Budget 2024 : સરકાર ટેક્સના દરમાં ઘટાડો કરી શકે છે, 15 લાખ રૂપિયા સુધીની આવક પર રાહતના સંકેત

Budget 2024 : NDA સરકાર જુલાઈમાં રજૂ થનારા બજેટમાં ટેક્સના દરમાં ઘટાડો કરીને રાહતની જાહેરાત કરી શકે છે. રોયટર્સે સરકારી સૂત્રોને ટાંકીને આ સમાચાર આપ્યા છે.

Budget 2024 : સરકાર ટેક્સના દરમાં ઘટાડો કરી શકે છે, 15 લાખ રૂપિયા સુધીની આવક પર રાહતના સંકેત
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 20, 2024 | 7:48 AM

Budget 2024 : NDA સરકાર જુલાઈમાં રજૂ થનારા બજેટમાં ટેક્સના દરમાં ઘટાડો કરીને રાહતની જાહેરાત કરી શકે છે. રોયટર્સે સરકારી સૂત્રોને ટાંકીને આ સમાચાર આપ્યા છે.

રિપોર્ટ અનુસાર સૂત્રોએ જણાવ્યું કે નરેન્દ્ર મોદી સરકાર વપરાશ વધારવા માંગે છે અને આ માટે તે ટેક્સના દરમાં ઘટાડો કરવા વિચારી રહી છે જેથી લોકોને ખર્ચ કરવા માટે વધુ પૈસા મળે તેવા પ્રયાસ કરવામાં આવશે. જુલાઈમાં નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ વર્ષ 2025 ના નાણાકીય વર્ષ માટે સંપૂર્ણ બજેટ રજૂ કરશે.

પર્સનલ ટેક્સમાં ઘટાડાનો નિર્ણય લેવાશે

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પર્સનલ ટેક્સમાં ઘટાડાથી અર્થવ્યવસ્થામાં વપરાશ વધશે અને મધ્યમ વર્ગના પૈસાની પણ બચત થશે. રિપોર્ટ અનુસાર, વાર્ષિક 15 લાખ રૂપિયા સુધીની કમાણી કરનારાઓને ટેક્સમાં થોડી રાહત મળી શકે છે. આ રાહત કેટલી હશે તે અંગે સરકાર વિચારણા કરી રહી છે. તે જ સમયે, 10 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ધરાવતા કરદાતાઓ માટે આવકવેરાના દર ઘટાડવા પર પણ વિચારણા કરવામાં આવી રહી છે.

Emirates કંપનીએ ફ્લાઇટમાં પોતાના પોડકાસ્ટમાં પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીજીને કર્યા સામેલ, જુઓ Video
મીઠો લીમડો કઇ બીમારીમાં ઉપયોગી છે?
હાર્દિક સાથે છૂટાછેડાની ચર્ચા વચ્ચે નતાશા ભાભી થયા ગુસ્સે ! વીડિયો થયો વાયરલ
વરસાદમાં ભીના થયા પછી આંખોમાં થાય છે બળતરા, જાણો ઘરેલુ ઉપચાર
Travel Tips : કોઈ ફરવા માટે તૈયાર નથી તો એકલા આ સ્થળોની મુલાકાત લઈ આવો
ડાન્સ ફ્લોર પર મુકેશ અંબાણીનો અલગ અંદાજ, જમાઈ આનંદને ગળે લગાવ્યા...સાથે કર્યો ડાન્સ

વાર્ષિક 15 લાખ રૂપિયા કમાણી પર ટેક્સ રાહત માટે વિચારણા

વર્ષ 2023-24માં ભારતનો જીડીપી 8.2 ટકાના દરે વૃદ્ધિ પામશે. જો કે, વપરાશની ગતિ તેનાથી અડધી જ રહી છે. સરકારની રચના બાદ સરકાર વપરાશ વધારવા પર ભાર આપી રહી છે, વડાપ્રધાને જાહેરાત કરી હતી કે તેઓ મધ્યમ વર્ગની બચત વધારવા અને લોકોનું જીવનધોરણ સુધારવા માટે પગલાં લેશે. આ સિવાય રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે નવી ટેક્સ સિસ્ટમમાં પણ ફેરફારની શક્યતાઓ છે.

મંગળવારે એક મીડિયા રિપોર્ટમાં સરકારી સૂત્રોને ટાંકીને અહેવાલ આપ્યો હતો કે કેન્દ્ર સરકાર મધ્યમ વર્ગને રાહત આપવા માટે ટેક્સ સ્લેબને લઈને બજેટમાં મોટી જાહેરાત કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર ટેક્સ છૂટની મર્યાદા 3 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવા પર વિચાર કરી રહી છે. સૂત્રોએ માહિતી આપી છે કે હાલમાં આ રાહત ફક્ત તે કરદાતાઓને જ મળશે જેમણે નવી કર વ્યવસ્થા અપનાવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બજેટ પસાર થયા બાદ આ અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે.

આ પણ વાંચો : RBIએ આર્થિક રાજધાનીની બેંકનું લાયસન્સ રદ કર્યું, શું લાખો ગ્રાહકો પરસેવાની કમાણી ગુમાવશે?

Latest News Updates

અમિત શાહ કેમ નથી રાખતા ક્લીન શેવ ? જણાવ્યું દાઢી રાખવાનું કારણ
અમિત શાહ કેમ નથી રાખતા ક્લીન શેવ ? જણાવ્યું દાઢી રાખવાનું કારણ
ઈડરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાઈ, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ
ઈડરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાઈ, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ
મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથજીનું ભવ્ય સ્વાગત
મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથજીનું ભવ્ય સ્વાગત
બિલ્ડરની પત્નિ, પુત્ર અને ભાડુ વસુલનાર સામે પોલીસ ફરિયાદ
બિલ્ડરની પત્નિ, પુત્ર અને ભાડુ વસુલનાર સામે પોલીસ ફરિયાદ
શામળાજીમાં ચાંદીના રથમાં ભગવાનની રથયાત્રા નીકળી, ભક્તોની ઉમટી ભીડ, જુઓ
શામળાજીમાં ચાંદીના રથમાં ભગવાનની રથયાત્રા નીકળી, ભક્તોની ઉમટી ભીડ, જુઓ
મોડાસા શહેરમાં ભવ્ય રથયાત્રા નીકળી, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી
મોડાસા શહેરમાં ભવ્ય રથયાત્રા નીકળી, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી
ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
ઉદયપુર-અમદાવાદ નેશનલ હાઈવેને હરિયાળો બનાવવા MPનું સૂચન
ઉદયપુર-અમદાવાદ નેશનલ હાઈવેને હરિયાળો બનાવવા MPનું સૂચન
રથયાત્રા,દિલીપદાસજી તથા ટ્રસ્ટીઓનું AMCના પદાઅધિકારીઓએ કર્યું સ્વાગત
રથયાત્રા,દિલીપદાસજી તથા ટ્રસ્ટીઓનું AMCના પદાઅધિકારીઓએ કર્યું સ્વાગત
રથયાત્રા પગલે લોખંડી સુરક્ષા બંદોબસ્ત, IPS અજય ચૌધરીએ આપી માહિતી
રથયાત્રા પગલે લોખંડી સુરક્ષા બંદોબસ્ત, IPS અજય ચૌધરીએ આપી માહિતી
g clip-path="url(#clip0_868_265)">