AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Edible Oil: ઈન્ડોનેશિયામાં શરૂ થયું પામ ઓઈલનું સંકટ, ભારતમાં ખાદ્ય તેલ થઈ શકે છે મોંઘુ

Edible Oil Price Hike: દેશમાં તાજેતરમાં પેટ્રોલ(Petrol),ડીઝલ, દૂધ, સીએનજી અને પીએનજીના ભાવમાં થયેલા વધારા વચ્ચે ખાદ્યતેલોની વધુ મોંઘવારી લોકોની મુશ્કેલીમાં વધારો કરી શકે છે.

Edible Oil: ઈન્ડોનેશિયામાં શરૂ થયું પામ ઓઈલનું સંકટ, ભારતમાં ખાદ્ય તેલ થઈ શકે છે મોંઘુ
Edible Oil Price Hike (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 16, 2022 | 9:02 AM
Share

ભારતમાં ખાદ્યતેલના ભાવમાં હોળી પછી છેલ્લા કેટલાક દિવસોમાં થોડી નરમાઈ જોવા મળી હતી, પરંતુ હવે ગુરુવારથી ફરી એકવાર તેના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ઓલ ઈન્ડિયા એડિબલ ઓઈલ ટ્રેડર્સ ફેડરેશનના રાષ્ટ્રીય અધ્યક્ષ શંકર ઠક્કરે જણાવ્યું હતું કે ભારતમાં ખાદ્ય તેલ(Edible Oil)અને ખાસ કરીને પામ ઓઈલના ભાવમાં ફરી વધારો થવાની સંભાવના છે. પહેલાથી જ મોંઘવારી સામે ઝઝૂમી રહેલા સામાન્ય માણસ માટે આ મોટો આંચકો હોઈ શકે છે. દેશમાં તાજેતરમાં પેટ્રોલ(Petrol),ડીઝલ, દૂધ, સીએનજી અને પીએનજીના ભાવમાં થયેલા વધારા વચ્ચે ખાદ્યતેલોની વધુ મોંઘવારી લોકોની મુશ્કેલીમાં વધારો કરી શકે છે. ભારત ખાદ્યતેલોની બાબતમાં અન્ય દેશો એટલે કે આયાત(Import)પર નિર્ભર છે.

ઠક્કરે જણાવ્યું હતું કે ઇન્ડોનેશિયામાં પામ ઓઇલની(Palm Oil)કટોકટીને કારણે ભારતમાં ખાદ્યતેલના ભાવ વધી શકે છે. વિશ્વમાં પામ તેલના સૌથી મોટા ઉત્પાદકો અને નિકાસકારોમાંના એક એવા ઈન્ડોનેશિયામાં પામ ઓઈલની અછત સાથે તે ખૂબ જ અલગ પ્રકારનું સંકટ છે. અછત એટલી મોટી છે કે ઇન્ડોનેશિયાની સરકારે કિંમતોને નિયંત્રિત કરવા માટે ઘણા પગલાં લેવા પડ્યા છે. આમાં કેટલાક ભાવ નિયંત્રણો અને નિકાસ પગલાંનો સમાવેશ થાય છે.

કેટલો વધ્યો ભાવ

ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા એડિબલ ઓઈલ ટ્રેડર્સે અહેવાલ આપ્યો કે માર્ચ 2021માં ઈન્ડોનેશિયામાં એક ટન બ્રાન્ડેડ રસોઈ તેલની કિંમત 14,000 ઈન્ડોનેશિયન રૂપિયા હતી. માર્ચ 2022માં તે વધીને 22,000 ઈન્ડોનેશિયન રૂપિયા થઈ ગઈ છે. આ રીતે દેશમાં ખાદ્યતેલોના ભાવમાં એક વર્ષમાં 57 ટકાનો વધારો થયો છે. 1 ફેબ્રુઆરીના રોજ, ઇન્ડોનેશિયાની સરકારે છૂટક કિંમતની મર્યાદા નક્કી કરી. સ્થાનિક સ્તરે કિંમતોને નિયંત્રિત કરવા ઉપરાંત સરકારે નિકાસકારો માટે નિયમો કડક બનાવ્યા છે.

ઈન્ડોનેશિયાની અસર ભારતમાં જોવા મળશે

ઠક્કરે જણાવ્યું હતું કે સરકારે નિકાસકારો માટે તેમના 20 ટકા શિપમેન્ટ સ્થાનિક બજારમાં વેચવાનું ફરજિયાત બનાવ્યું છે. બાદમાં, એક સપ્તાહની અંદર, સ્થાનિક બજારમાં 30 ટકા વેચવાનું ફરજિયાત બનાવવા માટે તેમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર પામ ઓઈલની અછતને જોતા ઈન્ડોનેશિયાની સરકાર તેની નિકાસ પર પ્રતિબંધ લગાવવા પર વિચાર કરી રહી છે. ભારત તેનું મોટાભાગનું ખાદ્ય તેલ ઈન્ડોનેશિયાથી આયાત કરે છે. આવી સ્થિતિમાં ઈન્ડોનેશિયામાં પામ ઓઈલની અછતની અસર સ્થાનિક બજારમાં જલ્દી જ જોવા મળી શકે છે.

ભારત તેની જરૂરિયાતના 60% આયાત કરે છે

ભારત તેના 60 ટકાથી વધુ ખાદ્ય તેલ અન્ય દેશોમાંથી આયાત કરે છે. તે જ સમયે, કુલ ખાદ્ય તેલોમાં પામ તેલનો હિસ્સો 60 ટકા છે. આવી સ્થિતિમાં જો સરકાર સમયસર ધ્યાન નહીં આપે તો તેલની કિંમતોને કારણે ભારતના લોકોનું બજેટ બગડી શકે છે. સંગઠનના જનરલ સેક્રેટરી તરુણ જૈને જણાવ્યું હતું કે ‘અમે તેલની કિંમતોને નિયંત્રિત કરવા માટે સરકારને થોડા મહિના પહેલા સૂચનો મોકલ્યા હતા, પરંતુ સરકારે તેની અવગણના કરી છે, જેના કારણે સામાન્ય જનતાને ભારે હાલાકી ભોગવવી પડી શકે છે.’

આ પણ વાંચો: PM Kisan: હવે આધાર વિના નહીં મળે પીએમ કિસાન સ્કીમના પૈસા, નિયમો કરાયા કડક, જાણો શું થયા ફેરફાર

આ પણ વાંચો: ATF Price Today: હવે પ્લેનમાં મુસાફરી કરવી પડશે મોંઘી, જેટ ફ્યુઅલમાં ઉછાળો આવ્યો, જાણો નવીનતમ ભાવ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Follow Us
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
g clip-path="url(#clip0_868_265)">