર્ટની લિફ્ટમાં ફસાયો યુવક, ફાયરવિભાગે કર્યુ રેસ્ક્યુ
ચોમાસામાં તમારા ઘર નજીક પાણી ભરાય તો ગટરના ઢાંકણા જાતે ખોલવાના રહેશે
ચોમાસામાં તમારા ઘર નજીક પાણી ભરાય તો ગટરના ઢાંકણા જાતે ખોલવાના રહેશે
g clip-path="url(#clip0_868_265)">