Emirates કંપનીએ ફ્લાઇટમાં પોતાના પૉડકાસ્ટમાં પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીજીને કર્યા સામેલ

07 July, 2024

હાલમાં ધર્મને લઈ ફક્ત ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં લોકો જાગૃત થયા છે.

આ જાગૃત થવા પાછળનું મોટું ઉદાહરણ અબુધાબીમાં ઊભું કરાયેલું સ્વામિનારાયણ મંદિર છે.

આ સ્વામિનારાયણ મંદિર બે દેશોની એકતાનું પ્રતિક છે.

મિડલ ઈસ્ટમાં તૈયાર થયેલા આ મંદિરની જર્ની વિશેનો પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીજી એક પૉડકાસ્ટ જે હવે Emirates ના વિમાનમાં પણ સામેલ કરવામાં આવ્યો છે.

Emirates વિમાનમાં યાત્રીઓ હવે યાત્રા દરમ્યાન અબુધાબીમાં તૈયાર થયેલા BAPS સ્વામિનારાયણ મંદિર વિશે જાણી શકશે.

વિમાનમાં આ પ્રકારે હિન્દુ ધર્મના મંદિર વિશેના પૉડકાસ્ટને લઈને લોકો પણ ગર્વની લાગણી અનુભવી રહ્યા છે.