Vastu Tips: ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે ભોજન કરતી વખતે વાસ્તુશાસ્ત્રના આ નિયમોનું પાલન કરો

વાસ્તુ અનુસાર, જો તમે આ નિયમોનું નિયમિતપણે પાલન કરો છો, તો તમને જીવનમાં ઘણા ફાયદા થશે. જાણો કઈ દિશામાં ભોજન કરવાથી તમે તમારા જીવનમાં ખુશીઓ લાવી શકો છો.

Vastu Tips: ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે ભોજન કરતી વખતે વાસ્તુશાસ્ત્રના આ નિયમોનું પાલન કરો
Vastu Tips
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 05, 2022 | 6:17 PM

કોણ નથી ઈચ્છતું કે ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનું વાતાવરણ રહે અને જીવનમાં પ્રગતિ થાય. આ માટે, સામાન્ય રીતે દરેક વ્યક્તિ પોતાના વ્યવસાયમાં સખત મહેનત અને સમર્પણ સાથે કામ કરવામાં વ્યસ્ત હોય છે. કેટલીકવાર, સખત મહેનત અને સમર્પણ હોવા છતાં, આપણને તે સ્થાન મળતું નથી જે આપણે વારંવાર શોધીએ છીએ. તેની પાછળ વાસ્તુ દોષ (Vastu Dosh) હોઈ શકે છે. અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે જમતી વખતે વાસ્તુના (Vastu Tips) કયા નિયમોનું ધ્યાન રાખવું જોઈએ. વાસ્તુ અનુસાર, જો તમે આ નિયમોનું નિયમિતપણે પાલન કરો છો, તો તમને જીવનમાં ઘણા ફાયદા થશે. જાણો કઈ દિશામાં ભોજન કરવાથી તમે તમારા જીવનમાં ખુશીઓ લાવી શકો છો.

પૂર્વ દિશા

એવું કહેવાય છે કે જો ભોજન પૂર્વ તરફ મુખ કરીને કરવામાં આવે તો તેનાથી શારીરિક સમસ્યાઓ દૂર થાય છે. આ સાથે જે લોકો સ્ટ્રેસ એટલે કે માનસિક તણાવથી પરેશાન છે, તેમને પણ રાહત મળે છે. વાસ્તુ અનુસાર પૂર્વ દિશા તરફ મુખ રાખીને ભોજન કરવાથી શરીર અને મનમાં હંમેશા તાજગી રહે છે અને આપણા મનમાં એક અલગ પ્રકારની ખુશી રહે છે. એવું પણ કહેવાય છે કે જો ઘરનો કોઈ સભ્ય બીમાર હોય તો તેને પૂર્વ દિશા તરફ મુખ કરીને ભોજન કરાવો. થોડા સમય પછી તેમની તબિયતમાં સુધારો જોવા મળી શકે છે.

ઉત્તર દિશા

આ દિશા તરફ મુખ રાખીને ભોજન કરવાથી ધનની પ્રાપ્તિ થાય છે. સાથે જ, જો તમે પૈસાની ખોટનો સામનો કરી રહ્યા છો, તો આમ કરવાથી આ સમસ્યાને પણ દૂર કરી શકાય છે. આ વાસ્તુ નિયમનું પાલન કરવાથી કામકાજમાં ચાલી રહેલા અવરોધો દૂર થાય છે અને વ્યવસાયમાં સફળતા પણ મળે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર અભ્યાસ કરતા બાળકો માટે ઉત્તર દિશા તરફ મુખ કરીને ભોજન કરવું શુભ માનવામાં આવે છે. તેનાથી મન શાંત થાય છે અને તે અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરી શકે છે.

અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો

પશ્ચિમ દિશા

એવું કહેવાય છે કે પૂર્વ અને ઉત્તર દિશા સિવાય જો ભોજન પશ્ચિમ તરફ મુખ કરીને કરવામાં આવે તો તે પણ ખૂબ જ શુભ હોય છે. જેઓ નોકરી કરે છે, તેઓ આ કરે છે, તો તેમને પ્રમોશનની નવી તકો મળે છે. આ ઉપરાંત જે લોકો ક્રિએટિવ ફિલ્ડમાં કામ કરે છે તેમણે પણ પશ્ચિમ તરફ મોં રાખીને ભોજન કરવું જોઈએ. આ પદ્ધતિ અપનાવવાથી તેઓ તેમના ક્ષેત્રમાં નવી તકો મેળવે છે.

જમીન પર બેસીને ભોજન કરો

શાસ્ત્રોમાં લખ્યું છે કે જો ભોજનનું સન્માન કરવું હોય તો હંમેશા જમીન પર બેસીને ભોજન કરવું જોઈએ. આજકાલ લોકો ડાઈનિંગ ટેબલ સિવાય બેડ પર બેસીને ભોજન કરે છે. વાસ્તુ અનુસાર, આ એક પ્રકારનો દોષ છે, જે આપણને આર્થિક અને શારીરિક રીતે પરેશાન કરે છે. પ્રાચીન સમયમાં લોકો જમીન પર બેસીને ભોજન કરતા હતા અને તે ખૂબ જ શુભ પણ માનવામાં આવે છે.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે. જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. જનરુચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : International Women’s Day 2022: ભારતના આ 5 મંદિરોમાં પુરૂષો નથી કરી શકતા પ્રવેશ, માત્ર મહિલાઓ જ કરે છે પૂજા

આ પણ વાંચો : Chaitra Navaratri 2022 date: 8 કે 9, કેટલા દિવસની રહેશે ચૈત્ર નવરાત્રી? જાણો મહાઅષ્ટમી અને રામ નવમીની તિથિ

Latest News Updates

કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Rain : ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદ
Rain : ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદ
Chhota Udepur : ઉનાળાની આકરી ગરમી વચ્ચે વરસ્યો વરસાદ
Chhota Udepur : ઉનાળાની આકરી ગરમી વચ્ચે વરસ્યો વરસાદ
g clip-path="url(#clip0_868_265)">