AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: બારમાસી ઘઉં ભરવાનું થયું મોઘું, મસાલા, દૂધ, અનાજના ભાવ વધારાએ ખોરવ્યું મધ્યમ વર્ગનું બજેટ

બજારમાં વિવિધ પ્રકારના મળીને દસથી વધુ અલગ અલગ પ્રકારના ઘઉં મળી રહ્યા છે. જેમાં સૌથી વધારે લોકો દાઉદખાની, એમ. પી. શરબતી ટુકડી અને રજવાડી ઘઉંની ખરીદી કરતા હોય છે. તેમાં ઘઉમાં 20% થી લઈને 100 ટકા સુધી ભાવ વધારો નોંધાયો છે.

Ahmedabad: બારમાસી ઘઉં ભરવાનું થયું મોઘું, મસાલા, દૂધ, અનાજના ભાવ વધારાએ ખોરવ્યું મધ્યમ વર્ગનું બજેટ
Darshal Raval
| Edited By: | Updated on: Apr 03, 2023 | 6:13 PM
Share

હાલમાં ગુજરાતમાં બારમાસી મસાલા અને અનાજ ભરવાની સિઝન ચાલી રહી છે. મરચું, ધાણાજીરું પાવડર, જીરું, હળદર તેમજ અન્ય મરી મસાલાની સાથે સાથે ઘઉં ભરવાની સિઝન પણ ચાલી રહી છે. જોકે તમામ અનાજ તથા મસાલામાં આ વખતે 20થી 100 ટકા સુધીનો ભાવ વધારો ઝીંકાતા મધ્યમ વર્ગ માટે બારમાસી અનાજ અને મસાલા ભરવાનું આકરું બની ગયું છે.

રોજબરોજના ઉપયોગમાં લેવાનારા ઘઉં થયા અતિશય મોંઘા

ત્યારે એક તરફ હાલમાં ઘઉં ભરવાની સિઝન ચાલી રહી છે અને તે દરમિયાન ઘઉંના ભાવમાં અતિશય વધારો થતા લોકોના બજેટ ઉપર અસર પડી છે તો સાથે જ ભાવ વધતા લોકો જરૂરિયાત સામે ઓછા ઘઉંની ખરીદી કરી રહ્યા છે. તો કેટલાક લોકો વિચારી રહ્યા છે કે ઘઉં ખરીદવા કે નહીં?

દાઉદખાની ઘઉંનો ભાવ 5000થી 6000 રૂપિયા

વેપારીઓના જણાવ્યા પ્રમાણે બજારમાં વિવિધ પ્રકારના મળીને દસથી વધુ અલગ અલગ પ્રકારના ઘઉં મળી રહ્યા છે. જેમાં સૌથી વધારે લોકો દાઉદખાની, એમ. પી. શરબતી ટુકડી અને રજવાડી ઘઉંની ખરીદી કરતા હોય છે. તેમાં ઘઉમાં 20%થી લઈને 100 ટકા સુધી ભાવ વધારો નોંધાયો છે. જેમાં 100 કિલોના ઘઉંના ભાવ જોઈએ તો દાઉદખાની ઘઉંમાં એક વર્ષ પહેલાં 3000થી લઈને 3,500 જેટલો ભાવ હતો. જે હાલ 5000થી 6,000 સુધી પહોંચી ચૂક્યો છે.

એમપી શરબતી ટુકડી એક વર્ષ પહેલાં 3 હજાર હતા જે હાલ 3500થી 4 હજાર રૂપિયા થયા છે

રજવાડી ઘઉં પહેલા 3 હજાર હતા જે હાલ 3600 ભાવ થયા છે.

તુવેર દાળના 1 કિલોના 95 રૂપિયા હતા, તેમાં 110 રૂપિયા થઈ ગયા છે.

મગની દાળ 1 કિલોના 90 રૂપિયા હતા તે વધીને 105 રૂપિયા ભાવ થઈ ગયા છે.

વેપારીઓ અને ખેડૂતો સહિત સામાન્ય લોકો માટે માવઠું બન્યું વેરી

વેપારીઓના જણાવ્યા પ્રમાણે માલ અછતના કારણે ભાવ વધ્યાનું વેપારીએ નિવેદન આપ્યું હતું. મવાઠાને કારણે બજારમાં પૂરતો જથ્થો ઠલવાયો નથી તેના કારણે ભાવમાં વધારો થયો છે. એક તરફ શહેર અને રાજ્યમાં ગરમીની શરૂઆત થઈ છે તો રાજ્યમાં કમોસમી વરસાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો.

આગામી સમયમાં પણ માવઠાની વકી

આગામી વરસાદની આગાહીને પગલે પણ વેપારીઓ એવી આશંકા સેવી રહ્યા છે કે હજી પણ ઘઉંંના પાકને નુકસાન થઈ શકે છે. ઘઉંને નુકસાન થાય અને આવકમાં અછત સર્જાય તો ભાવમાં હજી પણ વધારો થઈ શકે છે.

Follow Us
પરિવારમાં બધાને ધ્યાનથી સાંભળો, યોગ ફાયદાકારક સાબિત થશે
પરિવારમાં બધાને ધ્યાનથી સાંભળો, યોગ ફાયદાકારક સાબિત થશે
વિવાદમાં ‘લાલો’ ફેમ કરણ જોશી: યુવતીના આરોપ પર અભિનેતાએ આપી સ્પષ્ટતા
વિવાદમાં ‘લાલો’ ફેમ કરણ જોશી: યુવતીના આરોપ પર અભિનેતાએ આપી સ્પષ્ટતા
જૂનાગઢ: પ્રી-મોન્સૂન કામગીરી વિવાદમાં, મનપાના દાવા સામે લોકો નારાજ
જૂનાગઢ: પ્રી-મોન્સૂન કામગીરી વિવાદમાં, મનપાના દાવા સામે લોકો નારાજ
અમદાવાદ મેયર-સ્ટેન્ડિંગ ચેરમેનને લઈને 26 તારીખે થઈ શકે છે 'જાહેરાત'
અમદાવાદ મેયર-સ્ટેન્ડિંગ ચેરમેનને લઈને 26 તારીખે થઈ શકે છે 'જાહેરાત'
આણંદ: અમુલ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 10 વધાર્યા
આણંદ: અમુલ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 10 વધાર્યા
નવા નેતાઓને નીતિન પટેલની કડક શિખામણ, કામ કરીને પ્રજાનો વિશ્વાસ જીતો
નવા નેતાઓને નીતિન પટેલની કડક શિખામણ, કામ કરીને પ્રજાનો વિશ્વાસ જીતો
હવે 'ભાજપ' વિરુદ્ધ 'ભાજપ'! BJP ના બે જૂથ જાહેરમાં મારામારી
હવે 'ભાજપ' વિરુદ્ધ 'ભાજપ'! BJP ના બે જૂથ જાહેરમાં મારામારી
જામનગરના રણમલ લેકમાં પક્ષીઘરમાં પાણીના ફુવારા કાર્યરત કરાયા
જામનગરના રણમલ લેકમાં પક્ષીઘરમાં પાણીના ફુવારા કાર્યરત કરાયા
જુનાગઢમાં ઇંધણની કટોકટી: ડીઝલ અછત અને લાંબી કતારોથી વાહનચાલકોમાં રોષ
જુનાગઢમાં ઇંધણની કટોકટી: ડીઝલ અછત અને લાંબી કતારોથી વાહનચાલકોમાં રોષ
TMCના ઉમેદવાર જહાંગીરે ફલતા બેઠક પરથી ચૂંટણી લડવા કર્યો ઈન્કાર-Video
TMCના ઉમેદવાર જહાંગીરે ફલતા બેઠક પરથી ચૂંટણી લડવા કર્યો ઈન્કાર-Video
g clip-path="url(#clip0_868_265)">