AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ambalal Patel Rain Forecast: દક્ષિણ ગુજરાત માટે અંબાલાલ પટેલની ચિંતાજનક આગાહી, આગામી 48 કલાક ભારે

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે દક્ષિણ ગુજરાત માટે આગામી 48 કલાક અત્યંત મહત્વના ગણાવ્યા છે. તેમના જણાવ્યા મુજબ સુરત, નવસારી, વલસાડ, તાપી અને ડાંગ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. ખાસ કરીને સુરત અને નવસારી જિલ્લામાં 4થી 5 ઇંચ સુધી વરસાદ પડી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

Ambalal Patel Rain Forecast: દક્ષિણ ગુજરાત માટે અંબાલાલ પટેલની ચિંતાજનક આગાહી, આગામી 48 કલાક ભારે
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 08, 2026 | 1:50 PM
Share

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે દક્ષિણ ગુજરાત માટે આગામી 48 કલાક અત્યંત મહત્વના ગણાવ્યા છે. તેમના જણાવ્યા મુજબ સુરત, નવસારી, વલસાડ, તાપી અને ડાંગ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. ખાસ કરીને સુરત અને નવસારી જિલ્લામાં 4થી 5 ઇંચ સુધી વરસાદ પડી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સતત વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા અને નદી-નાળાઓની જળસપાટી વધવાની શક્યતા હોવાથી લોકોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.

 સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં પણ વરસાદી માહોલ

અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ દક્ષિણ ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલી જિલ્લામાં પણ હળવાથી ભારે વરસાદની શક્યતા છે. બીજી તરફ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી આગામી બે દિવસ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે.

 48 કલાક બાદ વરસાદનું જોર ઘટવાની શક્યતા

અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આગામી 48 કલાક દરમિયાન ભારે વરસાદ બાદ ધીમે ધીમે વરસાદનું પ્રમાણ ઘટવા લાગશે. જોકે કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં યથાવત રહી શકે છે. તેમણે ખેડૂતો અને નદી કિનારાના વિસ્તારોમાં રહેતા લોકોને હવામાનની સ્થિતિ પર સતત નજર રાખવા અપીલ કરી છે.

 13થી 15 જુલાઈ દરમિયાન ગાજવીજ સાથે વરસાદની આગાહી

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 13થી 15 જુલાઈ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદની શક્યતા રહેશે. આ સમયગાળા દરમિયાન કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ નોંધાઈ શકે છે. તેથી લોકોને વીજળીના કડાકા-ભડાકા દરમિયાન ખુલ્લા સ્થળોએ ન રહેવા અને જરૂરી સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.

 ભગવાન જગન્નાથની રથયાત્રા દરમિયાન પણ વરસી શકે મેઘરાજા

અમદાવાદમાં 16 જુલાઈએ યોજાનારી ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક રથયાત્રાને લઈને પણ અંબાલાલ પટેલે આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ રથયાત્રાના દિવસે શહેરમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી શકે છે. જોકે સતત ધોધમાર વરસાદની શક્યતા ઓછી છે, પરંતુ યાત્રા દરમિયાન વાતાવરણ વાદળછાયું રહેવાની અને વચ્ચે-વચ્ચે વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તેથી રથયાત્રાના આયોજનમાં જોડાયેલા તંત્ર અને ભાવિકોને હવામાનને ધ્યાનમાં રાખીને જરૂરી તૈયારીઓ કરવાની સલાહ આપવામાં આવી છે.

આ પણ વાંચો- Breaking News: 12 કલાકમાં 14 ઈંચ વરસાદથી સુરત જળબંબાકાર, 9ના મોત, શાળા-કોલેજ બંધ, ટેક્સટાઈલ માર્કેટને પણ બ્રેક

Follow Us
g clip-path="url(#clip0_868_265)">