ઉદયપુર-અમદાવાદ નેશનલ હાઈવેને હરિયાળો બનાવવા MPનું સૂચન, શામળાજીની સમસ્યા પણ નિવારાશે

પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી થઈને નેશનલ હાઈવે પસાર થઈ રહ્યો છે. હાઈવેની ઊંચાઈને લઈ ચોમાસામાં મોટી સમસ્યા સર્જાઈ રહી છે. જેને નિવારવા માટે હાઈવે ઓથોરિટીને પત્ર લખવામાં આવ્યો છે. સાથે જ હાઈવેને હરિયાળો બનાવવા માટે પણ સૂચન કરાયું છે.

ઉદયપુર-અમદાવાદ નેશનલ હાઈવેને હરિયાળો બનાવવા MPનું સૂચન, શામળાજીની સમસ્યા પણ નિવારાશે
સાંસદનો પત્ર
Follow Us:
| Updated on: Jul 07, 2024 | 11:38 AM

પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી થઈને પસાર થતા નેશનલ હાઈવે 48ને લઈ અનેક સમસ્યાઓ વર્તાઈ રહી છે. જેને લઈ સાબરકાંઠા-અરવલ્લીના સાંસદ શોભનાબેન બારૈયાએ નેશનલ હાઈવે ઓથોરિટીને સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે કહ્યું છે. આ માટે તેઓએ લેખિત પત્ર લખ્યો છે. તેઓએ કહ્યું છે કે, યાત્રાધામ શામળાજીનું હાઈવે પર સાઈન બોર્ડ લગાવવામાં આવે અને બજારમાં ભરાતા પાણી માટેની યોગ્ય કાર્યવાહી કરવામાં આવે.

આ ઉપરાંત ઉદયપુરથી ચિલોડા સુધીની નેશનલ હાઈવેની બંને સાઈડો અને ડિવાઈડરમાં રહેલી વિશાળ જગ્યામાં ફુલ છોડ અને વૃક્ષો હાલમાં ચોમાસું હોઈ રોપવામાં આવે. આમ સાંસદ નેશનલ હાઈવેના ખાડાઓ ઉપરાંત હવે સમસ્યાઓ અને તેના નિરાકરણ અંગે કાર્યવાહી કરવા માટે એક્શન મોડમાં જોવા મળ્યા છે.

ફુલછોડ રોપવા સૂચના

સાંસદ શોભનાબેન બારૈયાએ શામળાજીથી ઉદયપુર અને શામળાજીથી ચિલોડા તરફના માર્ગ પર વૃક્ષો ઉછેરવા માટે જરુરી સૂચન નેશનલ હાઈવે ઓથોરિટીને કર્યા છે. સાંસદ બારૈયાએ કહ્યું છે, કે હાઈવે પર ખુલ્લી જગ્યાઓ અને ડિવાઈડર સહિતના સ્થાનો પર વૃક્ષો અને ફુલછોડની વાવણી કરવામાં આવે. હાલમાં ચોમાસું હોઈ અને વરસાદી માહોલ હોવાને લઈ વૃક્ષ તથા ફુલછોડના રોપાઓની વાવણી કરવા માટે યોગ્ય સમય છે. આમ હાલમાં રોપાઓને લગાડવામાં આવે તો આવનારા દિવસોમાં નેશનલ હાઈવે સુંદર અને હરિયાળો જોવા મળી શકે છે.

IPL 2025માં MS ધોનીના રમવા પર સસ્પેન્સ યથાવત
માંસ કેમ ન ખાવું જોઈએ ? દેવરાહા બાબાએ જણાવ્યું મોટું કારણ, જુઓ Video
Indian Oil ભારતમાં, તો પછી વિશ્વની સૌથી મોટી Oil Company કઈ છે?
ઘરે તુલસી છે ! જાણી લો મંજરી કયા દિવસે ન તોડવી જોઈએ?
સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન આવી મોટી ગાડીઓમાં ફરતા હતા મહાત્મા ગાંધી, જુઓ Photos
ખાલી પેટ ખીરા કાકડીનું જ્યુસ પીવાથી જાણો શું થાય છે?

બજારમાં પાણી ભરાવાની સમસ્યા અંગે સૂચના

નેશનલ હાઈવે સિક્સ લાઈન કરવામાં આવ્યો છે. જેમાં શામળાજી થી ઉદયપુર વચ્ચેના હિસ્સાનું મોટાભાગનું કાર્ય થઈ ચૂક્યું છે. જેમાં શામળાજી થી પસાર થતા હાઈવેનું કાર્ય પણ પૂર્ણ થયેલ છે. આ દરમિયાન હવે હાઈવે ઉંચાઈ પર હોવાને લઈ ચોમાસામાં વરસાદી પાણી શામળાજીના બજારમાં ભરાઈ જવા પામે છે. જેને લઈ મુખ્ય બજારના વેપારીઓ અને સ્થાનિકો પણ પરેશાન બન્યા છે.

આ સમસ્યાને દૂર કરવા માટે નેશનલ હાઈવે ઓથોરિટીને પત્ર દ્વારા જાણ કરવામાં આવી છે. જેમાં વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કરવા અને સમસ્યાનું ઝડપથી નિરાકરણ લાવવા માટે પત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.

શામળાજીનું સાઈન બોર્ડ લગાવાશે

પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીથી નેશનલ હાઈવે પસાર થઈ રહ્યો છે. હાઈવે પર પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીનું સાઈન બોર્ડ નહીં હોવાને લઈ અનેક યાત્રાળુઓએ ઓવરબ્રિજની નિચે મૂંઝવણ ભર્યા રસ્તાની એન્ટ્રીને લઈ સમસ્યા સર્જાય છે. જેને લઈ અનેક વાહનોએ લાંબા અંતર સુધી જઈને નવી એક્ઝિટથી બહાર નિકળી પરત આવવું પડે છે.

આમ આ સમસ્યાને નિવારવા માટે હાઈવે પર પ્રસિદ્ધ યાત્રાધામ છે, અને જેનું સાઈન બોર્ડ પણ હોવું જરુરી છે. આ માટે શામળિયા ભગવાનની તસ્વીર સાથેનું સાઈન બોર્ડ લગાવવામાં એવી સૂચના પણ પત્ર દ્વારા આપવામાં આવી છે.

આ પણ વાંચો: શામળાજી-ચિલોડા હાઈવે પર જોખમી ખાડાઓને લઈ MP એ યુદ્ધના ધોરણે સમારકામ કરવા NHAI ને પત્ર લખ્યો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

સ્વામીના નવરાત્રી અંગેના બફાટથી સનાતમ ધર્મના અગ્રણીઓ થયા લાલઘુમ- Video
સ્વામીના નવરાત્રી અંગેના બફાટથી સનાતમ ધર્મના અગ્રણીઓ થયા લાલઘુમ- Video
વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખથી શરૂ થશે વરસાદી રાઉન્ડ
વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખથી શરૂ થશે વરસાદી રાઉન્ડ
ઘોડા, કાર પર ક્ષત્રાણિયોએ તલવાર સાથે કરતબ કરી ગરબે ઘૂમ્યા
ઘોડા, કાર પર ક્ષત્રાણિયોએ તલવાર સાથે કરતબ કરી ગરબે ઘૂમ્યા
સ્વામીનારાયણના વધુ એક સ્વામીએ નવરાત્રીને લઈને કર્યો વાણીવિલાસ- Video
સ્વામીનારાયણના વધુ એક સ્વામીએ નવરાત્રીને લઈને કર્યો વાણીવિલાસ- Video
ધ્રોલ તાલુકાનો મુખ્ય રોડ બન્યો બિસ્માર, સ્થાનિકોમાં રોષ
ધ્રોલ તાલુકાનો મુખ્ય રોડ બન્યો બિસ્માર, સ્થાનિકોમાં રોષ
સુરતમાંથી MD ડ્રગ્સ સાથે બે આરોપીની ધરપકડ
સુરતમાંથી MD ડ્રગ્સ સાથે બે આરોપીની ધરપકડ
ગોવાથી દ્વારકાના શિવરાજપુર પહોંચી NIWSની ટીમ
ગોવાથી દ્વારકાના શિવરાજપુર પહોંચી NIWSની ટીમ
સરગાસણ ગરબામાં બજરંગ દળ અને VHPના કાર્યકર્તાઓ સાથે તકરાર
સરગાસણ ગરબામાં બજરંગ દળ અને VHPના કાર્યકર્તાઓ સાથે તકરાર
ગુજરાતના વિવિધ જિલ્લામાં છૂટા છવાયા વરસાદની આગાહી
ગુજરાતના વિવિધ જિલ્લામાં છૂટા છવાયા વરસાદની આગાહી
આ 4 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભની સાથે વૃદ્ધિના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભની સાથે વૃદ્ધિના સંકેત
g clip-path="url(#clip0_868_265)">