AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Vidya Lakshmi Yojana હેઠળ આ વિદ્યાર્થીઓને મળશે લોન, કોલેજના રેન્કિંગ પર યોગ્યતા થશે નક્કી

PM Vidya Lakshmi Yojana Eligibility હેઠળ તમામ વિદ્યાર્થીઓને લોન મળશે નહીં. 8 લાખની વાર્ષિક કૌટુંબિક આવક સાથે પ્રવેશ લેતી કોલેજોનું રેન્કિંગ લોનની પાત્રતા નક્કી કરશે. ચાલો જાણીએ કે ક્યા વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળશે.

PM Vidya Lakshmi Yojana હેઠળ આ વિદ્યાર્થીઓને મળશે લોન, કોલેજના રેન્કિંગ પર યોગ્યતા થશે નક્કી
PM Vidya Lakshmi Yojana (2)
| Updated on: Nov 07, 2024 | 12:46 PM
Share

કેન્દ્રીય કેબિનેટે 6 નવેમ્બરે ઉચ્ચ શિક્ષણમાં હોશિયાર વિદ્યાર્થીઓને નાણાકીય સહાય પૂરી પાડવા માટે PM વિદ્યાલક્ષ્મી યોજનાને મંજૂરી આપી હતી. આ યોજનાનો ઉદ્દેશ્ય દર વર્ષે દેશની ટોપની 860 ગુણવત્તાયુક્ત ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ મેળવનારા 22 લાખથી વધુ વિદ્યાર્થીઓને શૈક્ષણિક લોન આપવાનો છે. ચાલો જાણીએ કે આ યોજના હેઠળ કયા વિદ્યાર્થીઓને ફાયદો થશે અને લોન કેવી રીતે મેળવવી યોગ્યતા શું હોવી જોઈએ.

વિદ્યાર્થીઓ 7.5 લાખ રૂપિયા સુધીની લોન મેળવી શકશે

આ યોજના હેઠળ વિદ્યાર્થીઓ 7.5 લાખ રૂપિયા સુધીની લોન મેળવી શકે છે. જેમાં ભારત સરકાર કવરેજ વધારવામાં મદદ કરવા માટે બેંકોને 75 ટકા ક્રેડિટ ગેરંટી આપશે. આ ઉપરાંત 8 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ધરાવતા પરિવારોના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે 3 ટકા વ્યાજ સબસિડી સાથે 10 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે.

 લોન પાત્રતા કોલેજના રેન્કિંગ દ્વારા નક્કી થશે

પીએમ વિદ્યાલક્ષ્મી યોજના હેઠળ ફક્ત તે જ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે લોન મળશે, જેમની કુટુંબની આવક પ્રતિ વર્ષ 8 લાખ રૂપિયા છે. આ સાથે જે કોલેજમાં વિદ્યાર્થી પ્રવેશ લઈ રહ્યા છે તેનું NIRF રેન્કિંગ 100 હોવું જોઈએ. રાજ્ય કક્ષાએ કોલેજનું રેન્કિંગ 200 થી વધુ ન હોવું જોઈએ અને કોલેજ સરકારી હોવી જોઈએ. આ વર્ષે NIRF રેન્કિંગ અનુસાર આ યોજનાનો લાભ કુલ 860 શૈક્ષણિક સંસ્થાઓને આપવામાં આવશે. જે લગભગ 22 લાખ વિદ્યાર્થીઓને આવરી લેશે.

લોન માટે ક્યાં અને કેવી રીતે અરજી કરવી?

પીએમ વિદ્યાલક્ષ્મી યોજના હેઠળ લોન લેવા માટે વિદ્યાર્થીએ ઓફિશિયલ વેબસાઇટ vidyalakshmi.co.in પર જઈને અરજી કરવાની રહેશે. અરજી કરવા માટે વિદ્યાર્થીઓએ 10 અને 12માં 50% પાસ હોવા જોઈએ. આ સાથે જે કોલેજમાં એડમિશન લઈ રહ્યા છે તેનો પત્ર પણ આવશે. ત્યાર બાદ વેરિફિકેશન કરવામાં આવશે. ત્યાર બાદ જ સંબંધિત વિદ્યાર્થીઓને યોજનાનો લાભ આપવામાં આવશે.

ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">