કમોસમી માવઠા બાદ હવે વારો આવ્યો શેરડી પકવતા ખેડૂતોનો, સુગર મીલોમાં નથી આવી રહી શેરડી

હાલમાં જ પડેલા કમોસમી વરસાદની અસર ધીમે ધીમે ખેડૂતોને વરતાઈ રહી છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો અહીં સુગર મિલો વિશેષ આવેલી છે, પરંતુ કમોસમી માવઠા બાદ આ મિલોમાં શેરડીના પીલાણ માટે શેરડી ઓછી આવી રહી છે. જેની સીધી અસર ખાંડના ઉત્પાદન પર પડી રહી છે. શક્ય છે કે તેની અસર આવનારા સમયમાં ખાંડના ભાવો પર પણ પડે. પણ એ પહેલાં વ્યારાના ખેતરો અને સુગર મિલોમાં જઈને જોઈએ કે આખરે સ્થિતિ શું છે ?

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 09, 2023 | 11:44 PM

કમોસમી માવઠાએ ખેડૂતોને રાતા પાણીએ રડાવ્યા હોવાનું સામે આવ્યું છે. હવે વારો આવ્યો શેરડી પકવતા ખેડૂતોનો કારણ કે ભીની શેરડીના પીલાણની સમસ્યા છે. સુગર મીલોમાં શેરડી  નથી આવી રહી દક્ષિણ ગુજરાતમાં શેરડીનો ખાસો એવો પાક થાય અને અને અહીં સુગર મિલો પણ વધુ છે.

જેમાં પ્રતિદિન સેંકડો ટન શેરડી પીલાણ માટે આવતી હોય છે, પરંતુ માવઠાને પગલે સુગર મિલોની ગાડીઓ ખેડૂતોના ખેતરો સુધી પહોંચી શકતી નથી અને એટલે આ તૈયાર થયેલી શેરડી આ મીલોમાં પીલાણ માટે આવી શકતી નથી, પરિણામે ખેડૂતોની મુશ્કેલી વધી છે.

ખેડૂતોને કમોસમી વરસાદ બેવડો માર મારી રહ્યો છે, તો સુગર મિલો પર પણ તેની વિપરીત અસર વરતાઈ રહી છે, જેમાંની જ એક એટલે વ્યારાના ખુશાલપુરા ગામે આવેલી સુગર મિલ અહીં પણ સેંકડો ટન ખાંડ ભીંજાવાની સાથે સાથે પીલાણ માટે આવતી શેરડીમાં પણ નોંધપાત્ર ઘટાડો દેખાઈ રહ્યો છે.

tapi unseasonal rain sugarcane farmers sugar fairs

આમ જોવા જઈએ તો જગતના તાતને માથેની ઘાત ઓછી નથી થઈ રહી. ક્યારેક કુદરતી તો ક્યારેક કૃત્રિમ આફતમાં ખેડૂતો ઘેરાયેલા રહે છે. જોકે આ વખતે ખેડૂતોની સાથે સુગર મિલોની પણ ફિકર વધી છે કેમકે શેરડીનો જથ્થો આવવાનું ઘટી ગયું છે. બની શકે કે આવનારા સમયમાં ખાંડના ભાવો પર તેની અસર પડે.

(ઈનપુટ ક્રેડિટ – નીરવ કંસારા, તાપી)

Follow Us:
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
g clip-path="url(#clip0_868_265)">