ATF Price Today: હવે પ્લેનમાં મુસાફરી કરવી પડશે મોંઘી, જેટ ફ્યુઅલમાં ઉછાળો આવ્યો, જાણો નવીનતમ ભાવ

આજે ફરી જેટ ફ્યુઅલના ભાવમાં (Jet fuel prices) ઉછાળો આવ્યો છે. રાજધાની દિલ્હીમાં ATFની કિંમતમાં 277 રૂપિયાનો વધારો થયો છે અને હવે નવી કિંમત 113202 રૂપિયા પ્રતિ કિલોલીટર થઈ ગઈ છે. આજે સતત 11મા દિવસે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.

ATF Price Today: હવે પ્લેનમાં મુસાફરી કરવી પડશે મોંઘી, જેટ ફ્યુઅલમાં ઉછાળો આવ્યો, જાણો નવીનતમ ભાવ
ATF Price Today
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 16, 2022 | 8:19 AM

ATF Price Today: પેટ્રોલ અને ડીઝલના (Petrol Diesel Price) ભાવમાં આજે સતત 11મા દિવસે કોઈ ઉછાળો જોવા મળ્યો નથી. જોકે, જેટ ફ્યુઅલ (Jet Fuel)ની કિંમતમાં વધારો થયો છે. જેટ ઈંધણની કિંમત 277 રૂપિયા વધીને 113202.33 રૂપિયા પ્રતિ કિલોલીટર થઈ ગઈ છે. 16 એપ્રિલથી નવી કિંમત કોલકાતામાં 117753.60 રૂપિયા પ્રતિ કિલોલીટર, મુંબઈમાં 117981.99 રૂપિયા પ્રતિ કિલોલીટર અને ચેન્નાઈમાં 116933.49 રૂપિયા પ્રતિ કિલોલીટર થઈ ગઈ છે. આ તેજી બાદ દેશમાં જેટ ફ્યુઅલની કિંમત રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલમાં વધારાને કારણે એટીએફ એટલે કે એર ટર્બાઈન ઈંધણના દરમાં સતત વધારો થઈ રહ્યો છે.

આ પહેલા 1 એપ્રિલે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં જેટ ફ્યુઅલ એટલે કે ATFની કિંમત 2 ટકા વધીને 112925 રૂપિયા પ્રતિ કિલોલીટર થઈ ગઈ હતી. આંતરરાષ્ટ્રીય ઉડાન ભરતી સ્થાનિક એરલાઈન્સ માટે રાજધાની દિલ્હીમાં ATFની કિંમત વધીને $1130.88 પ્રતિ કિલોલીટર થઈ ગઈ છે. આ કિંમત કોલકાતામાં $1171.06 પ્રતિ કિલોલીટર, મુંબઈમાં $1127.36 પ્રતિ કિલોલીટર અને ચેન્નાઈમાં $1126 પ્રતિ કિલોલીટર થઈ ગઈ છે.

તેજી 1 એપ્રિલે પણ આવી હતી

અગાઉ 1 એપ્રિલે જેટ ફ્યુઅલની કિંમતમાં ઉછાળો આવ્યો હતો. 1 એપ્રિલે રાજધાની દિલ્હીમાં જેટ ફ્યુઅલ એટલે કે એટીએફની કિંમત 2 ટકા વધીને 112925 રૂપિયા પ્રતિ કિલોલીટર થઈ ગઈ હતી. પહેલા આ કિંમત 110666 રૂપિયા પ્રતિ કિલોલીટર હતી. બેન્ચમાર્ક ઈંધણની સરેરાશ આંતરરાષ્ટ્રીય કિંમતના આધારે દર મહિનાની 1લી અને 16મી તારીખે જેટ ઈંધણના ભાવમાં સુધારો કરવામાં આવે છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

પેટ્રોલ અને ડીઝલમાં કોઈ ફેરફાર નથી

દેશની મોટી ઓઈલ કંપનીઓએ 16 એપ્રિલ શનિવારના રોજ પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. આ સતત 11મો દિવસ છે જ્યારે પેટ્રોલ અને ડીઝલમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તમને જણાવી દઈએ કે 22 માર્ચથી 6 એપ્રિલ સુધી દેશમાં પેટ્રોલની કિંમતમાં 10 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો હતો. 6 એપ્રિલથી કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી. 

એરલાઇન્સ પર ભાડાં વધારવાનું દબાણ

જેટ ઈંધણની કિંમતમાં વધારો થવાથી એરલાઈન્સ પર ભાડામાં વધારો કરવાનું દબાણ છે. જો કે, ભાડામાં વધારાની કોરોના પછી ચાલી રહેલી એરલાઇન પર નકારાત્મક અસર પડશે. એવિએશન મિનિસ્ટર જ્યોતિરાદિત્ય સિંધિયાએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતા કહ્યું કે 12 રાજ્યોમાં ઈંધણ પર 10-30 ટકા વેટ લાગે છે. અમે આ રાજ્યોના સતત સંપર્કમાં છીએ. આ સિવાય નાણા મંત્રાલયને જેટ ઈંધણ પરની એક્સાઈઝ ડ્યુટી ઘટાડવા માટે પણ અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો-Petrol-Diesel Price Today : રાહતના સમાચાર, પેટ્રોલ-ડીઝલ 20 થી 25 ટકા મોંઘા થવાના અંદાજથી વિપરીત સતત 11માં દિવસે કિંમતો સ્થિર

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">