AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હોળી ઉત્સવ: આ રીતે કરો હોળીની પૂજા, જરૂરથી પ્રાપ્ત થશે પરમાત્માની કૃપા !

ભક્તો ફાગણી પૂનમના અવસરે આસ્થા સાથે હોળીની પૂજા કરતા જ હોય છે. પરંતુ, જો વિશેષ વિધિ સાથે આ પૂજનવિધિ સંપન્ન કરવામાં આવે તો વ્યક્તિને ચોક્કસપણે ભાગ્યોદયના આશિષ પ્રાપ્ત થતા હોય છે.

હોળી ઉત્સવ: આ રીતે કરો હોળીની પૂજા, જરૂરથી પ્રાપ્ત થશે પરમાત્માની કૃપા !
Holika dahan (symbolic image)
TV9 Bhakti
| Edited By: | Updated on: Mar 16, 2022 | 6:51 AM
Share

દર વર્ષે ફાગણ સુદ પૂનમના (fagun purnima) અવસરે હર્ષોલ્લાસ સાથે હોળીનો તહેવાર ઉજવાય છે. જે વ્યક્તિને અનેકવિધ પ્રકારના લાભની પ્રાપ્તિ કરાવનારો મનાય છે. અલબત્, આ ફળદાયી દિવસે પ્રભુની કૃપા પ્રાપ્ત કરવા માટે એ ધ્યાન રાખવું જરૂરી છે કે પૂજા વિધિ-વિધાન અનુસાર થાય. ત્યારે આવો, આજે હોળી પ્રાગટ્ય સમયની પૂજાવિધિ વિશે જાણીએ.

ભક્તો ફાગણી પૂનમના અવસરે આસ્થા સાથે હોળીની પૂજા કરતા જ હોય છે. પરંતુ, જો વિશેષ વિધિ સાથે આ પૂજનવિધિ સંપન્ન કરવામાં આવે તો વ્યક્તિને ચોક્કસપણે ભાગ્યોદયના આશિષ પ્રાપ્ત થતા હોય છે. ત્યારે સર્વ પ્રથમ એ જાણીએ કે આ પૂજામાં કઈ કઈ વસ્તુઓની જરૂર પડતી હોય છે. આ વખતે હોળી 17 માર્ચ, ગુરુવારના રોજ છે.

પૂજન સામગ્રી

⦁ 5 કે 7 પ્રકારના ધાન્ય (જેમ કે ઘઉં અને નવા થયેલા પાકો અડદ, મગ, ચણા, જવ, ચોખા, મસૂર)

⦁ પૂજાના પુષ્પ અને 1 ફૂલહાર

⦁ કુમકુમ

⦁ નાડાછડી

⦁ આખી હળદર

⦁ મગ

⦁ હારડા (પતાશા)

⦁ ગુલાલ

⦁ મીઠાઇ

⦁ ફળ

⦁ ખજૂર, ધાણી

⦁ નારિયેળ

⦁ એક કળશ જળ

પૂજન વિધિ

⦁ સૌથી પહેલા હોલિકા પૂજન માટે પૂર્વ કે ઉત્તર દિશા તરફ આપનું મુખ રહે તે રીતે બેસવું.

⦁ આપની આસપાસ પાણીનો છંટકાવ કરવો.

⦁ પૂજનનો પ્રારંભ કરતા પહેલાં પોતાનું નામ, પિતાનું નામ, અને ગોત્રનું નામ લઇને અક્ષત લઇને શ્રીગણેશનું સ્મરણ કરીને આ અક્ષત હોળી પર અર્પણ કરો.

⦁ નૃસિંહ ભગવાનનું નામ સ્મરણ કરતા કરતા કંકુ ચોખાથી હોળીની પૂજા કરો.

⦁ ત્યારબાદ 5 કે 7 પ્રકારના ધાન્ય હોળીમાં અર્પણ કરો.

⦁ સભ્યોના મસ્તક પરથી નારિયેળ ઉતારીને હોળીમાં પધરાવવું. માન્યતા અનુસાર આ રીતે નારિયેળ પધરાવવાથી પરિવારજનોના સઘળા દુઃખ દૂર થાય છે.

⦁ પૂજન બાદ હોળીને જળ અર્પણ કરતા કરતા તેની પ્રદક્ષિણા કરવી જોઈએ. હોળીની 3 કે 7 પ્રદક્ષિણા કરવાથી સવિશેષ લાભની પ્રાપ્તિની માન્યતા છે.

⦁ પ્રદક્ષિણા પૂર્ણ થયા બાદ બે હાથ જોડી પ્રાર્થના કરો. કે આપનું આવનારું વર્ષ સકારાત્મક ઊર્જા અને શુભત્વથી પરિપૂર્ણ રહે.

⦁ હોલિકા દહન સમયે હાજર દરેકને કુમકુમનું તિલક કરીને શુભકામનાઓ આપો.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચો : ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે ભોજન કરતી વખતે વાસ્તુશાસ્ત્રના આ નિયમોનું પાલન કરો

આ પણ વાંચો : 8 કે 9, કેટલા દિવસની રહેશે ચૈત્ર નવરાત્રી? જાણો મહાઅષ્ટમી અને રામ નવમીની તિથિ

Follow Us
સરકારી વાહનો હોવા છતાં ખાનગી ગાડીમાં 'EVM' કઈ રીતે પહોંચ્યા?
સરકારી વાહનો હોવા છતાં ખાનગી ગાડીમાં 'EVM' કઈ રીતે પહોંચ્યા?
અમદાવાદની ITC નર્મદા હોટલની સેન્ડવીચમાંથી જીવાત નીકળી
અમદાવાદની ITC નર્મદા હોટલની સેન્ડવીચમાંથી જીવાત નીકળી
હીટવેવના પગલે આરોગ્ય તંત્ર એક્શનમાં, જુઓ વીડિયો
હીટવેવના પગલે આરોગ્ય તંત્ર એક્શનમાં, જુઓ વીડિયો
હવે સાગર રબારીએ પણ આમ આદમી પાર્ટી છોડી
હવે સાગર રબારીએ પણ આમ આદમી પાર્ટી છોડી
ઘરને તાત્કાલિક સફાઈની જરૂર છે, થોડો તણાવ પેદા થઈ શકે છે
ઘરને તાત્કાલિક સફાઈની જરૂર છે, થોડો તણાવ પેદા થઈ શકે છે
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
g clip-path="url(#clip0_868_265)">