બેંકમાં ફિક્સ્ડ ડિપોઝિટ કરાવતા લોકો માટે સારા સમાચાર, નવા વર્ષમાં મળશે વધારે વ્યાજ, આ સરકારી બેંકે વ્યાજમાં કર્યો 1.25 ટકાનો વધારો

બેંક ઓફ બરોડાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 2 કરોડ રૂપિયા સુધીની જુદી-જુદી અવધિની ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજ દરમાં 0.01 ટકાથી લઈને 1.25 ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. નવા વ્યાજ દર 29 ડિસેમ્બર, 2023થી લાગુ થશે. નિવેદનમાં જણાવ્યા મૂજબ 7-14 દિવસના સમયગાળામાં મહત્તમ 1.25 ટકાનો વધારો થયો છે.

બેંકમાં ફિક્સ્ડ ડિપોઝિટ કરાવતા લોકો માટે સારા સમાચાર, નવા વર્ષમાં મળશે વધારે વ્યાજ, આ સરકારી બેંકે વ્યાજમાં કર્યો 1.25 ટકાનો વધારો
BOB FD Rate
Follow Us:
| Updated on: Jan 01, 2024 | 7:27 PM

બેંકમાં ફિક્સ્ડ ડિપોઝિટ કરાવતા લોકો માટે સારા સમાચાર આવ્યા છે. બેંક ઓફ બરોડાએ તેના ગ્રાહકોને નવા વર્ષની મોટી ભેટ આપી છે. બેંકે જુદી-જુદી મુદતની ફિક્સ્ડ ડિપોઝિટ પરના વ્યાજ દરમાં 1.25 ટકાનો વધારો કર્યો છે. આ પહેલા દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ પણ ફિક્સ્ડ ડિપોઝિટ પરના વ્યાજ દરમાં વધારો કર્યો હતો.

જાણો વ્યાજ દરમાં કેટલો વધારો થયો

બેંક ઓફ બરોડાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 2 કરોડ રૂપિયા સુધીની જુદી-જુદી અવધિની ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજ દરમાં 0.01 ટકાથી લઈને 1.25 ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. નવા વ્યાજ દર 29 ડિસેમ્બર, 2023થી લાગુ થશે. નિવેદનમાં જણાવ્યા મૂજબ 7-14 દિવસના સમયગાળામાં મહત્તમ 1.25 ટકાનો વધારો થયો છે. આ થાપણો માટે વ્યાજ દર 3 ટકાથી વધારીને 4.25 ટકા કરવામાં આવ્યો છે. ત્યારબાદ 15-45 દિવસના સંપૂર્ણ સમયગાળા માટે વ્યાજ દર 1 ટકા વધારીને 4.50 ટકા કરવામાં આવ્યો છે.

SBIએ વ્યાજ દરમાં કેટલો વધારો કર્યો?

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ FD ના વ્યાજ દરમાં 0.5 ટકા સુધીનો વધારો કર્યો છે. બેંકના જણાવ્યા અનુસાર, બુધવારથી અમલી બનેલા સંશોધિત દરો હેઠળ, 180-210 દિવસની વચ્ચેની થાપણો પર વાર્ષિક 5.75 ટકા વ્યાજ મળશે, જે પહેલા 5.25 ટકા હતું. તેવી જ રીતે 7-45 દિવસની થાપણો પર 3.50 ટકા વ્યાજ મળશે, જે પહેલા 3 ટકા હતું.

એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?
નવરાત્રિમાં ગુજરાતી સિંગર ઓસમાણ મીરના ગીતોની રમઝટ બોલે છે

વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી મૂજબ અન્ય સમયગાળામાં 0.25 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. જેમાં 46-179 દિવસના સમયગાળા માટે વ્યાજ 4.75 ટકા, 211 દિવસથી 1 વર્ષથી ઓછા સમયગાળા માટે 6 ટકા અને 3 થી 5 વર્ષ કરતા ઓછા સમયગાળા માટે વ્યાજ દર 6.75 ટકા મળશે.

આ પણ વાંચો : પરીક્ષા પાસ કર્યા પછી પણ નહીં મળે તમને સરકારી નોકરી! જો તમારો ક્રેડિટ સ્કોર ઓછો હશે તો નોકરી મેળવવામાં થશે મુશ્કેલી

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર, નવેમ્બર મહિનામાં વ્યક્તિગત લોન લેવાના દરમાં ઘટાડો થયો છે. RBI એ લોન પર શિક્ષાત્મક જોખમ ભારણ લાદ્યા બાદ આ ઘટાડો જોવા મળ્યો છે. ડેટા મૂજબ નવેમ્બરમાં નવી પર્સનલ લોનના વિતરણમાં વૃદ્ધિ દર ઘટીને 18.6 ટકા થયો છે. ગયા વર્ષે સમાન સમયગાળામાં પર્સનલ લોન કેટેગરીના સેગમેન્ટનો વિકાસ દર 19.9 ટકા હતો.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

રાજુલાની જનરલ હોસ્પિટલમા છેલ્લા ઘણા સમયથી ડૉક્ટર્સની ઘટ, દર્દીઓ પરેશાન
રાજુલાની જનરલ હોસ્પિટલમા છેલ્લા ઘણા સમયથી ડૉક્ટર્સની ઘટ, દર્દીઓ પરેશાન
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર પડેલ તિરાડો પૂરવાની કામગીરી હાથ ધરાઈ
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર પડેલ તિરાડો પૂરવાની કામગીરી હાથ ધરાઈ
અંબાજીમાં જામ્યો જપ, તપ અને ઉત્સવનો માહોલ, ભાવિકોનું ઘોડાપૂર
અંબાજીમાં જામ્યો જપ, તપ અને ઉત્સવનો માહોલ, ભાવિકોનું ઘોડાપૂર
દાહોદ : હાઈટેક ટેક્નોલોજીથી પોલીસે ગાઢ જંગલમાં છુપાયેલા ચોરને ઝડપ્યો
દાહોદ : હાઈટેક ટેક્નોલોજીથી પોલીસે ગાઢ જંગલમાં છુપાયેલા ચોરને ઝડપ્યો
નરેન્દ્ર મોદીના સુશાસનમાં ગુજરાતની વિકાસ વર્ષા ક્યારેય પણ અટકવાની નથી
નરેન્દ્ર મોદીના સુશાસનમાં ગુજરાતની વિકાસ વર્ષા ક્યારેય પણ અટકવાની નથી
દોઢ વર્ષની બાળકી ગળી ગઇ મેગ્નેટિક માળા, જુઓ Video
દોઢ વર્ષની બાળકી ગળી ગઇ મેગ્નેટિક માળા, જુઓ Video
હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવાશે માત્ર ₹35 માં- Video
હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવાશે માત્ર ₹35 માં- Video
મુંદ્રા પોર્ટ પરથી 40 કરોડ રુપિયાથી વધુનો પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત
મુંદ્રા પોર્ટ પરથી 40 કરોડ રુપિયાથી વધુનો પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત
PM મોદીએ કહ્યું 17 શહેરોને સોલાર સિટી બનાવીશું-Video
PM મોદીએ કહ્યું 17 શહેરોને સોલાર સિટી બનાવીશું-Video
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી
g clip-path="url(#clip0_868_265)">