ભારત ચોથી ઔદ્યોગિક ક્રાંતિની આગેવાની કરશે : મુકેશ અંબાણી
રિલાયન્સ ઈન્ડસ્ટીઝના સીએમડી મુકેશ અંબાણી, ભલે વિશ્વના ટોચના ધનિકોમાં ગણના પામ્યા હોય, પણ આ ગુજ્જુ ઉદ્યોગપતિએ, ભારતની જમીન સાથે ક્યારેય લગાવ ઓછો થવા દીધો નથી. મને પૂરો વિશ્વાસ છે કે, ભારત ચોથી ઔદ્યોગિક ક્રાંતિની આગેવાની કરશે. ડિજિટલ ક્નેક્ટિવિટી, ક્લાઉડ કોમ્પ્યુટિંગ, ઈન્ટરનેટ ઓફ થિંગ્સ, સ્માર્ટ ડિવાઈઝ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને રોબોટિક્સ જેવી ડિજિટલ ટેકનિક ચોથી ઔદ્યોગિક ક્રાંતિની […]
વર્ચ્યુઅલ કોન્ફોરન્સમાં મુકેશ અંબાણીએ કહ્યું કે, જો ભારતને લીડરશીપ પોઝિશન હાંસલ કરવી છે તો તેણે અલ્ટ્રા હાઈ સ્પીડ કનેક્ટિવિટી, એફોર્ડેબલ સ્માર્ટ ડિવાઈઝ અને શ્રેષ્ઠ ડિજિટલ એપ્લિકેશન અને સોલ્યુશન પર ધ્યાન આપવું પડશે. જિઓની સફળતાને ટાંકતા અંબાણીએ ઉમેર્યું હતું કે જિઓ આવ્યું તે પહેલાં ભારત 2જીમાં અટક્યું હતું. જિઓ મારફતે દેશને પહેલીવાર આઈપી બેઝડ નેટવર્ક કનેક્ટિવિટી મળી છે. 2જી નેટવર્ક લગાવવામાં ભારત દેશને 25 વર્ષ લાગી ગયા હતા ત્યાં જિઓએ માત્ર 3 વર્ષમાં ભારતમાં 4જી નેટવર્ક ઉભું કરી દીધું હતું.
ભારતમાં ડિજિટલ કનેક્ટિવિટી, એફોર્ડેબલ ડિવાઈઝ અને ડિજિટલ એપ્લિકેશન તેમજ સોલ્યુશનને એક સાથે જોડવામાં આવ્યું તો અસાધારણ રિઝલ્ટ મળ્યું છે. અગાઉના વર્ષોની તુલનામાં આજે ભારતીઓ ૩૦ ગણો વધુ ડેટા યુઝ કરી રહ્યા છે. ડેટા યુઝ 0.2 અબજથી 1.2 અબજ થઈ ગયો છે. અંબાણીએ જિઓ ટૂંક સમયમાં ભારતમાં 5જી ટેક્નોલોજી લોન્ચ કરવાણી હોવાની માહિતી પણ જાહેર કરી હતી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો