Salman Khan Firing Case: સલમાન ખાન પર AK-47થી ગોળી ચલાવવાનો હતો પ્લાન, પાકિસ્તાનથી મગાવ્યા હતા હથિયારો

સુપરસ્ટાર સલમાન ખાન ફાયરિંગ કેસમાં એક મોટું અપટેડ સામે આવ્યું છે. મુંબઈ પોલિસ આ મામલે તપાસ કરી રહી છે. ત્યારે તેમણે 4 શૂટરોની ધરપકડ કરી છે. તો ચાલો જાણી લો શું છે સમગ્ર વાત

Salman Khan Firing Case: સલમાન ખાન પર  AK-47થી ગોળી ચલાવવાનો હતો પ્લાન, પાકિસ્તાનથી મગાવ્યા હતા હથિયારો
Follow Us:
| Updated on: Jun 01, 2024 | 11:42 AM

સુપર સ્ટાર સલમાન ખાનના ફાયરિંગ કેસમાં નવી અપટેડ સામે આવી છે. સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટમાં થયેલી ફાયરિંગના મામલે પોલીસની તપાસ સતત ચાલું છે. આ મામલે હવે નવી મુંબઈ પોલિસે 4 શૂર્ટસની ધરપકડ કરી છે. સુપરસ્ટાર પર હુમલાનું મોટું શ્રડયંત્ર કરવામાં આવ્યા હોવાનો ખુલાસો થયો છે. મુંબઈ પોલિસે સલમાન ખાનના આ કેસ મામલે મોટી સફળતા મેળવી છે. પોલિસે મુંબઈના પનવેલ શહેરથી આ 4 શૂર્ટરની ધરપકડ કરી છે.

ચારેય શૂર્ટસ લોરેન્સ બિશ્રોઈ ગેંગના

આ 4 શૂર્ટર એક જ ગેંગના છે. આટલું જ નહિ પરંતુ આ ચારેય શૂર્ટસ લોરેન્સ બિશ્રોઈ ગેંગના છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે, ગેલેક્સી એપાર્ટમેન્ટ પર હુમલો કર્યા પહેલા આ ચારેય સલમાન ખાનના પનવેલ વાળા ફાર્મ હાઉસની આસપાસ આંટા-ફેરા માર્યા હતા. તેમણે પહેલા પનવેલ ફાર્મ હાઉસમાં હુમલાનું શ્રડયંત્ર રચ્યું હતુ.

સલમાન ખાન પર પનવેલમાં હુમલો કરવાના હતા

મળતી જાણકારી અનુસાર આ ચારેય શૂર્ટસને Ak 47 સહિત અન્ય હથિયારથી ફાયરિંગ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. પોલિસે આરોપીઓના મોબાઈલથી અનેક વીડિયો પણ મળ્યા છે. આ સિવાય સલમાન ખાન પર પનવેલમાં હુમલો કરવા માટે પાકિસ્તાની હથિયાર સપ્લાયર પાસેથી હથિયાર મંગાવવાનો પ્લાન કર્યો હતો. લોરેન્સ બિશ્નોઈ, અનમોલ બિશ્નોઈ, સંપત નેહરા, ગોલ્ડી બ્રાર સહિત 17 થી વધુ લોકો વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

બંદુક સુરતની તાપી નદીમાંથી મળી આવી

મુંબઈ પોલીસ આ કેસમાં વધુ તપાસ હાથ ધરી રહી છે. 14 એપ્રિલના રોજ સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટ પર સવારે 5 કલાકની આસપાસ 2 બાઈક સવાર આરોપીઓએ ફાયરિંગ કર્યું હતુ. આ સમાચાર સામે આવ્યા બાદ સૌ કોઈ હેરાન જોવા મળ્યા હતા. આ કેસમાં અનેક આરોપીઓની ધરપકડ થઈ ચુકી છે.

તમને જણાવી દઈએ કે, બોલિવુડ અભિનેતાના ઘરની બહાર કરેલા ફાયરિંગમાં ઉપયોગમાં લેવાયેલી બંદુક સુરતની તાપી નદીમાંથી મળી આવી હતી. આ દરમિયાન કારતુસ પણ મળી આવ્યા છે. આરોપીએ મુંબઈથી સુરત પહોંચ્યા હતા. ત્યાંથી ટ્રેન દ્વારા ભુજ આવ્યા હતા. આમાંથી એક આરોપીએ તો આત્મહત્યા કરી લીધી છે.

આ પણ વાંચો : નિર્માતાએ સની દેઓલ પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો, પૈસા લઈ ફિલ્મ કરવાની પાડી ના

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">