જો સૌર વાવાઝોડું આવશે, તો બચવા માટે આપણી પાસે હશે માત્ર 30 મિનિટનો સમય, NASAએ આપી ચેતવણી

અમેરિકન સ્પેસ એજન્સી NASAએ સૌર વાવાઝોડાને લઈને ચેતવણી આપી હતી અને કહ્યું હતું કે તેના હુમલાથી બચવા માટે મનુષ્ય પાસે માત્ર 30 મિનિટનો સમય હશે. આ તોફાન અવકાશથી લઈને પૃથ્વી સુધીની ઘણી વસ્તુઓને અસર કરી શકે છે.

| Updated on: Oct 20, 2024 | 5:59 PM

જો ક્યારેય મોટું સૌર વાવાઝોડું પૃથ્વીથી ટકરાશે તો લોકો પાસે તેનાથી બચવા માટે ફક્ત 30 મિનિટનો સમય હશે. અમેરિકન સ્પેસ એજન્સી NASAના એક સંશોધકે આ વાત કહી છે. NASAની ટીમ સૌર ડેટા પર AI મોડલ્સ લાગુ કરીને અર્લી વોર્નિગ સિસ્ટમ વિકસાવવા માટે કામ રહી છે. આ સાથે વૈજ્ઞાનિકો એ જાણવાનો પ્રયાસ કરશે કે સૌર તોફાન પૃથ્વી પર ક્યારે પહોંચી શકે છે.

વૈજ્ઞાનિકોએ DAGGER નામના ડીપ લર્નિંગ મોડની તાલીમ પણ શરૂ કરી છે, જેથી આ અંગે વધુ માહિતી મેળવી શકાય. ACE, WING, IMP-8 અને Geotail સહિતના ઘણા સેટેલાઈટ સૌર ઉત્સર્જનનું નિરીક્ષણ કરી રહ્યા છે અને NASA ટીમને ડેટા મોકલી રહ્યા છે. સૌર વાવાઝોડાથી વીજળીના ગ્રીડને અસર થઈ શકે છે. સૌર વાવાઝોડાને ટાળવા માટે જ્યારે સૌર વાવાઝોડું આવવાની માહિતી મળે ત્યારે અસરગ્રસ્ત વિસ્તારોમાં ગ્રીડ બંધ કરી દેવી જોઈએ.

સૌર તોફાન શું છે?

તેને જીઓમેગ્નેટિક સ્ટોર્મ પણ કહેવામાં આવે છે. આ સૂર્યમાંથી નીકળતા રેડિયેશન છે, જે સમગ્ર સૌરમંડળને અસર કરી શકે છે. આ અસરને કારણે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર પણ બચતું નથી. તેથી જ તેને આપત્તિ કહેવામાં આવે છે. તે પૃથ્વીની આસપાસના વાતાવરણની ઊર્જાને પણ અસર કરે છે. જો કે પહેલા પણ સૌર તોફાન આવી ચૂક્યા છે. 1989માં કેનેડાના ક્વિબેક શહેરમાં આવ્યું હતું. જેના કારણે અહીં 12 કલાક સુધી વીજળી ગુલ થઈ હતી.

Follow Us:
જો સૌર વાવાઝોડું આવશે, તો બચવા માટે આપણી પાસે હશે માત્ર 30 મિનિટનો સમય
જો સૌર વાવાઝોડું આવશે, તો બચવા માટે આપણી પાસે હશે માત્ર 30 મિનિટનો સમય
છોટાઉદેપુરમાં રસ્તાના અભાવે પ્રસુતાને 3 કિમી સુધી ઝોળીમાં નાખી લઈ જવાઈ
છોટાઉદેપુરમાં રસ્તાના અભાવે પ્રસુતાને 3 કિમી સુધી ઝોળીમાં નાખી લઈ જવાઈ
નાનાબાર કડવા પાટીદાર સમાજ દ્વારા દીકરીઓને અપાઈ સર્વાઇકલ કેન્સરની રસી
નાનાબાર કડવા પાટીદાર સમાજ દ્વારા દીકરીઓને અપાઈ સર્વાઇકલ કેન્સરની રસી
બોરસદ તાલુકામાં ધોધમાર વરસાદ વચ્ચે વીજળી પડવાના દ્રશ્યો
બોરસદ તાલુકામાં ધોધમાર વરસાદ વચ્ચે વીજળી પડવાના દ્રશ્યો
રાજ્યના તમામ સરકારી કર્મચારી માટે હેલ્મેટ ફરજિયાત
રાજ્યના તમામ સરકારી કર્મચારી માટે હેલ્મેટ ફરજિયાત
સોનગઢ તાલુકા પંચાયતમાં કોંગ્રેસના મહિલા સદસ્ય પર કરાયો જીવલેણ હુમલો
સોનગઢ તાલુકા પંચાયતમાં કોંગ્રેસના મહિલા સદસ્ય પર કરાયો જીવલેણ હુમલો
બાબરાના ગ્રામ્ય વિસ્તારમાં 1 કલાકમાં 2 થી 3 ઈંચ વરસ્યો વરસાદ
બાબરાના ગ્રામ્ય વિસ્તારમાં 1 કલાકમાં 2 થી 3 ઈંચ વરસ્યો વરસાદ
આ 5 રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
MLA અને પૂર્વ મંત્રી ગજેન્દ્રસિંહની મુશ્કેલીમાં વધારો
MLA અને પૂર્વ મંત્રી ગજેન્દ્રસિંહની મુશ્કેલીમાં વધારો
મેઘરાજા ફરી બોલાવશે ધડબડાટી ! ગુજરાતના વિસ્તારોમાં પડશે ભારે વરસાદ
મેઘરાજા ફરી બોલાવશે ધડબડાટી ! ગુજરાતના વિસ્તારોમાં પડશે ભારે વરસાદ
g clip-path="url(#clip0_868_265)">