AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે ભોજન કરતી વખતે વાસ્તુશાસ્ત્રના આ નિયમોનું પાલન કરો

વાસ્તુ અનુસાર, જો તમે આ નિયમોનું નિયમિતપણે પાલન કરો છો, તો તમને જીવનમાં ઘણા ફાયદા થશે. જાણો કઈ દિશામાં ભોજન કરવાથી તમે તમારા જીવનમાં ખુશીઓ લાવી શકો છો.

Vastu Tips: ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે ભોજન કરતી વખતે વાસ્તુશાસ્ત્રના આ નિયમોનું પાલન કરો
Vastu Tips
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 05, 2022 | 6:17 PM
Share

કોણ નથી ઈચ્છતું કે ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનું વાતાવરણ રહે અને જીવનમાં પ્રગતિ થાય. આ માટે, સામાન્ય રીતે દરેક વ્યક્તિ પોતાના વ્યવસાયમાં સખત મહેનત અને સમર્પણ સાથે કામ કરવામાં વ્યસ્ત હોય છે. કેટલીકવાર, સખત મહેનત અને સમર્પણ હોવા છતાં, આપણને તે સ્થાન મળતું નથી જે આપણે વારંવાર શોધીએ છીએ. તેની પાછળ વાસ્તુ દોષ (Vastu Dosh) હોઈ શકે છે. અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે જમતી વખતે વાસ્તુના (Vastu Tips) કયા નિયમોનું ધ્યાન રાખવું જોઈએ. વાસ્તુ અનુસાર, જો તમે આ નિયમોનું નિયમિતપણે પાલન કરો છો, તો તમને જીવનમાં ઘણા ફાયદા થશે. જાણો કઈ દિશામાં ભોજન કરવાથી તમે તમારા જીવનમાં ખુશીઓ લાવી શકો છો.

પૂર્વ દિશા

એવું કહેવાય છે કે જો ભોજન પૂર્વ તરફ મુખ કરીને કરવામાં આવે તો તેનાથી શારીરિક સમસ્યાઓ દૂર થાય છે. આ સાથે જે લોકો સ્ટ્રેસ એટલે કે માનસિક તણાવથી પરેશાન છે, તેમને પણ રાહત મળે છે. વાસ્તુ અનુસાર પૂર્વ દિશા તરફ મુખ રાખીને ભોજન કરવાથી શરીર અને મનમાં હંમેશા તાજગી રહે છે અને આપણા મનમાં એક અલગ પ્રકારની ખુશી રહે છે. એવું પણ કહેવાય છે કે જો ઘરનો કોઈ સભ્ય બીમાર હોય તો તેને પૂર્વ દિશા તરફ મુખ કરીને ભોજન કરાવો. થોડા સમય પછી તેમની તબિયતમાં સુધારો જોવા મળી શકે છે.

ઉત્તર દિશા

આ દિશા તરફ મુખ રાખીને ભોજન કરવાથી ધનની પ્રાપ્તિ થાય છે. સાથે જ, જો તમે પૈસાની ખોટનો સામનો કરી રહ્યા છો, તો આમ કરવાથી આ સમસ્યાને પણ દૂર કરી શકાય છે. આ વાસ્તુ નિયમનું પાલન કરવાથી કામકાજમાં ચાલી રહેલા અવરોધો દૂર થાય છે અને વ્યવસાયમાં સફળતા પણ મળે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર અભ્યાસ કરતા બાળકો માટે ઉત્તર દિશા તરફ મુખ કરીને ભોજન કરવું શુભ માનવામાં આવે છે. તેનાથી મન શાંત થાય છે અને તે અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરી શકે છે.

પશ્ચિમ દિશા

એવું કહેવાય છે કે પૂર્વ અને ઉત્તર દિશા સિવાય જો ભોજન પશ્ચિમ તરફ મુખ કરીને કરવામાં આવે તો તે પણ ખૂબ જ શુભ હોય છે. જેઓ નોકરી કરે છે, તેઓ આ કરે છે, તો તેમને પ્રમોશનની નવી તકો મળે છે. આ ઉપરાંત જે લોકો ક્રિએટિવ ફિલ્ડમાં કામ કરે છે તેમણે પણ પશ્ચિમ તરફ મોં રાખીને ભોજન કરવું જોઈએ. આ પદ્ધતિ અપનાવવાથી તેઓ તેમના ક્ષેત્રમાં નવી તકો મેળવે છે.

જમીન પર બેસીને ભોજન કરો

શાસ્ત્રોમાં લખ્યું છે કે જો ભોજનનું સન્માન કરવું હોય તો હંમેશા જમીન પર બેસીને ભોજન કરવું જોઈએ. આજકાલ લોકો ડાઈનિંગ ટેબલ સિવાય બેડ પર બેસીને ભોજન કરે છે. વાસ્તુ અનુસાર, આ એક પ્રકારનો દોષ છે, જે આપણને આર્થિક અને શારીરિક રીતે પરેશાન કરે છે. પ્રાચીન સમયમાં લોકો જમીન પર બેસીને ભોજન કરતા હતા અને તે ખૂબ જ શુભ પણ માનવામાં આવે છે.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે. જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. જનરુચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : International Women’s Day 2022: ભારતના આ 5 મંદિરોમાં પુરૂષો નથી કરી શકતા પ્રવેશ, માત્ર મહિલાઓ જ કરે છે પૂજા

આ પણ વાંચો : Chaitra Navaratri 2022 date: 8 કે 9, કેટલા દિવસની રહેશે ચૈત્ર નવરાત્રી? જાણો મહાઅષ્ટમી અને રામ નવમીની તિથિ

Follow Us
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
g clip-path="url(#clip0_868_265)">