ઓડિશનમાં વજનને લઈને ઉડાવાતી હતી મજાક, પણ સ્થૂલતાએ જ અપાવી અક્ષય કુમાર સાથે ફિલ્મ

અક્ષય કુમાર (Akshay Kumar) સ્ટારર ફિલ્મ રક્ષાબંધન ઘણાં સમયથી ચર્ચામાં છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર ચાર બહેનોના ભાઈ તરીકે જોવા મળે છે. અક્ષયની ચાર બહેનોમાંની એક દીપિકા ખન્નાએ (Deepika Khanna) તેના વજનને કારણે ઘણા રિજેક્શનનો સામનો કરવો પડ્યો છે, પરંતુ આ ફિલ્મના ઓડિશનમાં તેના વજનએ સ્ટ્રેંથનું કામ કર્યું છે.

ઓડિશનમાં વજનને લઈને ઉડાવાતી હતી મજાક, પણ સ્થૂલતાએ જ અપાવી અક્ષય કુમાર સાથે ફિલ્મ
Deepika Khanna and Akshay KumarImage Credit source: Instagram
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 13, 2022 | 12:44 PM

અક્ષય કુમાર (Akshay Kumar) સ્ટારર રક્ષાબંધન ફિલ્મમાં દીપિકા ખન્નાએ (Deepika Khanna) તેની ચાર બહેનોમાંથી એકની ભૂમિકા ભજવી રહી છે. દીપિકા અક્ષયની બહેનના પાત્રમાં છે જેનું વજન વધારે છે. દીપિકાને તેના વજન માટે ઓડિશનમાં રિજેક્શનનો સામનો કરવો પડ્યો હતો અને હવે તેને તેના વજનના કારણે અક્ષય કુમાર સાથે આવા મોટા પ્રોજેક્ટ્સમાં કામ કરવાની તક મળી. દીપિકા મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં કહે છે કે મને ફિલ્મનું શૂટિંગ શરૂ થવાના 8 મહિના પહેલા જ સ્ક્રિપ્ટ મળી ગઈ હતી. પહેલા મેં તેમને ટેક મોકલી, પછી બે-ત્રણ મહિના પછી મને ફરીથી ટેસ્ટ માટે બોલાવવામાં આવી. ત્રણ-ચાર વખત ઓડિશન આપ્યા બાદ આખરે એક દિવસ મને પ્રોડક્શન હાઉસમાં બોલાવવામાં આવી. ત્યાં મારા સિવાય બીજી છોકરી પણ એ જ રોલ માટે આવી હતી. હું ત્યાંથી નીકળી પછી એક કલાક પછી મને ફોન આવ્યો કે તમારું સિલેક્શન થઈ ગયું છે. અમને પહેલાથી જ કહેવામાં આવ્યું હતું કે આ ફિલ્મમાં અક્ષય કુમાર હશે.

આ પણ વાંચો

View this post on Instagram

A post shared by Deepika Khanna (@deepikapoo)

દીપિકા કહે છે કે મેં પહેલેથી જ મારા વજનને સ્વીકારી લીધું હતું. હું વજન બાબતે કેયર ફ્રી રહી છું. હું જેમ છું તેમ મેં મારી જાતને સ્વીકારી છે. મેં મારા વજનને મારી તાકાત તરીકે લીધું છે. હું વજન ઘટાડવા માટે લોકોના રોજિંદા અને રેન્ડમ સજેશન સાંભળું છું, પરંતુ મારા વજનથી મારો આત્મવિશ્વાસ વધ્યો છે. હું ઓડિશન માટે એ જ સ્થળોએ પણ જાઉં છું, જ્યાં મારા જેવા વજનની લોકોની જરૂર હોય છે. હું હંમેશા ઓડિશન કોલ્સ પર મારા વજનનો ઉલ્લેખ કરું છું.

આ ફિલ્મ મળ્યા પછી દીપિકા પરિવારના રિએક્શન વિશે કહે છે જ્યારે પરિવારના સભ્યોને ખબર પડી કે હું અક્ષય કુમાર સાથે એક મોટી ફિલ્મમાં કામ કરવા જઈ રહી છું, તે સ્વાભાવિક છે કે પરિવારજનો માની શકતા ન હતા. પછી પાપા મને મીઠાઈની દુકાને લઈ ગયા અને મને દરેક પ્રકારની મીઠાઈ ખવડાવી. પાપા ઘરે આવ્યા પછી ડાન્સ કરી રહ્યા હતા, જ્યારે તેઓને ડાન્સ કરતા નથી આવડતો. આખા ઘરમાં સિલેબ્રેશનનો માહોલ હતો.

અક્ષય સાથેની પહેલી મુલાકાત અંગે દીપિકા કહે છે કે, શૂટિંગ પહેલા અક્ષય સરને અમે પોસ્ટરના પ્રિન્ટ શૂટ માટે મળ્યા હતા. જ્યારે મેં સાંભળ્યું કે તેઓ આવવાના છે ત્યારે મારા હાથ-પગ ધ્રૂજવા લાગ્યા હતા. અમે બધી બહેનો ડરી ગઈ. મને તેમની એન્ટ્રી યાદ છે, તેઓ હાથમાં એક મોટું સ્પીકર લઈને આવ્યા હતા, જેમાં ગીતો વાગી રહ્યા છે. તે એકદમ કૂલ હતા, આવતાની સાથે જ કહ્યું, અરે આવી જાવો.. અમારું નામ બોલ્યા અને કહ્યું કે ડરવાની કોઈ જરૂર નથી.. હું છું ને.. બસ ત્યાંથી જ અમારું બોન્ડિંગ બની ગયું હતું. અમે બધા સેટ પર સાથે જમતા, વાતો કરતા, તેમની સલાહ લેતાં. તે સેટ પર પણ બધાં સાથે એક જેવું જ વર્તન કરતા હતા. ક્યારેય લાગ્યું નથી કે તે કોઈ મોટા સ્ટાર છે અને ટેન્ટ્રમ કરી રહ્યો છે. અમે તેમની જર્ની વિશે જાણવા માટે ખૂબ જ ઉત્સુક રહેતા હતા. તેને પૂછતા હતા કે અમારું ફ્યુચર કેવું હશે. તે કહેતા હતા કે જો તમે સખત મહેનત કરો અને તેનાથી તમે ભાગશો તો કંઈ જ શક્ય નથી.

Latest News Updates

ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
g clip-path="url(#clip0_868_265)">