Sabarkatha: હાથમતી નદીના જળસ્તરમાં વધારો થતા જાંબુડી નજીક કોઝવે પાણીમાં ગરકાવ, સ્થાનિકોને 7 કિમી ફરીને જવા મજબુર

Sabarkatha: છેલ્લા બે દિવસથી હાથમતી નદીનુું જળસ્તર સતત વધતા હિંમતનગર-જાંબુડી નજીક કોઝવે પાણીમાં ગરકાવ થયો છે. જેના કારણે સ્થાનિકોની હાલાકી વધી છે. કોઝવે પર પાણી ફરી વળતા સ્થાનિકોને 7 કિલોમીટર ફરીને જવુ પડે છે. 

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 26, 2022 | 2:40 PM

સાબરકાંઠા (Sabarkatha)માં હાથમતી(Hathmati) નદીના જળસ્તરમાં વધારો થયો છે. હિંમતનગર, જાંબુડી નજીક કોઝવે પાણીમાં ગરકાવ થયો છે. જાંબુડી- આંબાવાડા ગામને જોડતા કોઝવે પર પાણી ફરી વળ્યા છે. કોઝવે (Causeway)પરથી અવરજવરને બંધ કરી દેવાઈ છે. કોઝવે બંધ થતા સ્થાનિકોને સાત કિલોમીટરનું અંતર વધુ કાપવુ પડે છે. હાથમતી નદીના જળસ્તરમાં વધારો થતા પૂરની સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે કોઝવે પર પાણી ફરી વળતા લોકોને ફરી-ફરીને જવાની ફરજ પડી રહી છે. હિંમતનગર જાંબુડી નજીકનો કોઝવે પાણીમાં ગરકાવ થતા કોઝવેને અવરજવર માટે બંધ કરી દેવાયો છે.

હાથમતી નદીમાં જળસ્તર વધતા કોઝવે પાણીમાં ગરકાવ

છેલ્લા બે દિવસથી હાથમતી નદીનું જળસ્તર વધી રહ્યુ છે. જેના કારણે સ્થાનિક રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. જેમા જાંબુડી, આંબાવાડા, મનહરપુરા વિસ્તારના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. એકતરફ રાહતની વાત છે કે નદીઓમાં અને જળાશયોમાં પાણીનુ જળસ્તર વધ્યુ છે. જેના કારણે જિલ્લામાં પાણીની કોઈ સમસ્યા નહીં રહે. તો બીજી તરફ રસ્તાઓ પર પાણી ફરી વળતા સ્થાનિકોને હાલાકી પડી રહી છે.

 સાત કિલોમીટર ફરીને જવા મજબુર સ્થાનિકો

હિંમતનગર, જાંબુડી નજીક કોઝવે પાણીમાં ગરકાવ થતા લોકોને સાત કિલોમીટર સુધીનું અંતર વધુ કાપવુુ પડે છે અને ફરીને જવુ પડે છે. જેના કારણે તેમના સમયની પણ બર્બાદી થાય છે. તંત્ર દ્વારા પણ તકેદારીના પગલે કોઝવે પરથી અવરજવર બંધ કરી દેવામાં આવી છે.  હાલ તો કોઝવે પરથી પાણી ઉતરે તેની સ્થાનિકો રાહ જોઈ રહ્યા છે.

ઈનપુટ ક્રેડિટ- અવનિશ ગોસ્વામી- સાબરકાંઠા  

Follow Us:
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">