આત્મનિર્ભર ભારત અભિયાન : જાણો નાણામંત્રીએ અલગ અલગ સેક્ટર માટે કઈ કઈ મોટી જાહેરાત કરી?
નિર્મલા સિતારમણે પ્રેસ કોન્ફરન્સ કરીને આત્મ નિર્ભર ભારત અભિયાન વિશે જાણકારી આપતા કહ્યું કે સમાજના વિભિન્ન વર્ગોથી વાતચીત કરીને આ પેકેજને તૈયાર કરવામાં આવ્યું છે. પેકેજની મદદથી ગ્રોથને વધારવાનું લક્ષ્ય છે. ભારતને આત્મનિર્ભર બનાવવાનું છે અને તેના જ લીધે આ અભિયાનને આત્મનિર્ભર ભારત કહેવામાં આવી રહ્યું છે. વિત્ત રાજ્ય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે દુનિયાની […]
નિર્મલા સિતારમણે પ્રેસ કોન્ફરન્સ કરીને આત્મ નિર્ભર ભારત અભિયાન વિશે જાણકારી આપતા કહ્યું કે સમાજના વિભિન્ન વર્ગોથી વાતચીત કરીને આ પેકેજને તૈયાર કરવામાં આવ્યું છે. પેકેજની મદદથી ગ્રોથને વધારવાનું લક્ષ્ય છે. ભારતને આત્મનિર્ભર બનાવવાનું છે અને તેના જ લીધે આ અભિયાનને આત્મનિર્ભર ભારત કહેવામાં આવી રહ્યું છે. વિત્ત રાજ્ય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે દુનિયાની સાપેક્ષમાં આપણે સારું કામ કર્યું છે. નિર્મલા સિતારમણે કહ્યું કે આત્મનિર્ભર ભારત અભિયાન પાંચ સ્તંભ પર રહેશે. જેમાં ઈકોનોમી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સિસ્ટમ, વાઈબ્રન્ટ ડેમોગ્રાફિક અને ડિમાન્ડ છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
નિર્મલા સિતારમણે કઈ કઈ મોટી જાહેરાત કરી
- MSME માટે સરકારે 6 મોટા પગલાં લીધા છે. MSME માટે 3 લાખ કરોડની વગર કોઈ ગેરંટી લોન આપવામાં આવશે. જે ઉદ્યોગોનું ટર્નઓવર 100 કરોડ છે તેને આ લાભ 12 મહિના સુધી મળી શકશે. દેશમાં 45 લાખ MSME ઉદ્યોગને આ જાહેરાતથી ફાયદો થશે. જેમાં લોનના હપ્તા પરત કરવાની સમય મર્યાદામાં 1 વર્ષ સુધી રાહત આપવામાં આવશે. 12 કરોડ લોકો MSME સેક્ટરમાં રોકાયેલા છે અને તેઓને સીધો જ ફાયદો થશે. સરકારે 10 હજાર કરોડના ફંડની જાહેરાત પણ MSME માટે કરી છે. આ લાભથી કોઈ વંચિત ના રહી જાય તે માટે સરકારે MSMEની પરિભાષામાં બદલાવ કર્યો છે. 15 હજારથી જે લોકોની ઓછી આવક હશે તેના માટે પણ સરકારે જાહેરાત કરી છે. તેમના પીએફમાં 24 ટકા સુધીની રકમ સરકાર જમા થશે.
Govt of India and Central Public Sector Enterprises will honour every MSME receivable in the next 45 days: Finance Minister Nirmala Sitharaman #EconomicPackage #20lakhcrores #AatmanirbharBharat pic.twitter.com/cDq0J4UgAl
— tv9gujarati (@tv9gujarati) May 13, 2020
- જો કોઈ કામની રકમ 200 કરોડ સુધીની હોય તો વૈશ્વિક ટેન્ડર મંજૂર નહીં કરવામાં આવે અને તેના લીધે લધુ અને સુક્ષ્મ ઉદ્યોગોને ફાયદો થશે.
- 2500 કરોડ રુપિયાની મદદ EPFના માધ્યમથી કરવામાં આવશે. જેનો સીધો જ લાભ 72.22 લાખ કર્મચારીઓને મળી શકશે. સેલેરીના 24 ટકા સુધીનો સીધો જ લાભ EPF રુપે મળશે.
- કર્મચારી ભવિષ્ય નિધિ યોગદાનની રકમ 12 ટકાથી ઘટાડીને 10 ટકા કરવામાં આવી છે. જેના લીધે 6750 કરોડ રુપિયાનો સપોર્ટ આગામી 3 મહિના સુધી મળશે.
- NBFC માટે સરકારે આંશિક ક્રેડિટ ગેરંટી યોજનાના માધ્યમથી 45 હજાર કરોડ રુપિયાની લિક્વીડીટીની જાહેરાત કરી છે.
- જે ગેર બેંકિગ નાણાકીય સંસ્થાઓ છે જેવી કે માઈક્રો ફાઈનાન્સ કંપનીઓ, હાઉસિંગ ફાઈનાન્સ કંપનીઓ માટે વિશેષ રીતે 30 હજાર કરોડ રુપિયાની જાહેરાત કરવામાં આવી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
- જે વીજળી કંપનીઓ પર ભારણ અને નાણાકીય મદદની જરૂર છે તેમને 90 હજાર કરોડ રુપિયાની મદદ પહોંચાડવામાં આવશે.
- જે તમામ કોન્ટ્રાક્ટર્સ છે તેમને નિર્માણ કાર્યો પુરા કરવા માટે સરકારે વધારાનો સમય ફાળવ્યો છે. સરકારે આ સમયમાં 6 મહિનાની રાહત આપી છે. તેઓને આંશિક બેંક ગેરંટી પણ આપવામાં આવશે.
TDS rates reduced by 25% till March 2021: Union Finance Minister #NirmalaSitharaman#EconomicPackage #20lakhcrores #AatmanirbharBharat pic.twitter.com/98IN2cV5TC
— tv9gujarati (@tv9gujarati) May 13, 2020
- ટેક્સ રિટર્ન ભરવા માટેની તારીખ પણ લંબાવવામાં આવી છે. જે પહેલાં 31 જુલાઈ હતી તેને 31 ઓક્ટોબર કરવામાં આવી છે. TDS અને TCSમાં 25 ટકા સુધીનો કાપ મુકવામાં આવ્યો છે જે આગામી નાણાકીય વર્ષમાં પણ લાગુ રહેશે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]