AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Election 2022 : ચૂંટણી પહેલા જ્ઞાતિ આધારિત રાજકારણ પ્રબળ, પાટીદાર સમાજે વસ્તી પ્રમાણે રાજકીય વર્ચસ્વની કરી માંગ

રાજ્યમાં 15 ટકાની વસ્તી ધરાવતો પાટીદાર સમાજ રાજ્યના રાજકારણમા (Gujarat Politics) ખુબ જ મહત્વનું પાસું ધરાવે છે.

Gujarat Election 2022 : ચૂંટણી પહેલા જ્ઞાતિ આધારિત રાજકારણ પ્રબળ, પાટીદાર સમાજે વસ્તી પ્રમાણે રાજકીય વર્ચસ્વની કરી માંગ
Gujarat Election 2022
Mohit Bhatt
| Edited By: | Updated on: Oct 10, 2022 | 8:19 AM
Share

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું (Gujarat Election) કાઉન્ટ ડાઉન શરૂ થયું છે, ત્યારે પાટીદાર સમાજે ચૂંટણી પહેલા રાજકીય પક્ષો પાસે ટિકિટની માંગણી કરતા રાજકારણ ગરમાયું છે. રાજ્યમાં પાટીદાર સમાજ (patidar) 15 ટકા વસ્તી ધરાવે છે અને વસ્તીના આધારે પાટીદાર સમાજ હવે ટિકિટની માંગણી પણ શરૂ કરી દીધી છે. તાજેતરમાં રાજકોટ (Rajkot) ખાતે લેઉવા પટેલ અને કડવા પટેલ સમાજની એક મહત્વની બેઠક મળી હતી, જેમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને ચર્ચાઓ કરવામાં આવી હતી.

પાટીદારનો રાજકીય પ્રભાવ અને વગ વધારે

સામાન્ય રીતે વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકીય ગણિતમાં જાતિગત સમીકરણોની ચર્ચા થતી હોય છે. વસ્તીની ગણતરીએ જોઇએ તો લેઉવા પાટીદાર સમાજ સૌરાષ્ટ્ર,(Saurashtra)  મધ્ય ગુજરાત અને સુરતમાં વર્ચસ્વ ધરાવે છે. તો સૌરાષ્ટ્રના રાજકોટ,અમરેલી,જુનાગઢ,જામનગર જિલ્લામાં પણ તેનુ અમુક અંશે પ્રભુત્વ છે. આ ઉપરાંત કચ્છ અને ભાવનગર બેઠક પર પણ અસર કરી શકે છે. તો મધ્ય ગુજરાતની અમદાવાદની કેટલીક બેઠકો અને સુરત વિધાનસભાની બેઠકો( Surat Assembly seat)મળીને કુલ 50 જેટલી બેઠકોમાં તેઓ વર્ચસ્વ ધરાવે છે. કડવા પાટીદાર સમાજ પણ સૌરાષ્ટ્રમાં મોરબી,રાજકોટ બેઠક પર પ્રભાવ ધરાવે છે. તો ઉત્તર ગુજરાતની બેઠકો મળીને કુલ 50 થી વધારે બેઠકો પર તેઓનું વર્ચસ્વ છે તેમ કહી શકાય.

પાટીદાર સમાજના પ્રમુખ જેરામ પટેલે આપ્યું મોટુ નિવેદન

તાજેતરમાં જુનાગઢ ખાતે કડવા પાટીદાર સમાજની પણ બેઠક મળી હતી. જેમાં કડવા પાટીદાર સમાજના પ્રમુખ જેરામ પટેલે (Jeram Patel))  કહ્યું હતું કે રાજકારણમાં વસતીના પ્રમાણે મહત્વ મળવું જોઇએ. ચૂંટણી છે તો આ સંમેલનને શક્તિ પ્રદર્શન ગણવું હોય તો ગણી શકાય છે. રાજકીય પાર્ટીઓ (Political party) પાસે ટિકીટની માંગણી કરવામાં આવશે. મહત્વનું છે કે જેરામ પટેલનો ઝુકાવ ભાજપ પ્રત્યે રહ્યો છે ત્યારે ભાજપમાં ટિકીટને લઇને દબાણ ઉભું કરવાનો પ્રયાસ થઇ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.

ચૂંટણીમાં પાટીદારનો ‘પાવર’

તમને જણાવી દઈએ કે, 15 ટકાની વસ્તી ધરાવતો પાટીદાર સમાજ રાજ્યના રાજકારણમા (Gujarat Politics) ખૂબ જ મહત્વનું પાસું ધરાવે છે. જો કે હાલ રાજ્યમા OBC સમાજ 40 ટકા છે,જ્યારે પાટીદાર 15 ટકા છે પરંતુ રાજકીય પ્રભાવ અને વગ વધારે છે, સમાજ એક થઈ ચૂંટણીમાં લડતો હોવાથી તેઓનું અમુક બેઠક પર વર્ચસ્વ જળવાઈ રહે છે.

જો વિગતે વાત કરીએ તો રાજ્યમાં કડવા અને લેઉવા પાટીદાર સમુદાયની 15 ટકા વસ્તી છે. જેમાં 2012માં 182 ધારાસભ્યો માંથી 50 ધારાસભ્યો પાટીદાર સમુદાયમથી હતા. જેમાં ભાજપમાંથી 36 ધારાસભ્યો ચૂંટાઈને આવ્યા હતા. જો કે પાટીદાર આંદોલન બાદ સમીકરણ બદલાયા અને કોંગ્રેસ પાર્ટીમાં પાટીદાર ઉમેદવારો વધ્યા. વર્ષ 2017માં ભાજપના 28 જ્યારે કોંગ્રેસમાંથી 20 પાટીદાર ધારાસભ્યોએ જીત મેળવી. જો કે આ વખતે ગુજરાતમાં ત્રિપાંખિયો જંગ જામશે, ત્યારે આ વખતનો પાટીદાર પાવર તો ચૂંટણીના પરિણામો જ બતાવશે.

નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
g clip-path="url(#clip0_868_265)">