AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Election 2022 : સૌરાષ્ટ્રની આ હાઈ પ્રોફાઈલ બેઠક ગણાય છે પાટીદારનો ‘ગઢ’, જાણો શું છે અહીંના મતદારોનો મિજાજ

આ વખતની ચૂંટણીમાં ત્રિ-પાંખિયો જંગ ખેલાવાનો છે, ત્યારે કોંગ્રેસ પોતાની બેઠક જાળવવા એડિચોટીનું જોર લગાવી રહી છે. તો ભાજપ ફરી સત્તા પર આવવા મથામણ કરી રહી છે.

Gujarat Election 2022 : સૌરાષ્ટ્રની આ હાઈ પ્રોફાઈલ બેઠક ગણાય છે પાટીદારનો 'ગઢ', જાણો શું છે અહીંના મતદારોનો મિજાજ
Dhoraji Assembly Seat
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 25, 2022 | 1:35 PM
Share

ગુજરાત વિધાનસભા ચૂંટણીનું (Gujarat Assembly Election) કાઉન્ટડાઉન શરૂ થઈ ગયુ છે, ત્યારે દરેક રાજકીય પાર્ટી પ્રચાર થકી મતદારોને રીઝવવા એડી ચોટીનું જોર લગાવી રહી છે. ત્યારે TV9 ની વિશેષ રજૂઆતમાં વાત એક એવી બેઠકની. જ્યાં પાટીદાર અનામત આંદોલનનો સીધો લાભ કોંગ્રેસને (Congress) મળ્યો. એવી બેઠક જ્યાં કડવા અને લેઉવા પાટીદાર સમાજનું (Patidar) પ્રભુત્વ છે. અમે વાત કરી રહ્યા છીએ રાજકોટની ધોરાજી વિધાનસભા બેઠકની. અહીં કોંગ્રેસના પાટીદાર નેતા લલિત વસોયાની જીત અને ભાજપને હારનો સામનો કરવો પડ્યો.

વર્ષ 2017માં કોંગ્રેસના પંજાનો પરચમ લહેરાયો

ધોરાજી વિધાનસભા બેઠકના (Dhoraji Assembly Seat) રાજકીય ઇતિહાસની વાત કરીએ તો 1962થી અત્યાર સુધી 15 વખત ચૂંટણી યોજાઇ ચૂકી છે. જેમાં 1962થી 1980 સુધી કોંગ્રેસનો દબદબો રહ્યો. તો 1990થી 2009 સુધી ભાજપે અહીં જીત મેળવી. એટલે કે 6 વખત ભાજપ અને 8 વખત કોંગ્રેસની જીત થઇ, પરંતુ 2013માં વિઠ્ઠલ રાદડિયા પક્ષપલટો કરી ભાજપમાં જોડાયા અને પેટાચૂંટણી યોજાઇ. જેમાં ભાજપમાંથી પ્રવિણ માંકડિયાની જીત થઇ હતી. તો 2017માં કોંગ્રેસના (Congress)  પંજાનો પરચમ લહેરાયો.

જો કે 2022માં રાજકીય સમીકરણો બદલાયા છે. આ વખતની ચૂંટણીમાં ત્રિ-પાંખિયો જંગ ખેલાવાનો છે, ત્યારે કોંગ્રેસ પોતાની બેઠક જાળવવા એડિચોટીનું જોર લગાવી રહી છે. તો ભાજપ ફરી સત્તા પર આવવા મથામણ કરી રહી છે. જ્યારે આમ આદમી પાર્ટી પણ પોતાની પકડ મજબૂત બનાવવા પ્રયાસ કરી રહી છે, ત્યારે મતદારોના કેવા છે પ્રશ્નો અને કેવો છે મતદારોનો મિજાજ આવો જાણીએ.

વિઠ્ઠલ રાદડીયાએ પક્ષપલટો કરતા રાજકીય સમીકરણો બદલાયા

આ વિધાનસભા બેઠકમાં 2017માં કોંગ્રેસના લલિત વસોયાને 85,070 મત મળ્યા, તો ભાજપના હરિ પટેલને 59,985 મત મળ્યા. તેથી લલિત વસોયાએ 25,085 મતેથી જીત મેળવી. તો 2012માં કોંગ્રેસના વિઠ્ઠલ રાદડીયાને (Vitthal Radadiya) 76,189 મત મળ્યા, તો ભાજપના હરિ પટેલને 73,246 મત મળ્યા. એટલે કે કોંગ્રેસના વિઠ્ઠલ રાદડીયા 2,943 મતેથી જીત્યા.

જો આ બેઠકના રાજકીય ઇતિહાસની વાત કરીએ તો 1962થી 2017 સુધી 15 વખત ચૂંટણી યોજાઇ છે. જેમાં 1962થી 1980 સુધી કોંગ્રેસનો દબદબો રહ્યો. તો 1990થી 2009 સુધી ભાજપે અહીં કાઠુ કાઢ્યુ. એટલે કે 6 વખત ભાજપ અને 8 વખત કોંગ્રેસની જીત થઈ છે. ધોરાજી આમ તો વિઠ્ઠલભાઈ રાદડિયાનો ગઢ ગણાય છે. 1990 થી 2012 સુધી આ આ બેઠક પરથી વિઠ્ઠલ રાદડિયા 7 વખત ચૂંટાયા છે. જો કે 2012માં વિઠ્ઠલ રાદડીયાએ પક્ષપલટો કરતા પેટાચૂંટણી યોજવામાં આવતા સત્તાના સમીકરણો બદલાયા.

ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
g clip-path="url(#clip0_868_265)">