AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Edible Oil: ઈન્ડોનેશિયામાં શરૂ થયું પામ ઓઈલનું સંકટ, ભારતમાં ખાદ્ય તેલ થઈ શકે છે મોંઘુ

Edible Oil Price Hike: દેશમાં તાજેતરમાં પેટ્રોલ(Petrol),ડીઝલ, દૂધ, સીએનજી અને પીએનજીના ભાવમાં થયેલા વધારા વચ્ચે ખાદ્યતેલોની વધુ મોંઘવારી લોકોની મુશ્કેલીમાં વધારો કરી શકે છે.

Edible Oil: ઈન્ડોનેશિયામાં શરૂ થયું પામ ઓઈલનું સંકટ, ભારતમાં ખાદ્ય તેલ થઈ શકે છે મોંઘુ
Edible Oil Price Hike (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 16, 2022 | 9:02 AM
Share

ભારતમાં ખાદ્યતેલના ભાવમાં હોળી પછી છેલ્લા કેટલાક દિવસોમાં થોડી નરમાઈ જોવા મળી હતી, પરંતુ હવે ગુરુવારથી ફરી એકવાર તેના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ઓલ ઈન્ડિયા એડિબલ ઓઈલ ટ્રેડર્સ ફેડરેશનના રાષ્ટ્રીય અધ્યક્ષ શંકર ઠક્કરે જણાવ્યું હતું કે ભારતમાં ખાદ્ય તેલ(Edible Oil)અને ખાસ કરીને પામ ઓઈલના ભાવમાં ફરી વધારો થવાની સંભાવના છે. પહેલાથી જ મોંઘવારી સામે ઝઝૂમી રહેલા સામાન્ય માણસ માટે આ મોટો આંચકો હોઈ શકે છે. દેશમાં તાજેતરમાં પેટ્રોલ(Petrol),ડીઝલ, દૂધ, સીએનજી અને પીએનજીના ભાવમાં થયેલા વધારા વચ્ચે ખાદ્યતેલોની વધુ મોંઘવારી લોકોની મુશ્કેલીમાં વધારો કરી શકે છે. ભારત ખાદ્યતેલોની બાબતમાં અન્ય દેશો એટલે કે આયાત(Import)પર નિર્ભર છે.

ઠક્કરે જણાવ્યું હતું કે ઇન્ડોનેશિયામાં પામ ઓઇલની(Palm Oil)કટોકટીને કારણે ભારતમાં ખાદ્યતેલના ભાવ વધી શકે છે. વિશ્વમાં પામ તેલના સૌથી મોટા ઉત્પાદકો અને નિકાસકારોમાંના એક એવા ઈન્ડોનેશિયામાં પામ ઓઈલની અછત સાથે તે ખૂબ જ અલગ પ્રકારનું સંકટ છે. અછત એટલી મોટી છે કે ઇન્ડોનેશિયાની સરકારે કિંમતોને નિયંત્રિત કરવા માટે ઘણા પગલાં લેવા પડ્યા છે. આમાં કેટલાક ભાવ નિયંત્રણો અને નિકાસ પગલાંનો સમાવેશ થાય છે.

કેટલો વધ્યો ભાવ

ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા એડિબલ ઓઈલ ટ્રેડર્સે અહેવાલ આપ્યો કે માર્ચ 2021માં ઈન્ડોનેશિયામાં એક ટન બ્રાન્ડેડ રસોઈ તેલની કિંમત 14,000 ઈન્ડોનેશિયન રૂપિયા હતી. માર્ચ 2022માં તે વધીને 22,000 ઈન્ડોનેશિયન રૂપિયા થઈ ગઈ છે. આ રીતે દેશમાં ખાદ્યતેલોના ભાવમાં એક વર્ષમાં 57 ટકાનો વધારો થયો છે. 1 ફેબ્રુઆરીના રોજ, ઇન્ડોનેશિયાની સરકારે છૂટક કિંમતની મર્યાદા નક્કી કરી. સ્થાનિક સ્તરે કિંમતોને નિયંત્રિત કરવા ઉપરાંત સરકારે નિકાસકારો માટે નિયમો કડક બનાવ્યા છે.

ઈન્ડોનેશિયાની અસર ભારતમાં જોવા મળશે

ઠક્કરે જણાવ્યું હતું કે સરકારે નિકાસકારો માટે તેમના 20 ટકા શિપમેન્ટ સ્થાનિક બજારમાં વેચવાનું ફરજિયાત બનાવ્યું છે. બાદમાં, એક સપ્તાહની અંદર, સ્થાનિક બજારમાં 30 ટકા વેચવાનું ફરજિયાત બનાવવા માટે તેમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર પામ ઓઈલની અછતને જોતા ઈન્ડોનેશિયાની સરકાર તેની નિકાસ પર પ્રતિબંધ લગાવવા પર વિચાર કરી રહી છે. ભારત તેનું મોટાભાગનું ખાદ્ય તેલ ઈન્ડોનેશિયાથી આયાત કરે છે. આવી સ્થિતિમાં ઈન્ડોનેશિયામાં પામ ઓઈલની અછતની અસર સ્થાનિક બજારમાં જલ્દી જ જોવા મળી શકે છે.

ભારત તેની જરૂરિયાતના 60% આયાત કરે છે

ભારત તેના 60 ટકાથી વધુ ખાદ્ય તેલ અન્ય દેશોમાંથી આયાત કરે છે. તે જ સમયે, કુલ ખાદ્ય તેલોમાં પામ તેલનો હિસ્સો 60 ટકા છે. આવી સ્થિતિમાં જો સરકાર સમયસર ધ્યાન નહીં આપે તો તેલની કિંમતોને કારણે ભારતના લોકોનું બજેટ બગડી શકે છે. સંગઠનના જનરલ સેક્રેટરી તરુણ જૈને જણાવ્યું હતું કે ‘અમે તેલની કિંમતોને નિયંત્રિત કરવા માટે સરકારને થોડા મહિના પહેલા સૂચનો મોકલ્યા હતા, પરંતુ સરકારે તેની અવગણના કરી છે, જેના કારણે સામાન્ય જનતાને ભારે હાલાકી ભોગવવી પડી શકે છે.’

આ પણ વાંચો: PM Kisan: હવે આધાર વિના નહીં મળે પીએમ કિસાન સ્કીમના પૈસા, નિયમો કરાયા કડક, જાણો શું થયા ફેરફાર

આ પણ વાંચો: ATF Price Today: હવે પ્લેનમાં મુસાફરી કરવી પડશે મોંઘી, જેટ ફ્યુઅલમાં ઉછાળો આવ્યો, જાણો નવીનતમ ભાવ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Follow Us
રાજકોટ સિવિક સેન્ટરમાં જન્મ મરણના દાખલા માટે થયો હોબાળો
રાજકોટ સિવિક સેન્ટરમાં જન્મ મરણના દાખલા માટે થયો હોબાળો
બે મહિલા પોલીસકર્મી લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ
બે મહિલા પોલીસકર્મી લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ
ટેકાના ભાવે 3500 કિલો બાજરી, 2500 કિલો મકાઈ, 1700 કિલો જુવાર ખરીદશે
ટેકાના ભાવે 3500 કિલો બાજરી, 2500 કિલો મકાઈ, 1700 કિલો જુવાર ખરીદશે
ભાજપ નેતાની 7 કરોડની જમીન ખાલસા કરવાનો કલેકટરનો આદેશ
ભાજપ નેતાની 7 કરોડની જમીન ખાલસા કરવાનો કલેકટરનો આદેશ
28 વર્ષ બાદ મમતા બેનર્જીની કોંગ્રેસમાં વાપસીની શક્યતા
28 વર્ષ બાદ મમતા બેનર્જીની કોંગ્રેસમાં વાપસીની શક્યતા
હિંમતનગરના પોશ વિસ્તારમાં ટ્યુશન ક્લાસિસની નીચેથી ઝડપાયો દારૂનો જથ્થો
હિંમતનગરના પોશ વિસ્તારમાં ટ્યુશન ક્લાસિસની નીચેથી ઝડપાયો દારૂનો જથ્થો
સુરતના ડીમોલેશન પહેલાના CCTV સામે આવ્યા
સુરતના ડીમોલેશન પહેલાના CCTV સામે આવ્યા
જામા મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ હોવાનો સ્વામી મુક્તાનંદનો દાવો
જામા મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ હોવાનો સ્વામી મુક્તાનંદનો દાવો
સુરતમાં નાસીરનગર ડિમોલિશન મુદ્દે ભારે હોબાળો, કમિશનર બંગલે ધરણા
સુરતમાં નાસીરનગર ડિમોલિશન મુદ્દે ભારે હોબાળો, કમિશનર બંગલે ધરણા
બે વર્ષથી ગટર અને રોડનું કામ અધૂરું, સ્થાનિકોએ કર્યો 'હલ્લાબોલ'
બે વર્ષથી ગટર અને રોડનું કામ અધૂરું, સ્થાનિકોએ કર્યો 'હલ્લાબોલ'
g clip-path="url(#clip0_868_265)">