હૈદરાબાદમાં અસદુદ્દીન ઓવૈસીની સતત 5મી જીત, માધવી લતાને 3 લાખ, જ્યારે અન્નામલાઈની 1 લાખ મતોથી હાર

હૈદરાબાદમાં AIMIM અને કોંગ્રેસ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી રહી છે. આ બેઠક પરથી ભાજપે મહિલા ઉમેદવાર માધવી લતાને મેદાનમાં ઉતારીને રાજકારણ બદલવાનો પ્રયાસ કર્યો હતો.

હૈદરાબાદમાં અસદુદ્દીન ઓવૈસીની સતત 5મી જીત, માધવી લતાને 3 લાખ, જ્યારે અન્નામલાઈની 1 લાખ મતોથી હાર
Image Credit source: Social Media
Follow Us:
| Updated on: Jun 04, 2024 | 9:20 PM

AIMIMના ઉમેદવાર અસદુદ્દીન ઓવૈસી તેલંગાણાની હૈદરાબાદ લોકસભા સીટ પરથી પાંચમી વખત જીત્યા છે. આ દરમિયાન તેમણે ભાજપના ઉમેદવાર માધવી લતાને 3 લાખ 30 હજારથી વધારે મતોથી હરાવ્યા હતા. જો કે, માધવી લતાની એન્ટ્રી સાથે, સ્પર્ધા ખૂબ જ અઘરી બની ગઈ. પરંતુ, વિસ્તારના લોકોએ ભાજપના ઉમેદવાર માધવી લતાને નકારી કાઢી હતી.

ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના વડા અસદુદ્દીન ઓવૈસીનું આ સીટ પર ઘણા વર્ષોથી વર્ચસ્વ છે. જો કે આ વખતે ભાજપે માધવી લતાને મેદાનમાં ઉતાર્યા હતા. ચૂંટણી પંચના આંકડા મુજબ અસદુદ્દીન ઓવૈસીને 6 લાખ 61 હજારથી વધારે વોટ મળ્યા છે. જ્યારે તેમના હરીફ ભાજપના ઉમેદવાર માધવી લતાને 3 લાખ 23 હજારથી વધારે મત મળ્યા હતા.

અસદુદ્દીન ઓવૈસીએ તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડીને અભિનંદન પાઠવ્યા હતા

AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીને અભિનંદન પાઠવ્યા છે. તેમણે કહ્યું કે મને લાગે છે કે ભાજપ બહુમતીના આંકડાથી દૂર રહેશે, પરંતુ હવે આગળ શું થશે તે હું કહી શકતો નથી. કારણ કે, ભાજપે નફરતની રાજનીતિ કરી હતી.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

આ સાથે ઓવૈસીએ કહ્યું કે હું હૈદરાબાદના લોકોનો આભાર માનવા માંગુ છું કારણ કે તેઓએ મજલિસને પાંચમી વખત સફળ બનાવી છે. હું હૈદરાબાદના લોકોનો, ખાસ કરીને યુવાનો, મહિલાઓ અને પ્રથમ વખતના મતદારોનો આભાર માનું છું, જેમણે AIMIM પાર્ટીને ઐતિહાસિક સફળતા અપાવી છે.

1952થી 1984 સુધી હૈદરાબાદ સીટ પર કોંગ્રેસનો કબજો હતો

જો કે, રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા ચાલી રહી હતી કે શું ઈતિહાસ મહિલા માધવી લતા દ્વારા ફરીથી લખવામાં આવશે. પરંતુ, હંમેશાની જેમ, AIMIM ઉમેદવાર અસદુદ્દીન ઓવૈસીને મોટી સફળતા મળી. તમને જણાવી દઈએ કે હૈદરાબાદ લોકસભા સીટ 1952થી 1984 સુધી કોંગ્રેસ પાસે અને એકવાર તેલંગાણા પ્રજા સમિતિ પાસે હતી. પરંતુ, 1984થી, AIMIM આ જગ્યા પર સતત કબજો કરી રહી છે.

તે જ સમયે, 1984થી 2004 સુધી, AIMIM ઉમેદવાર અસદુદ્દીન ઓવૈસીના પિતા સુલતાન સલાહુદ્દીન ઓવૈસી સતત હૈદરાબાદ બેઠક પરથી જીતતા રહ્યા. ત્યારથી આ સીટ પર અસદુદ્દીનનો દબદબો છે, જેના કારણે ઓવૈસી સતત પાંચમી વખત આ સીટ પર જંગી મતોથી જીત્યા છે. ઉલ્લેખનીય છે કે અસદુદ્દીન ઓવૈસી વર્ષ 2004માં પહેલીવાર ચૂંટણી લડ્યા હતા અને 1 લાખ વોટથી જીત્યા હતા. આ પછી, તેમણે 2009, 2014 અને 2019માં પણ ચૂંટણી જીતી અને હૈદરાબાદ તેમનું ગઢ બની ગયું છે.

તમિલનાડુમાં કે અન્નામલાઈની હાર

તમિલનાડુની વાત કરીએ તો કોઈમ્બતુર બેઠક પર ભાજપના ફાયર બ્રાંડ નેતા કે અન્નામલાઈ પાછળ ચાલી રહ્યા છે અને લગભગ તેમની હાર નિશ્ચિત છે, ત્યારે DMKના ગનપથી રાજકુમાર તેમનાથી 1 લાખ કરતા વધારે મતથી આગળ ચાલી રહ્યા છે.

આ પણ વાંચો: રાયબરેલી કે વાયનાડ, રાહુલ ગાંધી ક્યાંથી સાંસદ રહેશે અને કઈ સીટ છોડશે? એક મિનિટ રોકાઈને રાહુલે આપ્યો આ જવાબ- Video

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">