AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhavnagar: જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવમાં વધારો થતાં મહિલાઓમાં રોષ

ભાવનગર શહેરમાં આવેલ દાણાપીઠ અનાજ બજારના વેપારીઓએ બાર મહિના માટે અનાજ લઈ જતા ગ્રાહકો ભાવ વધારાને કારણે ઓછો માલ લઈ જતા હોવાનું અને કેટલાક નિયમિત ગ્રાહકોએ તો આ વખતે બાર મહિનાની વસ્તુઓ નહીં ભરવાનું નક્કી કર્યું હોવાનું જણાવ્યું હતું.

Bhavnagar: જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવમાં વધારો થતાં મહિલાઓમાં રોષ
Bhavnagar: Outrage among women over rising prices of essential commodities
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 13, 2022 | 9:11 AM
Share

પેટ્રોલ- ડીઝલ (Petrol-diesel) અને સીએનજીના ભાવને કારણે ટ્રાન્સપોર્ટેશન (Transportation) મોંઘું થતાં જીવન જરૂરી ચીજો (essential commodities) ના ભાવ ધીરે ધીરે વધી રહ્યા છે. હાલ ઘઉં ચોખા દાળ અને મસાલા ની સિઝન શરૂ થતા અનાજ અને મસાલામાં 20થી 30 ટકા જેટલો વધારો થયો છે. આ ઉપરાંત શાકભાજીના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. જેના પરિણામે ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ ગયું છે. ભાવનગર (Bhavnagar) માં જુદી જુદી જગ્યાએ મસાલા બજાર ભરાય છે આ સ્થળે એકત્ર થયેલી મહિલાઓએ સીઝન સમયે ભાવ વધારા સામે આક્રોશ ઠાલવ્યો છે.

ભાવનગર શહેરમાં આવેલ દાણાપીઠ અનાજ બજારના વેપારીઓએ બાર મહિના માટે અનાજ લઈ જતા ગ્રાહકો ભાવ વધારાને કારણે ઓછો માલ લઈ જતા હોવાનું અને કેટલાક નિયમિત ગ્રાહકોએ તો આ વખતે બાર મહિનાની વસ્તુઓ નહીં ભરવાનું નક્કી કર્યું હોવાનું જણાવ્યું હતું. અત્યારે બાર મહિનાનું અનાજ અને તેલ ભરવાની સીઝન છે. ઘઉં માં સો કિલોએ રૂપિયા 2200 થી 2800 ભાવ વધીને રૂપિયા 2500 થી 5000 ભાવ થયો છે. એ જ રીતે ચોખા માં ૨૫ રૂપિયા નો વધારો થયો છે. તેલમાં સીંગતેલમાં ડબ્બે રૂ 250 વધી ગયા છે ત્યારે કપાસિયા તેલમાં ડબ્બે રૂપિયા 450 વધ્યા છે. એ જ રીતે કઠોળ સહિત જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવમાં વધારો નોંધાયો છે.

હાલમાં મરચાં મસાલા ના ભાવ ભારે વધારો નોંધાયો છે. મરચું ગયા વર્ષે કિલોના રૂપિયા 180 થી 300 ની સામે ચાલુ વર્ષે રૂપિયા 230 થી 550 હળદર ના ૧૫૦ વધીને ભાવ રૂપિયા 200, ધાણાજીરું 130 થી 180 ને ભાવનો ભાવ વધીને 150 થી 300 થયો છે. મસાલા ની સિઝન હોવાથી આ ભાવવધારાથી ગૃહિણીઓનું એ મજબૂરી સાથે ભાવ વધારે દેવા પડે છે. પણ બાર મહિના નો મસાલો સિઝનમાં જ કરવું પડે છે. કેટલાકે 12 મહિનાને બદલે દસ મહિનાની વસ્તુ ભરવાનું નક્કી કર્યું છે. આ વર્ષે મસાલામાં બાર મહિના કાઢવો મુશ્કેલ બની રહેશે, કોરોના કાળ દરમિયાન તમામ ધંધામાં મંદી રહી હતી. જ્યારે નોકરિયાતોને પણ પગાર કાપનો સામનો કરવો પડ્યો હતો, આ સમયે બચત બધાને કામ આવી હતી અને કપરો સમય હેમ ખેમ પસાર થયો હતો, બચત કારોના સ્વાહા કરી ગયો હતો. ત્યારે તમામ વસ્તુઓમાં આવેલો ભાવ વધારો મહિલાઓને દઝાડી રહ્યો છે.

આ પણ વાંચોઃ Surat : વર્ષો જૂની પાણી-ડ્રેનેજ લાઈન બદલવા માટે સુર્યપુર ગરનાળાથી લાલ દરવાજા સુધીનો રસ્તો 10મી મે સુધી બંધ

આ પણ વાંચોઃ  Surat : કોરોનાના નવા વેરિયન્ટની એન્ટ્રી થતાં સુરત મહાનગરપાલિકા એલર્ટ, સિવિલ હોસ્પિટલે પણ કોરોનાના દર્દીઓના XE વેરિયન્ટને રોકવા તૈયારીઓ કરી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Follow Us
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">