Maha Shivratri 2022: જાણો મહાશિવરાત્રીના ઉપવાસની સાચી વિધિ, ચારેય પહોરની પૂજા કરવાનો આ છે શુભ સમય

Maha Shivratri 2022: શિવ ભક્તો માટે મહાશિવરાત્રીનું વિશેષ મહત્વ છે. આ દિવસે ભક્તો પોત-પોતાની રીતે ભગવાન ભોલેનાથની પૂજા કરે છે.

Maha Shivratri 2022: જાણો મહાશિવરાત્રીના ઉપવાસની સાચી વિધિ, ચારેય પહોરની પૂજા કરવાનો આ છે શુભ સમય
Maha-Shivratri (symbolic image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 22, 2022 | 9:30 PM

Maha Shivratri 2022: શિવરાત્રીનો તહેવાર એ ભગવાન શિવ (Lord Shiv) અને શક્તિના સંગમનું એક સ્વરૂપ છે. હિંદુ ધર્મના પંચાંગ અનુસાર, મહાશિવરાત્રીનો તહેવાર દર વર્ષે ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશીને મહાશિવરાત્રી (Maha Shivratri 2022) ના મહાપર્વ તરીકે ઉજવવામાં આવે છે. મહાશિવરાત્રી વર્ષમાં એકવાર આવે છે અને આ દિવસે ભક્તો ભગવાન ભોલેનાથને ઘણી રીતે પ્રસન્ન કરવાનો પ્રયાસ કરે છે. આ વખતે મહા શિવરાત્રી 1લી માર્ચ 2022ના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે ભગવાન શિવના ભક્તો ખાસ કરીને પૂજા અર્ચના કરીને ભગવાનને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરે છે. આવો જાણીએ આ દિવસે ભોલેનાથની કેવી રીતે પૂજા કરવી જોઈએ.

મહા શિવરાત્રી વ્રત વિધિ (Maha Shivratri Vrat Vidhi)

તમને જણાવી દઈએ કે શિવરાત્રિ વ્રતના એક દિવસ પહેલા ત્રયોદશીના દિવસે ભક્તોએ ડુંગળી વગરનું ભોજન લેવું જોઈએ. જ્યારે શિવરાત્રિના દિવસે સવારે સ્નાન કર્યા બાદ આ ભગવાન ભોલેનાથની સામે પૂર્ણ ભક્તિભાવથી વ્રત કરવાનો સંકલ્પ લેવો જોઈએ. સંકલ્પ દરમિયાન, ભક્તો ઉપવાસની અવધિ પૂર્ણ કરવા માટે ભગવાન શિવના આશીર્વાદ લે છે.

શિવરાત્રિના દિવસે સવારે સ્નાન કર્યા બાદ પૂજા કરવા માટે મંદિરમાં જવું જોઈએ. શિવરાત્રિ પર ભગવાન શિવની પૂજા ખાસ કરીને રાત્રે કરવી જોઈએ. આખો દિવસ-રાત ઉપવાસ કર્યા પછી બીજા દિવસે સૂર્યોદય પછી સ્નાન કરવાથી ઉપવાસ તૂટી જાય છે. વાસ્તવિક માન્યતા છે કે ચતુર્દશી તિથિ પર શિવ પૂજા અને પારણા કરવામાં આવે છે.

આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય

ચાર પહોરની પૂજા:

મહાશિવરાત્રિની રાત્રે એક કે ચાર વખત અલગ-અલગ રીતે પૂજા કરવામાં આવે છે. ચાર વખત શિવની પૂજા કરવા માટે ચાર પહોર (પ્રહર) મેળવવા માટે આખી રાતના સમયગાળાને ચારમાં વહેંચી શકાય છે. આ દિવસે દરેક પ્રહરની પૂજા કરવાની અલગ-અલગ પદ્ધતિ હોય છે. જો કે આ દિવસે રુદ્રાભિષેકનું વિશેષ મહત્વ હોવાનું કહેવાય છે. જાણો ચાર પ્રહરની પૂજાનો સમય

પ્રથમ ચરણ- 1 માર્ચે સાંજે 6.21 થી રાત્રે 9.27 સુધી

બીજુ ચરણ- 1 માર્ચે રાત્રે 9.27 થી રાત્રે 12.33 સુધી

ત્રીજુ ચરણ – 2 માર્ચે સવારે 12.33થી 3.39 સુધી

ચોથું ચરણ- 2 માર્ચે સવારે 3.39થી સવારે 3.45 સુધી

આ વર્ષે મહાશિવરાત્રીનો શુભ દિવસ 1 માર્ચ મંગળવારના રોજ સવારે 3.16 કલાકથી શરૂ થશે. ચતુર્દશી તિથિ 2 માર્ચ, બુધવારે સવારે 10 વાગ્યે સમાપ્ત થશે. મહાશિવરાત્રિની પૂજા ચાર ચરણમાં થાય છે. ચાર તબક્કામાં પૂજા માટે શુભ મુહૂર્ત છે.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Bhakti: તમારી દરેક સમસ્યાનું નિરાકરણ લાવી શકે છે સુંદરકાંડ ! જાણો સુંદરકાંડના પાઠ કરવાના ફાયદા

આ પણ વાંચો: Junagadh: શિવરાત્રી મેળોને માત્ર બે દિવસ બાકી, તડામાર તૈયારીઓ, સાધુ સંતોનો પ્રવાહ શરૂ થયો

Latest News Updates

વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">