AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Election 2022 : સૌરાષ્ટ્રની આ હાઈ પ્રોફાઈલ બેઠક ગણાય છે પાટીદારનો ‘ગઢ’, જાણો શું છે અહીંના મતદારોનો મિજાજ

આ વખતની ચૂંટણીમાં ત્રિ-પાંખિયો જંગ ખેલાવાનો છે, ત્યારે કોંગ્રેસ પોતાની બેઠક જાળવવા એડિચોટીનું જોર લગાવી રહી છે. તો ભાજપ ફરી સત્તા પર આવવા મથામણ કરી રહી છે.

Gujarat Election 2022 : સૌરાષ્ટ્રની આ હાઈ પ્રોફાઈલ બેઠક ગણાય છે પાટીદારનો 'ગઢ', જાણો શું છે અહીંના મતદારોનો મિજાજ
Dhoraji Assembly Seat
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 25, 2022 | 1:35 PM
Share

ગુજરાત વિધાનસભા ચૂંટણીનું (Gujarat Assembly Election) કાઉન્ટડાઉન શરૂ થઈ ગયુ છે, ત્યારે દરેક રાજકીય પાર્ટી પ્રચાર થકી મતદારોને રીઝવવા એડી ચોટીનું જોર લગાવી રહી છે. ત્યારે TV9 ની વિશેષ રજૂઆતમાં વાત એક એવી બેઠકની. જ્યાં પાટીદાર અનામત આંદોલનનો સીધો લાભ કોંગ્રેસને (Congress) મળ્યો. એવી બેઠક જ્યાં કડવા અને લેઉવા પાટીદાર સમાજનું (Patidar) પ્રભુત્વ છે. અમે વાત કરી રહ્યા છીએ રાજકોટની ધોરાજી વિધાનસભા બેઠકની. અહીં કોંગ્રેસના પાટીદાર નેતા લલિત વસોયાની જીત અને ભાજપને હારનો સામનો કરવો પડ્યો.

વર્ષ 2017માં કોંગ્રેસના પંજાનો પરચમ લહેરાયો

ધોરાજી વિધાનસભા બેઠકના (Dhoraji Assembly Seat) રાજકીય ઇતિહાસની વાત કરીએ તો 1962થી અત્યાર સુધી 15 વખત ચૂંટણી યોજાઇ ચૂકી છે. જેમાં 1962થી 1980 સુધી કોંગ્રેસનો દબદબો રહ્યો. તો 1990થી 2009 સુધી ભાજપે અહીં જીત મેળવી. એટલે કે 6 વખત ભાજપ અને 8 વખત કોંગ્રેસની જીત થઇ, પરંતુ 2013માં વિઠ્ઠલ રાદડિયા પક્ષપલટો કરી ભાજપમાં જોડાયા અને પેટાચૂંટણી યોજાઇ. જેમાં ભાજપમાંથી પ્રવિણ માંકડિયાની જીત થઇ હતી. તો 2017માં કોંગ્રેસના (Congress)  પંજાનો પરચમ લહેરાયો.

જો કે 2022માં રાજકીય સમીકરણો બદલાયા છે. આ વખતની ચૂંટણીમાં ત્રિ-પાંખિયો જંગ ખેલાવાનો છે, ત્યારે કોંગ્રેસ પોતાની બેઠક જાળવવા એડિચોટીનું જોર લગાવી રહી છે. તો ભાજપ ફરી સત્તા પર આવવા મથામણ કરી રહી છે. જ્યારે આમ આદમી પાર્ટી પણ પોતાની પકડ મજબૂત બનાવવા પ્રયાસ કરી રહી છે, ત્યારે મતદારોના કેવા છે પ્રશ્નો અને કેવો છે મતદારોનો મિજાજ આવો જાણીએ.

વિઠ્ઠલ રાદડીયાએ પક્ષપલટો કરતા રાજકીય સમીકરણો બદલાયા

આ વિધાનસભા બેઠકમાં 2017માં કોંગ્રેસના લલિત વસોયાને 85,070 મત મળ્યા, તો ભાજપના હરિ પટેલને 59,985 મત મળ્યા. તેથી લલિત વસોયાએ 25,085 મતેથી જીત મેળવી. તો 2012માં કોંગ્રેસના વિઠ્ઠલ રાદડીયાને (Vitthal Radadiya) 76,189 મત મળ્યા, તો ભાજપના હરિ પટેલને 73,246 મત મળ્યા. એટલે કે કોંગ્રેસના વિઠ્ઠલ રાદડીયા 2,943 મતેથી જીત્યા.

જો આ બેઠકના રાજકીય ઇતિહાસની વાત કરીએ તો 1962થી 2017 સુધી 15 વખત ચૂંટણી યોજાઇ છે. જેમાં 1962થી 1980 સુધી કોંગ્રેસનો દબદબો રહ્યો. તો 1990થી 2009 સુધી ભાજપે અહીં કાઠુ કાઢ્યુ. એટલે કે 6 વખત ભાજપ અને 8 વખત કોંગ્રેસની જીત થઈ છે. ધોરાજી આમ તો વિઠ્ઠલભાઈ રાદડિયાનો ગઢ ગણાય છે. 1990 થી 2012 સુધી આ આ બેઠક પરથી વિઠ્ઠલ રાદડિયા 7 વખત ચૂંટાયા છે. જો કે 2012માં વિઠ્ઠલ રાદડીયાએ પક્ષપલટો કરતા પેટાચૂંટણી યોજવામાં આવતા સત્તાના સમીકરણો બદલાયા.

Follow Us
આજનું રાશિફળ : વ્યાપાર, ધનલાભ અને કરિયરમાં પ્રગતિના યોગ, વાંચો રાશિફળ
આજનું રાશિફળ : વ્યાપાર, ધનલાભ અને કરિયરમાં પ્રગતિના યોગ, વાંચો રાશિફળ
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
g clip-path="url(#clip0_868_265)">