Ahmedabad: રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત પહેલા યુથ કોંગ્રેસ પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલાનું રાજીનામુ, સાત પેઈજનો પત્ર લખી કોંગ્રેસ પર કર્યા આક્ષેપ

Ahmedabad: રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત પહેલા યુથ કોંગ્રેસમાં ભંગાણ સર્જાયુ છે. યુથ કોંગ્રેસના પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલાએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યુ છે. સાત પેઈજનો પત્ર લખી તેમણે કોંગ્રેસ પર આક્ષેપ કર્યા છે, જેમા જણાવ્યુ છે કે કોંગ્રેસે ભારત જોડો યાત્રા પહેલા કોંગ્રેસ જોડો યાત્રા કરવાની જરૂર છે.

Ahmedabad: રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત પહેલા યુથ કોંગ્રેસ પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલાનું રાજીનામુ, સાત પેઈજનો પત્ર લખી કોંગ્રેસ પર કર્યા આક્ષેપ
વિશ્વનાથસિંહ વાઘેલા
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 04, 2022 | 5:25 PM

રાહુલ ગાંધી (Rahul Gandhi)ના ગુજરાત પ્રવાસ પહેલા ગુજરાત યુથ કોંગ્રેસ(Youth Congress)માં ભંગાણ સર્જાયુ છે. યુથ કોંગ્રેસ પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલાએ રાજીનામુ આપ્યુ છે. ભારત જોડો યાત્રા પહેલા કોંગ્રેસ જોડો યાત્રા કરવી જોઈએ તેવુ નિવેદન પણ વિશ્વનાથસિંહ વાઘેલાએ આપ્યુ છે. સાત પેઈજના પત્રમાં આક્ષેપો સાથે રાજીનામુ આપ્યુ છે. વિશ્વનાથ આગામી સમયમાં ભાજપ(BJP)માં જોડાય તેવી પણ શક્યતા જોવાઈ રહી છે. સોમવારે રાહુલ ગાંધી અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે એ સમયે જ યુથ કોંગ્રેસ પ્રમુખનું રાજીનામુ પડ્યુ છે. છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસમાં ફાટફુટ ચાલી રહી છે. અનેક દિગ્ગજ નેતાઓ કોંગ્રેસને અલવિદા કહી ચુક્યા છે. અનેક જગ્યાએ આખી પેનલ તૂટી રહી છે.  પોતાની રાજકીય જમીન મજબૂત કરવા દિવસેને દિવસે કોંગ્રેસ તૂટી રહી છે. તેવામાં વધુ એક કોંગ્રેસના નેતા દ્વારા રાજીનામુ પડ્યુ છે.

સિનિયર નેતાઓના આંતરિક જૂથવાદનો આરોપ

વિશ્વનાથસિંહે  સાત પેઈઝના પત્રમાં અનેક આક્ષેપ કર્યા છે. જેમા પક્ષનો સામાન્ય કાર્યકર પણ કેવી રીતે સિનિયર નેતાઓના આંતરિક જૂથવાદનો ભોગ બનતો હોય છે તેનો રાજીનામાના પત્રમાં ઉલ્લેખ કર્યો છે. 8 મહિના પહેલા થયેલી યુથ કોંગ્રેસની આંતરિક ચૂંટણીઓમાં વિશ્વનાથસિંહ વાઘેલા ચૂંટાઈને આવ્યા હતા. ત્યારબાદ સતત અન્ય જૂથની આંતરિક બબાલનો તેઓ ભોગ બન્યા હોવાનો આરોપ લગાવ્યો છે.

વિશ્વનાથસિંહ વાઘેલાએ જણાવ્યુ કે હાર્દિક પટેલ જ્યારથી કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા ત્યારથી એક અંદાજ લગાવવામાં આવી રહ્યો હતો કે આવનારા સમયમાં વિશ્વનાથસિંહ પણ કોંગ્રેસને અલવિદા કરી શકે છે અને એ જ પ્રકારની સ્થિતિ નિર્માણ પામી છે. અનેક પ્રકારના આક્ષેપ સાથે વિશ્વનાથસિંહ વાઘેલાએ આખરે રાહુલ ગાંધી જ્યારે ગુજરાતની મુલાકાતે આવે છે તેના ગણતરીની કલાકો પહેલા જ કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યુ છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

આ અગાઉ પણ આ જ પ્રકારની ઘટના બની છે, જ્યારે કોંગ્રેસની કોઈ મોટી ઈવેન્ટ હોય એ પહેલા જ પોતાને કોંગ્રેસના નિષ્ઠાવાન કાર્યકર્તા ગણાવતા લોકો જ પક્ષ સાથે દ્રોહ કરીને અનેક પ્રકારના આક્ષેપો સાથે પાર્ટીને બદનામ કરીને ભાજપમાં જોડાઈ ગયા છે. આ ટ્રેક રેકોર્ડને જાળવી રાખતા આજે વિશ્વનાથસિંહે પણ કોંગ્રેસ પર અનેક પ્રકારના આક્ષેપ કર્યા છે.

ચૂંટણી પહેલા પક્ષપલટાની મોસમ પૂરબહારમાં જામી

બીજી તરફ કામરેજના આમ આદમી પાર્ટીના મહિલા નેતા રંજન શિરોયા ભાજપમાં જોડાયા છે. કામરેજમાં ભાજપની બેઠકમાં પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં રંજન શિરોયાએ કેસરિયો ખેસ ધારણ કર્યો. રંજન શિરોયા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તાલુકા પંચાયતની નવાગામ બેઠક પરથી આપમાંથી ચૂંટણી લડ્યા હતા. પરંતુ ચૂંટણીમાં તેની હાર થઇ હતી.

ઈનપુટ ક્રેડિટ- નરેન્દ્ર રાઠોડ- અમદાવાદ

Latest News Updates

હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
g clip-path="url(#clip0_868_265)">