AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સરકાર ખાતરના વધેલા ભાવનો બોજ ખેડૂતો પર પડવા દેતી નથી, યુરિયા પર 3200 રૂપિયાની સબસિડી અપાઈ રહી છેઃ PM મોદી

વડાપ્રધાને કહ્યું કે આપણે વિચારવું પડશે કે શું આપણા ખેડૂતો (Farmers)એ 21મી સદીમાં આંતરરાષ્ટ્રીય સ્થિતિ પર નિર્ભર રહેવું જોઈએ. શું વિદેશમાં (ખાતરની આયાત માટે) મોકલવામાં આવેલા કરોડો રૂપિયા ખેડૂતોના ઉપયોગ માટે ન રાખવા જોઈએ?

સરકાર ખાતરના વધેલા ભાવનો બોજ ખેડૂતો પર પડવા દેતી નથી, યુરિયા પર 3200 રૂપિયાની સબસિડી અપાઈ રહી છેઃ PM મોદી
PM Narendra ModiImage Credit source: PTI
TV9 Gujarati
| Edited By: | Updated on: May 30, 2022 | 9:55 AM
Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ જણાવ્યું હતું કે તેમની સરકારે એ સુનિશ્ચિત કરવાના પ્રયાસો કર્યા છે કે મહામારી અને યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધને કારણે આંતરરાષ્ટ્રીય બજારોમાં ખાતરના ભાવમાં થયેલા વધારાથી દેશના ખેડૂતોને કોઈ અસર ન થાય. PM એ કહ્યું, ‘કોવિડ-19 મહામારી અને તાજેતરના રશિયા-યુક્રેન યુદ્ધને કારણે આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિમાં મુશ્કેલીઓ જેણે કિંમતોમાં વધારો કર્યો અને ખરીદીને મુશ્કેલ બનાવી દીધી, તેમ છતાં સરકારે તે સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કર્યો છે કે તેઓ ખેડૂતો(Farmers)ને અસર પહોંચાડ્યા વગર સમસ્યાઓનો સામનો કરશે.

તેઓએ આગળ જણાવ્યું કે, યુરીયાની એક બોરી પર 3500 રૂપિયાનો ખર્ચ થાય છે જે ખેડૂતોને 300 રૂપિયામાં ઉપલબ્ધ કરાવામાં આવે છે જ્યારે સરકાર પ્રતિ બોરી 3200 રૂપિયા ખર્ચ વહન કરે છે. તેઓએ કહ્યું કે, DAP (ડાઈ-એમોનિયમ ફોસ્ફેટ) ની પ્રત્યેક બોરી પર સરકાર રૂ. 2500નો ખર્ચ ભોગવે છે, જ્યારે અગાઉની સરકારો રૂ. 500 વહન કરતી હતી. ગયા વર્ષે કેન્દ્ર સરકારે ખાતર માટે રૂ. 1,60,000 કરોડની સબસિડી આપી હતી. આ વર્ષે આ સબસિડી બે લાખ કરોડ રૂપિયાથી વધુ થવાની છે.

મોંઘા ખાતરનો કાયમી ઉકેલ શોધવાની જરૂર છે

વડાપ્રધાને કહ્યું કે આપણે વિચારવું પડશે કે શું આપણા ખેડૂતોએ 21મી સદીમાં આંતરરાષ્ટ્રીય સ્થિતિ પર નિર્ભર રહેવું જોઈએ. શું વિદેશમાં (ખાતરની આયાત માટે) મોકલવામાં આવેલા કરોડો રૂપિયા ખેડૂતોના ઉપયોગ માટે ન રાખવા જોઈએ? શું આપણે મોંઘા ખાતરોને કારણે ખેડૂતો પર વધી રહેલા બોજને ઘટાડવાનો કાયમી ઉકેલ ન શોધવો જોઈએ.

ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ (IFFCO) ના ‘નેનો યુરિયા’ પ્લાન્ટનું ડિજિટલી ઉદ્ઘાટન કરતાં વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે આવા વધુ આઠ પ્લાન્ટ સ્થાપવામાં આવશે અને તેઓ વિદેશો પર નિર્ભરતા ઘટાડશે અને નાણાંની બચત કરશે. પીએમ મોદીએ કહ્યું, ‘લિક્વિડ યુરિયા પ્લાન્ટ સાથે, અડધા લિટરની બોટલમાં સંપૂર્ણ બોરી (50 કિલો) યુરિયાની શક્તિ છે, જેનાથી પરિવહન અને સંગ્રહમાં મોટી બચત થશે. પ્લાન્ટ દરરોજ 500 મિલીલીટરની આશરે 1.5 લાખ બોટલનું ઉત્પાદન કરશે.

યુદ્ધ અને કોરોનાને કારણે ભાવ વધ્યા

તેમણે કહ્યું કે દેશમાં આવા આઠ વધુ પ્લાન્ટ સ્થાપવામાં આવશે. “તે યુરિયાના મામલે વિદેશી દેશો પર નિર્ભરતા ઘટાડશે અને દેશના નાણાં બચાવશે,” તેમણે કહ્યું. મને ખાતરી છે કે આ ઈનોવેશન યુરિયા પુરતી સીમિત નહીં હોય. ભવિષ્યમાં અન્ય નેનો ખાતરો પણ આપણા ખેડૂતોને ઉપલબ્ધ થશે.

વડાપ્રધાને કહ્યું કે નેનો ટેકનોલોજી આત્મનિર્ભર ભારતના લક્ષ્યને હાંસલ કરવામાં મદદરૂપ થશે. તેમણે કહ્યું, “છેલ્લા બે વર્ષમાં, કોવિડ-19 લોકડાઉનને કારણે, આંતરરાષ્ટ્રીય બજારોમાં ખાતરોની કિંમતોમાં તીવ્ર વધારો થયો છે. યુદ્ધે (યુક્રેનમાં) આંતરરાષ્ટ્રીય બજારમાં ખાતરોની ઉપલબ્ધતા મર્યાદિત કરી અને તેના કારણે ભાવમાં વધુ વધારો થયો.

Follow Us
અમદાવાદ-ગાંધીનગરમાં ધોધમાર વરસાદ વરસવાની આગાહી
અમદાવાદ-ગાંધીનગરમાં ધોધમાર વરસાદ વરસવાની આગાહી
જૂનાગઢમાં 12 ઈંચ તો વઘઇમાં 9 ઈંચ; માત્ર 6 કલાકમાં વરસ્યો આટલો વરસાદ
જૂનાગઢમાં 12 ઈંચ તો વઘઇમાં 9 ઈંચ; માત્ર 6 કલાકમાં વરસ્યો આટલો વરસાદ
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર સંકટ, રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર સંકટ, રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર
પ્રથમ વરસાદમાં જ વેણુ ડેમ-2 થયો ઓવરફ્લો, જુઓ Video
પ્રથમ વરસાદમાં જ વેણુ ડેમ-2 થયો ઓવરફ્લો, જુઓ Video
કડીમાં એક જ રાતમાં વરસ્યો 8 ઈંચ વરસાદ, શહેર બન્યુ જળ મગ્ન
કડીમાં એક જ રાતમાં વરસ્યો 8 ઈંચ વરસાદ, શહેર બન્યુ જળ મગ્ન
જામજોધપુરમાં પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાયા 2 બાળક, જુઓ દિલધડક રેસ્ક્યૂ
જામજોધપુરમાં પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાયા 2 બાળક, જુઓ દિલધડક રેસ્ક્યૂ
ઉપલેટામાં ભુવા પડ્તા વાહન ચાલકો અને સ્થાનિકો પરેશાન
ઉપલેટામાં ભુવા પડ્તા વાહન ચાલકો અને સ્થાનિકો પરેશાન
સૂત્રાપાડામાં 12 ઈંચ વરસાદથી તબાહી જ તબાહી, ખેતરો બેટમાં ફેરવાયા
સૂત્રાપાડામાં 12 ઈંચ વરસાદથી તબાહી જ તબાહી, ખેતરો બેટમાં ફેરવાયા
માંગલિક પ્રસંગનું આયોજન થઈ શકે છે, ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે
માંગલિક પ્રસંગનું આયોજન થઈ શકે છે, ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે
અમદાવાદમાં લાંબી રાહ બાદ વરસાદનું આગમન
અમદાવાદમાં લાંબી રાહ બાદ વરસાદનું આગમન
g clip-path="url(#clip0_868_265)">