કેળાની ખેતી કરતા ખેડૂતો રહો સાવધાન, આ રોગના ઉપદ્રવને સમયસર અટકાવી પાકને મોટા નુકશાનથી બચાવો

આ બિમારીના કારણે કેળાનો પાક બર્બાદ થઈ જાય છે. તેમા યોગ્ય રીતે ફળનો વિકાસ થતો નથી. જેથી ખેડૂતોને તેની કિંમત પણ સારી મળતી નથી. કેળામાં આવતો આ રોગ ખુબ જ ઘાતક છે. દેશભરના કેળાની ખેતીમાં સૌથી વધુ આ રોગનો ઉપદ્રવ રહે છે.

કેળાની ખેતી કરતા ખેડૂતો રહો સાવધાન, આ રોગના ઉપદ્રવને સમયસર અટકાવી પાકને મોટા નુકશાનથી બચાવો
Banana Farming ( File photo)
| Edited By: | Updated on: Nov 12, 2021 | 1:07 PM

ગુજરાતમાં કેળા(Banana)ની ખેતી સુરત, વડોદરા, આંણદ, ખેડા, જૂનાગઢ, નર્મદા અને ભરૂચમાં થાય છે. કેળાની ખેતી (Banana Cultivation) કરનાર ખેડૂત કેળાના બંચી ટોપ (bunchy top) રોગથી વધુ પરેશાન હોય છે. આ બિમારીના કારણે જ્યાં કેળાનો પાક બર્બાદ થઈ જાય છે. તેમા યોગ્ય રીતે ફળનો વિકાસ થતો નથી. જેથી ખેડૂતોને તેની કિંમત પણ સારી મળતી નથી. કેળામાં આવતો આ રોગ ખુબ જ ઘાતક છે. દેશભરના કેળાની ખેતીમાં સૌથી વધુ આ રોગનો ઉપદ્રવ રહે છે.

આ રોગ વર્ષ 1950 માં કેરળના 4000 વર્ગ કિલોમીટર વિસ્તારના બગીચાને સંક્રમિત કરી આખા દેશમાં હાહાકાર મચાવ્યો હતો. એક આંકડા અનુસાર કેરળમાં આ રોગના કારણે લગભગ 6 કરોડ રૂપિયાનું નુકસાન થાય છે. હવે આ રોગ ઓડીસા, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક તથા બિહારમાં જોવા મળે છે.

રોગના મુખ્ય લક્ષણ

કૃષિ નિષ્ણાંત અનુસાર છોડના શીર્ષ ઉપર પાંદડાઓનો ગુચ્છો બની જાય છે. એટલા માટે આ રોગને ગુચ્છ શીર્ષ કહેવામાં આવે છે. રોગના કારણે છોડ વામણો રહી જાય છે. રોગનું પ્રાથમિક સંક્રમણ ભૂસ્તારીના રોગ (Gewster’s Disease) થી થાય છે. તેમજ બીજો રોગ જંતુઓ વહન થાય છે. જ્યારે રોગનો પ્રકોપ યુવાન છોડ પર થાય છે. તેથી તેની વૃદ્ધિ અટકી જાય છે અને ઊંચાઈ 60 સે.મી.થી વધુ થતી નથી અને આ છોડ ફળ આપતા નથી.

બંચી ટોપ રોગનું નિવારણ

કૃષિ નિષ્ણાંત અનુસાર ખેડૂતોએ આ રોગને ગંભીરતાથી લેવો જોઈએ. તેની સારવાર વૈજ્ઞાનિક રીતે કરવી જોઈએ. તંદુરસ્ત અને રોગગ્રસ્ત છોડ પર જંતુનાશક દવા જેવી કે ઇમિડાક્લોપ્રિડ @ 1 મિલી દ્રાવણ પ્રતિ 2 લિટર પાણીમાં છાંટવી. જે રોગ વહન કરતા જંતુઓને મારી નાખે છે અને રોગનો ઉપદ્રવ અટકાવે છે.

એક દિવસે જ છંટકાવ કરવો

રોગના નિદાન માટે, જંતુનાશકનો ઉપયોગ આસપાસના શક્ય તેટલા ખેડૂતોએ તમામે એકસાથે, એક જ દિવસે કરવો જોઈએ, જેથી આસપાસના બગીચાઓમાં જંતુઓ દોડી ન શકે અને તેનો સંપૂર્ણ નાશ કરી શકાય, નહીંતર રોગનો પ્રકોપ ફેલાતો અટકશે નહીં. ચેપગ્રસ્ત છોડને તેમના બાહ્ય સંકેતોના આધારે ઓળખી અને તેમને દૂર કરો.

ટીશ્યુ કલ્ચર છોડનો ઉપયોગ કરો

વાયરસ સિક્વન્સિંગ પ્રમાણિત ટીશ્યુ કલ્ચર પ્લાન્ટ્સનો ઉપયોગ કરો. ખેતરને નીંદણથી મુક્ત રાખો અને કેળાના પાકને આંતરખેડ તરીકે ઉગાડશો નહીં કારણ કે તે વાયરસના રોગો માટે સંવેદનશીલ છે. વાયરસથી પ્રભાવિત છોડને કારણે થતા નુકસાનને ટાળવા માટે, ખાતરની 25-50% વધુ ભલામણ કરેલ માત્રા અને 10 કિગ્રા ગાયના છાણ અથવા ખાતર/છોડનો ઉપયોગ કરો. આ પદ્ધતિથી આ રોગને સમયસર કાબૂમાં લઈ શકાય છે અને ખેડૂતોને થનાર નુકસાનથી બચાવી શકાય છે.

 

આ પણ વાંચો: Honey Production: ખેડૂતોની મહેનત રંગ લાવી, દેશમાં સર્જાઈ મધુર ક્રાંતિ, સવા લાખ મેટ્રિક ટન થયું મધનું ઉત્પાદન

આ પણ વાંચો: હોર્ટિકલ્ચર ફાર્મિંગમાં મદદ કરશે આ નવું મશીન, ખેડૂતોનું કામ થશે વધુ સરળ