Bharuch Election Result 2022 LIVE Updates: ભરૂચ ભેઠક ઉપર રમેશ મિસ્ત્રીની જીત
ભરૂચ વિધાનસભા બેઠક પર 1990થી ભાજપ સતત 32 વર્ષથી જીતતી આવી છે. ભરૂચ વિધાનસભામાં કુલ મતદારોની સંખ્યા આશરે 2 લાખથી વધુ છે. ભરૂચ વિધાનસભા બેઠક પર રમેશભાઈ મિસ્ત્રીની જીત થઈ છે.
ગુજરાતની ભરૂચ બેઠકનું પરિણામ 2022 LIVE Updates: Gujarat Election Result Live ભરૂચ બેઠક પર ભાજપના ઉમેદવાર રમેશભાઈ મિસ્ત્રીની જીત થઈ છે. કોંગ્રેસે ભરૂચ વિધાનસભા બેઠક પર જયકાન્તભાઈ પટેલને ટિકિટ આપી ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા. તેમની પાસે રૂપિયા 14035229 ની જંગમ મિલકત છે. તેમને 5 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે. ત્યારે ભાજપે રમેશભાઈ મિસ્ત્રીને ટિકિટ આપી છે. તેમની પાસે રૂપિયા 7042779.57 ની જંગમ મિલકત છે. અભ્યાસની વાત કરીએ તો તેમને 11 ધોરણ સુધીનું શિક્ષણ મેળવ્યું છે. ત્યારે આમ આદમી પાર્ટીએ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર સામે મનહરભાઈ મગનભાઈ પરમારને ઉમેદવાર તરીકે ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. તેમની પાસે રૂપિયા 2100000ની જંગમ મિલકત છે. અભ્યાસની વાત કરીએ તો તેઓએ S.Y Bcom નો અભ્યાસ કર્યો છે.
ભરૂચ જિલ્લામાં 5 વિધાનસભાની બેઠકો આવેલી છે. જે પૈકી ભરૂચ વિધાનસભામાં કુલ મતદારોની સંખ્યા આશરે 2 લાખથી વધુ છે. ભરૂચ વિધાનસભા બેઠક પર 1990થી ભાજપ સતત 32 વર્ષથી જીતતી આવી છે. 1990થી બિપીન ચંદ્ર શાહ સતત 3 વાર ધારાસભ્ય બન્યા હતા, ત્યાર બાદ રમેશભાઈ મિસ્ત્રી ધારાસભ્ય તરીકે રહ્યા હતા. વર્તમાન ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ સતત 3 ટર્મથી જીતતા આવ્યા છે. વર્તમાન ધારાસભ્ય દુષ્યંત ભાઈ પટેલ વિધાનસભાના નાયબ મુખ્ય દંડકનો હોદ્દો પણ સંભાળી રહ્યા છે.
ભરૂચ બેઠક પર ભાજપની જીત
કોંગ્રેસે ભરૂચ વિધાન સભા બેઠક પર જયકાન્તભાઈ પટેલને ટિકિટ આપી ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. તેમની પાસે રૂપિયા 14035229 ની જંગમ મિલકત છે. તેમને 5 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે. ત્યારે ભાજપે રમેશભાઈ મિસ્ત્રીને ટિકિટ આપી છે. તેમની પાસે રૂપિયા 7042779.57 ની જંગમ મિલકત છે. અભ્યાસની વાત કરીએ તો તેમને 11 ધોરણ સુધીનું શિક્ષણ મેળવ્યું છે. ત્યારે આમ આદમી પાર્ટીએ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર સામે મનહરભાઈ મગનભાઈ પરમારને ઉમેદવાર તરીકે ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. તેમની પાસે રૂપિયા 2100000ની જંગમ મિલકત છે. અભ્યાસની વાત કરીએ તો તેઓએ S.Y Bcom નો અભ્યાસ કર્યો છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે કેટલાય ટિકિટ ઈચ્છુઓએ દાવેદારી કરી છે જેના કારણે ભરૂચ જિલ્લામાં ભાજપમાંથી 82 ઉમેદવારોએ પોતાની દાવેદારી કરી છે તો કોંગ્રેસમાંથી પણ 100થી વધુ લોકોએ દાવેદારી કરી છે આ બે પક્ષ સિવાય આમ આદમી પાર્ટી પણ ત્રિપાંખિયા જંગ સમાન મેદાનમાં ઉતરી છે, જેના પગલે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામનાર છે.
આ પણ વાંચો: