Ahmedabad : ચિરિપાલ ગ્રૂપને ત્યાં આઈટીનો સપાટો, 800 કરોડના બેનામી વ્યવહારો મળી આવ્યા

તપાસ દરમિયાન અત્યાર સુધી 25 કરોડ રોકડા તેમજ 15 કરોડની જ્વલેરી મળી આવ્યા છે. આ સિવાય 20 બેન્ક લોકર અને મોટાપ્રમાણમાં ડિજિટલ ડેટા મળ્યો છે. અઠવાડિયા અગાઉ ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે (IT) ટેક્સટાઇલ, પેકેજિંગ, કેમિકલ અને સોલાર સાથે સંકળાયેલા ચિરિપાલ ગ્રૂપ પર દરોડા પાડ્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 28, 2022 | 11:11 AM

ચિરિપાલ ગ્રૂપને ત્યાં આવકવેરા વિભાગે સપાટો બોલાવ્યો છે. આઈટી વિભાગે ચિરિપાલ ગ્રૂપ (Chiripal groups)ના અમદાવાદ સહિત રાજ્યના 45 સ્થળે દરોડા પાડ્યા છે. જેમાં 800 કરોડના બેનામી વ્યવહારો મળી આવ્યા છે. તપાસ દરમિયાન અત્યાર સુધી 25 કરોડ રોકડા તેમજ 15 કરોડની જ્વલેરી મળી આવ્યા છે. આ સિવાય 20 બેન્ક લોકર અને મોટાપ્રમાણમાં ડિજિટલ ડેટા મળ્યો છે. અઠવાડિયા અગાઉ ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે (IT) ટેક્સટાઇલ, પેકેજિંગ, કેમિકલ અને સોલાર સાથે સંકળાયેલા ચિરિપાલ ગ્રૂપ પર દરોડા પાડ્યા હતા.

9 દિવસ ચાલેલી તપાસ કામગીરીમાં અધિકારીઓએ ફેકટરી, બંગ્લોઝ, ઓફિસ અને કર્મચારીઓના કેટલાક ઠેકાણે તપાસ કરી હતી. જેમાં અનેક પ્રકારના ડોક્યુમેન્ટ, માલનો સ્ટોક વગેરે મળી આવ્યા હતા. જેનું સતત એક અઠવાડિયા સુધી સ્કેનિંગ ચાલ્યું હતું. ઓફિસના કમ્પ્યૂટર, લેપટોપ વગેરે પણ સ્કેન કરાયા હતા. જેના આધારે અધિકારીઓએ રૂપિયા 800 કરોડના બિનહિસાબી વ્યવહારો શોધી કાઢયા હતા. આ ઉપરાંત અધિકારીઓને મળેલા ડિજિટલ દસ્તાવેજોને FSLના અધિકારીઓ દ્વારા ચકાસણી કરવામાં આવી રહી છે.

તપાસ સાથે સંકળાયેલાં સૂત્રો કહે છે કે જે ડોક્યુમેન્ટ મળ્યા છે તેમાં કેટલાક વ્યવહારો અન્ડર બિલિંગ છે. ખાસ કરીને જે ધંધાકીય સેલ છે તેમાં અન્ડર બિલિંગ કરાયું છે. જેટલામાં માલ વેચાયો તેનું બિલિંગ ઓછી રકમનું કરવામાં આવ્યું છે. જેથી ટેક્સ ઓછો ભરવો પડે. તપાસમાં ગ્રુપના રીઅલ એસ્ટેટના રોકાણો પણ બિનહિસાબી મળી આવ્યા હતા. અધિકારીઓ કહે છે કે અનેક સોદા બતાવાયા નથી. હવે તેઓ ચકાસી રહ્યા છે કે આ રોકાણો કોના નામે છે. હવે કાર્યવાહી બેનામી મિલકતની ખરીદી તરફ જઈ શકે છે. અગાઉ 20 લોકર સિઝ કરાયા હતા જે હવે 2-3 દિવસમાં ઓપરેટ કરાશે. અત્યાર સુધી રોકડ અ્ને જ્વેલરી મળી કુલ 40 કરોડનો મુદ્દામાલ સીઝ કરાયો છે. રોકડ બેન્કમાં જમા કરી દેવાઈ છે. હવે લોકરમાંથી શું નીકળે છે તેના પર સૌની નજર છે.​​​​

Follow Us:
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">