બેંક કર્મચારીઓ માટે અગત્યના સમાચાર : હવે બેંક તરફથી મળતા લાભ પર ચૂકવવો પડશે ટેક્સ

બેંક કર્મચારીઓને મળતી લોનની રાહત પર સુપ્રીમ કોર્ટનો તાજેતરનો નિર્ણય આંચકો આપી શકે છે. સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપ્યો છે કે બેંકો દ્વારા તેમના કર્મચારીઓને વ્યાજમુક્ત અથવા રાહત દરે આપવામાં આવતી લોનને ફ્રિન્જ બેનિફિટ તરીકે ગણવામાં આવશે. એટલે કે આવી લોન ટેક્સના દાયરામાં આવશે.

બેંક કર્મચારીઓ માટે અગત્યના સમાચાર : હવે બેંક તરફથી મળતા લાભ પર ચૂકવવો પડશે ટેક્સ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 10, 2024 | 1:40 PM

બેંક કર્મચારીઓને મળતી લોનની રાહત પર સુપ્રીમ કોર્ટનો તાજેતરનો નિર્ણય આંચકો આપી શકે છે. સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપ્યો છે કે બેંકો દ્વારા તેમના કર્મચારીઓને વ્યાજમુક્ત અથવા રાહત દરે આપવામાં આવતી લોનને ફ્રિન્જ બેનિફિટ તરીકે ગણવામાં આવશે. એટલે કે આવી લોન ટેક્સના દાયરામાં આવશે. આ નિર્ણય બેંકમાંથી લોન લેનારા બેંક કર્મચારીઓ માટે ફટકો છે કારણ કે હવે તેમને રાહતને બદલે ટેક્સ ચૂકવવો પડી શકે છે.

પગાર ઉપરાંત મળતા લાભો અને ભથ્થાં પર ટેક્સ લાગશે

ફ્રિન્જ બેનિફિટ્સ એ કર્મચારીઓને તેમના પગાર ઉપરાંત મળતા લાભો અને ભથ્થાં છે. કર્મચારીઓને તેમની કામગીરીના આધારે અથવા તેમને પ્રોત્સાહિત કરવા માટે આવા લાભો આપવામાં આવે છે. કોર્ટે કહ્યું હતું કે બેંક તેના કર્મચારીઓને આવા રાહત લોન ઓફર દ્વારા આવા લાભો આપી રહી છે જે તેમના પગાર ઉપરાંત છે તેથી આને ફ્રિન્જ બેનિફિટ તરીકે ગણવામાં આવશે.

ઘણા બેંક સ્ટાફ યુનિયનો અને ઓફિસર એસોસિએશનો દ્વારા દાખલ કરવામાં આવેલી અને ટેક્સ નિયમોને પડકારવામાં આવેલી અપીલની સુનાવણી બાદ કોર્ટે આ નિર્ણય લીધો છે. જો કે, કોર્ટે રાહત દર અથવા કર મુક્તિ સાથેની લોન પર ટેક્સ નિયમો લાગુ કરવાનું યોગ્ય ગણ્યું છે.

નારિયેળની છાલને ફેંકશો નહીં, દાંતથી લઈ વાસણ ચમકાવા માટે છે ઉપયોગી
RCB vs CSK મેચમાં 'મિસ્ટ્રી ગર્લ'એ કર્યો જબરદસ્ત ડાન્સ, વીડિયો વાયરલ
ધર્મેન્દ્ર થી જાહ્નવી કપૂર સુધી, મુંબઈના મતદાન મથકો પર ચમક્યું બોલિવૂડ
ઉનાળામાં પેટમાં એસીડિટીથી રાહત મેળવવા માટે કરો આ ઉપાય
બિહારી અને ઈન્દોરી પૌઆમાં શું અંતર છે? સ્વાદના ચટાકાથી જ તમે જાણી શકશો
પહેલા મગર તો હવે સાપ વાળો નેકલેસ પહેરી Cannesમાં ઉતરી ઉર્વશી રૌતેલા, જુઓ-Photo

બિનજરૂરી કાનૂની કાર્યવાહી ટાળવામાં આવશે

અપીલમાં એ નિર્ણય પર પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી કે જે મુજબ SBI દ્વારા નક્કી કરાયેલ વ્યાજ દરો નક્કી કરશે કે કઈ લોન કન્સેશનલ લોન છે. જો કે કોર્ટે આ ચિંતાને પણ ફગાવી દીધી હતી. કોર્ટે સ્પષ્ટ કર્યું કે SBIના વ્યાજ દરને બેન્ચમાર્ક તરીકે સેટ કરવાથી તમામ બેંકો માટે ચિત્ર સ્પષ્ટ રહેશે અને બેન્ચમાર્ક નક્કી કરવાથી બિનજરૂરી કાનૂની કાર્યવાહી ટાળી શકાશે. કોર્ટે કહ્યું કે SBI દેશની સૌથી મોટી અને અગ્રણી બેંક છે, તેથી SBIના દરોને બેન્ચમાર્ક તરીકે સેટ કરવા યોગ્ય પગલું છે.

તમને જણાવી દઈએ કે બેંકો તેમના કર્મચારીઓને ઓછા દરે લોન આપે છે. આ કારણે બેંક કર્મચારીઓ સામાન્ય ગ્રાહકોની સરખામણીમાં કેટલાક વધારાના પૈસા બચાવે છે. ટેક્સ વિભાગે તેને આવક માનીને તેના પર ટેક્સની માંગણી કરી, ત્યારબાદ બેંક કર્મચારીઓનું સંગઠન કોર્ટમાં પહોંચ્યું હતું. કઈ લોન કન્સેશનલ લોન છે અને SBI દ્વારા નક્કી કરવામાં આવેલા વ્યાજ દરના આધારે નક્કી કરવામાં આવશે

Latest News Updates

ચોટિલામાં ભરઉનાળે પીવાના પાણીનાી તંગી, 40થી વધુ ગામોને નથી મળતુ પાણી
ચોટિલામાં ભરઉનાળે પીવાના પાણીનાી તંગી, 40થી વધુ ગામોને નથી મળતુ પાણી
ISISના આતંકવાદીઓની પૂછપરછમાં મોટો ખૂલાસો, સુસાઈડ બોમ્બર બનવા હતા તૈયાર
ISISના આતંકવાદીઓની પૂછપરછમાં મોટો ખૂલાસો, સુસાઈડ બોમ્બર બનવા હતા તૈયાર
પાણીની કિંમત તંત્રને નથી સમજાતી? મોડાસા નજીક પાઈપલાઈન મહિનાઓથી લીકેજ
પાણીની કિંમત તંત્રને નથી સમજાતી? મોડાસા નજીક પાઈપલાઈન મહિનાઓથી લીકેજ
500 રૂપિયા આપવાની ના પાડતા નરાધમ પુત્રએ પોતાના જ ઘરને લગાવી દીધી આગ
500 રૂપિયા આપવાની ના પાડતા નરાધમ પુત્રએ પોતાના જ ઘરને લગાવી દીધી આગ
ચાકુની અણીએ હિંમતનગરમાં વેપારી લૂંટાયો, રુપિયા 6.15 લાખની લૂંટ
ચાકુની અણીએ હિંમતનગરમાં વેપારી લૂંટાયો, રુપિયા 6.15 લાખની લૂંટ
આકરા ઉનાળા વચ્ચે પાણીકાપ ! 40 હજારથી વધુ લોકોને નહીં મળે પાણી
આકરા ઉનાળા વચ્ચે પાણીકાપ ! 40 હજારથી વધુ લોકોને નહીં મળે પાણી
અમદાવાદમાં આગામી પાંચ દિવસ જાહેર કરાયુ ગરમીનું રેડ એલર્ટ- Video
અમદાવાદમાં આગામી પાંચ દિવસ જાહેર કરાયુ ગરમીનું રેડ એલર્ટ- Video
બનાસકાંઠા: સુજલામ સુફલામ કેનાલમાંથી પાણી છોડવા ખેડૂતોની માંગ, જુઓ
બનાસકાંઠા: સુજલામ સુફલામ કેનાલમાંથી પાણી છોડવા ખેડૂતોની માંગ, જુઓ
અમદાવાદની 15 મદરેસાઓએ માહિતી આપવાનો કર્યો ઇન્કાર, જુઓ-video
અમદાવાદની 15 મદરેસાઓએ માહિતી આપવાનો કર્યો ઇન્કાર, જુઓ-video
મચ્છી પીઠ વિસ્તારમાં જૂથ અથડામણ
મચ્છી પીઠ વિસ્તારમાં જૂથ અથડામણ
g clip-path="url(#clip0_868_265)">