Ram Charan અને Kiara Advaniનું આ ગીત તેલુગુ સિનેમાનું સૌથી મોંઘુ ગીત, 12 દિવસ સુધી ચાલશે શૂટિંગ

રામ ચરણ અને કિયારા અડવાણી ટૂંક સમયમાં મોટા પડદા પર સાથે જોવા મળશે. બંનેની ફિલ્મનું નિર્દેશન શંકર કરી રહ્યા છે અને ચાહકો આ ત્રણેયના ચાર્મને મોટા પડદા પર જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. આ ફિલ્મને ભવ્ય બનાવવા માટે દરેક લોકો ખૂબ તૈયારી કરી રહ્યા છે.

Ram Charan અને Kiara Advaniનું આ ગીત તેલુગુ સિનેમાનું સૌથી મોંઘુ ગીત, 12 દિવસ સુધી ચાલશે શૂટિંગ
Kiara Advani, Ram Charan
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 26, 2021 | 11:08 PM

રામ ચરણ (Ram Charan) અને કિયારા અડવાણી (Kiara Advani)એ પૂણેમાં ડાયરેક્ટર શંકર (Shankar)ની આગામી ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે. આ ફિલ્મને અગાઉ આર સી 15 (RC15) નામ આપવામાં આવ્યું હતું કારણ કે તે રામ ચરણની 15મી ફિલ્મ છે. આ પછી મેકર્સે ફિલ્મનું નામ Vishwambhara રાખ્યું છે. હાલમાં રામ અને કિયારા ફિલ્મના ગીતનું શૂટિંગ કરી રહ્યા છે. સમાચાર આવી રહ્યા છે કે આ ગીત તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું સૌથી મોંઘુ ગીત હશે.

મોટા અને શાનદાર ગીતો બનાવવા માટે લોકપ્રિય એવા દિગ્દર્શક શંકર આ ફિલ્મના ગીતનું 12 દિવસ સુધી શૂટિંગ કરશે. અહેવાલો અનુસાર ફિલ્મના પ્રોડ્યૂસર દિલ રાજુએ આ ફિલ્મ માટે દિગ્દર્શકને મોટું બજેટ આપ્યું છે. આ ફિલ્મ 200 કરોડના બજેટમાં શૂટ કરવામાં આવશે. ફિલ્મનું ગીત ચાહકો માટે સ્ક્રીન પર કોઈ ટ્રીટથી ઓછું નહીં હોય. ગીત કમ્પોઝ કરવાની જવાબદારી થમનને આપવામાં આવી છે. આ ગીત તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક નવો દોર શરૂ કરવા જઈ રહ્યું છે. તમને જણાવી દઈએ કે આ પહેલીવાર છે જ્યારે રામ ચરણ અને શંકર કોઈ ફિલ્મમાં સાથે કામ કરી રહ્યા છે.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

શું છે વાર્તા

આ ફિલ્મ એક પોલિટિકલ થ્રિલર ફિલ્મ છે, જેમાં એક સરકારી નોકર કેવી રીતે મુખ્યમંત્રી બને છે તે બતાવવામાં આવ્યું છે. આ ફિલ્મને શંકરની મુધાલવનની સિક્વલ પણ કહેવામાં આવી રહી છે. મુધાલવનમાં દર્શાવવામાં આવ્યું હતું કે પત્રકાર કેવી રીતે મુખ્યમંત્રી બને છે. આ ફિલ્મની હિન્દી રિમેક નાયક બની હતી, જેમાં અનિલ કપૂર મુખ્ય ભૂમિકામાં હતા.

ગયા મહિને મેકર્સે હૈદરાબાદમાં એક મોટી ઈવેન્ટ કરી હતી. આ જ ઈવેન્ટ દરમિયાન મુહૂર્ત શૂટ પણ કરવામાં આવ્યું હતું. તે દરમિયાન શંકર, રામ ચરણ, કિયારા અડવાણી, રણવીર સિંહ (Ranveer Singh), ચિરંજીવી (Chiranjeevi) અને ફિલ્મ નિર્માતા એસએસ રાજામૌલી (S. S. Rajamouli) સામેલ હતા. આ ઈવેન્ટ ખૂબ જ ભવ્ય હતી, જેની તસ્વીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી.

આ ફિલ્મ પેન ઈન્ડિયા પર રિલીઝ થશે. મેકર્સે હજુ સુધી ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરી નથી. અત્યાર સુધી જે અપડેટ સામે આવ્યું છે તે મુજબ રામ ચરણ ફિલ્મમાં ડબલ રોલમાં જોવા મળશે. તે જ સમયે કિયારા તેની સામે જોવા મળશે.

કિયારા આ ફિલ્મને લઈને ઉત્સાહિત છે

જણાવી દઈએ કે કિયારાએ આ ફિલ્મને લઈને એક ખાસ પોસ્ટ પણ શેર કરી હતી, જેમાં તેમણે લખ્યું હતું કે ‘એક્સાઈટમેન્ટ લેવલ ઘણું વધી ગયું છે. મારી પહેલી પૈન ઈન્ડિયા ફિલ્મ. મારું હૃદય ખુશીથી ભરેલું છે કારણ કે હું ડાયરેક્ટર શંકર દ્વારા નિર્દેશિત ફિલ્મ અને શાનદારના કો-સ્ટાર રામ ચરણ સાથે કામ કરવાની છું.

બાય ધ વે, આ ફિલ્મ સિવાય કિયારા જુગ-જુગ જિયો (Jug Jugg Jeeyo), ભૂલ ભુલૈયા (Bhool Bhulaiyaa 2)માં જોવા મળશે. તે જ સમયે રામ ચરણ ડાયરેક્ટર એસએસ રાજામૌલીની ફિલ્મ આરઆરઆર (RRR)માં જોવા મળવાના છે.

આ પણ વાંચો :- શું Shah Rukh Khan સાથે ફિલ્મ કરવાની નયનતારાએ પાડી દીધી છે ના? ક્યાંક આર્યન ખાન તો નથી આનું કારણ!

આ પણ વાંચો :- Shilpa Shettyએ પતિ રાજ કુન્દ્રા માટે કરાવી હતી અંડરકટ હેરસ્ટાઈલ, પતિના જામીન માટે રાખી હતી માનતા

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">