Unfinished: Priyanka Chopraએ નામ છુપાવવા પર યુઝર્સ કહી રહ્યા છે- તમે નથી કહ્યું આખું સત્ય, હવે અભિનેત્રીએ આપ્યો તેનો જવાબ

પ્રિયંકા ચોપરાએ પોતાના પુસ્તક અનફિનિશ્ડમાં ઘણા ખુલાસા કર્યા છે. જોકે અભિનેત્રીએ આ ખુલાસાઓમાં કોઈનું નામ લીધું નથી, જેના પછી યુઝર્સ અભિનેત્રી પર સવાલ ઉઠાવી રહ્યા હતા. હવે પ્રિયંકાએ આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે.

Unfinished: Priyanka Chopraએ નામ છુપાવવા પર યુઝર્સ કહી રહ્યા છે- તમે નથી કહ્યું આખું સત્ય, હવે અભિનેત્રીએ આપ્યો તેનો જવાબ
Priyanka Chopra
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 13, 2021 | 5:03 PM

પ્રિયંકા ચોપરા (Priyanka Chopra)નું પુસ્તક થોડા મહિના પહેલા બહાર પાડવામાં આવ્યું હતું, જેનું નામ હતું અનફિનિશ્ડ (Unfinised). આ પુસ્તકમાં પ્રિયંકાએ ભારતથી યુએસ સુધીના પ્રવાસ વિશે સંપૂર્ણ માહિતી આપી હતી. તે મિસ ઈન્ડિયામાંથી મિસ વર્લ્ડ કેવી રીતે બની અને તે પછી તેણે હોલીવુડમાં પોતાનો જાદુ ફેલાવ્યો, તે બધું આ પુસ્તકમાં છે.

તાજેતરમાં પ્રિયંકાને તેના પુસ્તક વિશે પૂછવામાં આવ્યું કે શું તે તેના પુસ્તકમાં લોકોની ઓળખને છુપાવીને ચાહકોને આકર્ષવા માંગે છે પુસ્તકની તરફ? આ માટે પ્રિયંકાએ કહ્યું ‘આ પુસ્તક મારું છે, બીજા કોઈનું નથી તો હું આમાં બીજાઓ વિશે કેમ કહું. ‘પ્રિયંકાએ આગળ કહ્યું’ આમાં અન્ય કોઈની સ્ટોરી નથી, તે મારી છે. તેમાં લખ્યું છે પ્રિયંકાની બાયોગ્રાફી છે ને? તો આ મારી સ્ટોરી છે.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

જ્યારે મેં સમીક્ષાઓ વાંચી ત્યારે તે ખૂબ રમુજી છે અને કેટલાક લોકોએ તેમાં લખ્યું છે કે પ્રિયંકાએ આમાં સંપૂર્ણ સત્ય નથી કહ્યું તો તેનો અર્થ એ કે તમે લોકો ગપસપ કરવા માંગો છો. તમે ઈચ્છો છો કે હું નામ લઈને ગોસિપ કરું અને તમે તેનો આનંદ માણો. પ્રિયંકાએ કહ્યું ‘હું ખૂબ નસીબદાર છું કે મારા પુસ્તકને વિશ્વમાં સારો પ્રતિસાદ મળ્યો.’

ખુલાસા કરવામાં આવ્યા હતા

તમને જણાવી દઈએ કે પ્રિયંકાએ પોતાના પુસ્તકમાં પોતાનું નામ જાહેર કર્યા વગર પોતાના જીવનની કેટલીક મોટી વાતો કહી હતી, જેમ કે પ્રિયંકાએ જણાવ્યું હતું કે એક દિગ્દર્શકે તેને અભિનયમાં કારકિર્દી શરૂ કરતા પહેલા સર્જરી કરાવવાનું કહ્યું હતું.

એક અહેવાલ મુજબ પ્રિયંકાએ પુસ્તકમાં લખ્યું છે કે ‘એક નિર્દેશક અને નિર્માતા સાથે માત્ર થોડી વાત થઈ હતી કે તેણે મને કહ્યું કે ઉભી થઈને ઘુમીને બતાવ. મેં તે કર્યું. તેણે થોડી વાર મારી સામે જોયું અને પછી કહ્યું કે મારે કેટલીક કોસ્મેટિક સર્જરી કરવી પડશે. તેણે એમ પણ કહ્યું કે તે એલએમાં એક ડોક્ટરને પણ ઓળખે છે અને નંબર પણ મોકલ્યો હતો.

પ્રિયંકાએ કહ્યું હતું કે તે એ સાંભળીને ચોંકી ગઈ હતી કે જો તે અભિનેત્રી બનવા માંગે છે તો તેણે તેમના શરીરના અંગોને ઠીક કરવા પડશે. પ્રિયંકાએ આગળ લખ્યું હતું, ‘તે સમયે હું મારા માટે ઉભી રહી શકી ન હતી કારણ કે મને ઘણી વખત કહેવામાં આવ્યું હતું કે તમે બગાડશો નહીં, તમે ઉદ્યોગમાં નવા છો. તમારી પોતાની એવી છબી ન બનાવો કે કાલે કોઈ તમારી સાથે કામ ન કરે. તે સમયે હું ખૂબ જ ગભરાઈ જતી હતી, પરંતુ તે સમયથી હું ઘણું શીખી ગઈ છું અને આજે હું તે તમામ બાબતોની વિરુદ્ધ છું.

પ્રિયંકાની આગામી ફિલ્મો

પ્રિયંકા ટૂંક સમયમાં હોલીવુડ ફિલ્મ મેટ્રિક્સ 4માં જોવા મળશે. આ સિવાય બોલીવુડમાં તેમની આગામી ફિલ્મ જી લે ઝરા છે. આ ફિલ્મમાં પ્રિયંકા સાથે કેટરિના કૈફ અને આલિયા ભટ્ટ છે.

આ પણ વાંચો :- પૂજા એન્ટરટેઈનમેન્ટ સાથે નથી થઈ Kartik Aaryanની 3 ફિલ્મોની ડીલ, સમાચાર નીકળ્યા ખોટા

આ પણ વાંચો :- Akshay Kumarની માતાના નિધન બાદ પીએમ મોદીએ મોકલ્યો શોક સંદેશ, અભિનેતાએ વ્યક્ત કર્યો આભાર

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">