સુરેન્દ્રનગર: મહાનગરપાલિકા જાહેર થયા બાદ તંત્રએ ગેરકાયદે દબાણો પર ફેરવ્યુ બુલડોઝર- જુઓ વીડિયો
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા જાહેર થયા બાદ પાલિકાનું તંત્ર એક્શનમાં આવ્યુ છે અને ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી શરૂ કરી છે. આજે રવિવારના દિવસે પાલિકાની દબાણ હટાવ ટીમ દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી ગેરકાયદે કરાયેલા બાંધકામો પર બુલડોઝરથી તોડી પાડવામાં આવ્યા હતા.
ગુજરાતના બજેટ 2024માં સુરેન્દ્રનગર વઢવાણને મહાનગરપાલિકા જાહેર કરવામાં આવી છે. મહાનગરપાલિકા જાહેર થયા બાદ તંત્ર એક્શનમાં આવ્યુ છે અને પાલિકાની દબાણ હટાવ ટીમ દ્વારા ગેરકાયદે દબાણો તોડવાની કામગીરી હાથ ધરાઈ હતી. શહેરના ભોગાવો નદી કાંઠે બનાવાયેલી પાકી ઓરડીઓ તંત્રના બુલડોઝર દ્વારા તોડી પાડવામાં આવી હતી.
છેલ્લા 30 વર્ષથી ભોગાવો નદી પર ગેરકાયદે દબાણ ધમધમી રહ્યા હતા. જેના પર આજે બુલડોઝર ફરી વળ્યુ હતુ અને નદીકાંઠાના જમીનને ખુલ્લી કરવામાં આવી હતી.
આ પણ વાંચો: ભાવનગરમાં ફરી એકવાર પેપર થયુ લીક, NCC સર્ટિફિકેટની પરીક્ષાના કલાક પહેલા જ પેપર ફુટતા પરીક્ષા કરાઈ રદ
જિલ્લા કલેક્ટરના આદેશ બાદ પાલિકાએ નદી કાંઠા વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી હતી. આ દરમિયાન પાલિકાની દબાણ શાખાની ટીમ અને મામલતદાર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.
Latest Videos
Latest News