MONEY9: શું આરોગ્ય વીમો થઈ શકે છે સસ્તો!

દેશમાં આરોગ્ય વીમાનો વ્યાપ વધારવા માટે ભારતીય વીમા નિયામક અને વિકાસ પ્રાધિકરણ ઈરડા જીવન વીમા કંપનીઓને હેલ્થ ઈન્સ્યોરન્સ પૉલિસી વેચવાની મંજૂરી આપવાનો વિચાર કરી રહી છે.

MONEY9: શું આરોગ્ય વીમો થઈ શકે છે સસ્તો!
Will health insurance be cheaper?
Follow Us:
Divyesh Nagar
| Edited By: | Updated on: Jul 19, 2022 | 11:55 PM

Money9: દેશમાં હેલ્થ ઈન્સ્યોરન્સ હવે સસ્તો થઈ શકે છે. સસ્તા હેલ્થ કવર (HEALTH COVER)ની સારી સુવિધા પણ મળી શકે છે. દેશમાં આરોગ્ય વીમા (HEALTH INSURANCE)નો વ્યાપ વધારવા માટે ભારતીય વીમા નિયામક અને વિકાસ પ્રાધિકરણ એટલે કે ઈરડા જીવન વીમા કંપનીઓને હેલ્થ ઈન્સ્યોરન્સ પૉલિસી વેચવાની મંજૂરી આપવાનો વિચાર કરી રહી છે. જેનાથી વીમા કંપનીઓના પ્રીમિયમમાં ઘટાડો થવાની અને વીમાનો વ્યાપ વધવાની સંભાવના છે.

નીતિ આયોગનો રિપોર્ટ

અત્યારે દેશમાં વીમાનો વ્યાપ ઘણો ઓછો છે. સરકારી થિંક ટેંક નીતિ આયોગનો રિપોર્ટ દર્શાવે છે કે ભારતમાં 42 કરોડ વસતી પાસે કોઈ જ આરોગ્ય વીમા પ્લાન નથી. આ આંકડો દેશની કુલ વસતીના અંદાજે 30 ટકા છે. ઈરડાનો રિપોર્ટ જણાવે છે કે વર્ષ 2020-21માં દેશમાં વીમાની કુલ પહોંચ ફક્ત 4.2 ટકા હતી. જેમાં 3.2 ટકા જીવન વીમો અને 1 ટકા સામાન્ય વીમો સામેલ છે. જનરલ ઈન્સ્યોરન્સમાં હેલ્થ ઈન્સ્યોરન્સ, મોટર ઈન્સ્યોરન્સ સહિત અન્ય વીમા પૉલિસીઓ સામેલ હોય છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

જો કે, હેલ્થ ઈન્સ્યોરન્સની પ્રીમિયમમાં હવે તેજી જોવા મળી રહી છે. વર્ષ 2021-22માં તેનું કુલ પ્રીમિયમ 58,572 કરોડ રૂપિયાથી વધીને 73,330 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે. જો જીવન વીમા કંપનીઓને હેલ્થ ઈન્સ્યોરન્સ વેચવાની મંજૂરી મળે છે તો તેનાથી દેશમાં હેલ્થ ઈન્સ્યોરન્સ ખરીદનારાની સંખ્યા વધી શકે છે. આનું કારણ એ છે કે આ કંપનીઓની પાસે કસ્ટમર્સનો એક મોટો વર્ગ છે અને તેમનું ડિસ્ટ્રીબ્યૂશન નેટવર્ક પણ વધારે છે.

ગ્રાહકોને થશે ફાયદો

આ કંપનીઓના હેલ્થ ઈન્સ્યોરન્સ સેકટરમાં ઉતરવાથી કોમ્પિટિશન પણ વધશે અને જ્યાં વધારે કોમ્પિટિશન હશે ત્યાં કસ્ટમર કિંગ હશે. એટલે કસ્ટમર્સને લલચાવવા માટે કંપનીઓ વધારે આકર્ષક અને સસ્તા પ્લાન રજૂ કરવા મજબૂર થઈ જશે. ઈરડાના આંકડા અનુસાર જીવન વીમા કંપનીઓના 25 લાખથી વધારે એજન્ટ છે. આ કંપનીઓનું 500થી વધારે કોર્પોરેટ એજન્ટ્સની સાથે ટાઈ-અપ છે. સાથે જ તેમની શાખાઓ પણ છે. જ્યાં તે ઈન્સ્યોરન્સ પૉલિસી વેચે છે.

પ્રીમિયમ ઘટશે

ઈન્સ્યોરન્સ એક્સપર્ટ વિકાસ સિંઘલ કહે છે કે જીવન વીમા કંપનીઓના એજન્ટ્સની લોકોમાં વ્યાપક પહોંચ છે. આ કંપનીઓની પાસે ગ્રાહકોના હેલ્થને લગતો ડેટા પણ હોય છે. બિઝનેસ વધારવા અને ગ્રાહકને લલચાવવા માટે જીવન વીમા કંપનીઓ એવા હેલ્થ ઈન્સ્યોરન્સ પ્લાન લોન્ચ કરે છે, જેનું પ્રીમિયમ બેઝિક પ્લાનના એવરેજ પ્રીમિયમથી 10 ટકા સસ્તું હોઈ શકે છે. હાલ 18થી 50 વર્ષના સ્વસ્થ વ્યક્તિ માટે 2 લાખ રૂપિયા સુધીના હેલ્થ વીમાનું વાર્ષિક પ્રીમિયમ 5 હજારથી 7 હજાર રૂપિયાની આસપાસ આવે છે. જો ઈરડાની આ યોજના લાગુ પડશે તો હેલ્થ ઈન્સ્યોરન્સનું પ્રીમિયમ 10 ટકા ઘટી શકે છે.

એક રિપોર્ટ અનુસાર દેશમાં હેલ્થ સાથે જોડાયેલો અંદાજે 70 ટકા ખર્ચ લોકોએ પોતાના ખિસ્સામાંથી કરવો પડે છે. જેના કારણે તેમની બચત પર માર પડે છે. જીવન વીમા કંપનીઓને હેલ્થ ઈન્સ્યોરન્સ પૉલિસી વેચવાની મંજૂરી મળવાથી વીમા સેક્ટરમાં સ્પર્ધા વધશે, જેનો સીધો લાભ ગ્રાહકોને મળશે. જો કે આ પ્રકારની પહેલ અગાઉ પણ થઈ ચૂકી છે, પરંતુ હેલ્થ ઈન્સ્યૉરન્સ કંપનીઓના કાર્ટેલે આને સફળ ન થવા દીધી. ત્યારે ઈરડા માટે આ યોજનાનું અમલીકરણ સરળ નહીં હોય.

Latest News Updates

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
g clip-path="url(#clip0_868_265)">