અમદાવાદ ગ્રામ્યની શાળામાં નવતર પ્રયોગ, વિદ્યાર્થીઓને ભણાવાશે ગીતાના શ્લોક

અમદાવાદ ગ્રામ્યની શાળાઓમાં થતી પ્રાર્થના માટે ગીતાના શ્લોકને ખાસ ઓડિયો-વિઝ્યુઅલ ફોર્મમાં તૈયાર કરાયા છે. દર અઠવાડિયે વિદ્યાર્થીઓને ગીતાનો એક શ્લોક ભણાવ્યા બાદ વર્ષના અંતે એક સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવશે. જેમાં 11 હજારથી લઈ 51 હજાર સુધીના પ્રોત્સાહન ઈનામો આપવામાં આવશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 20, 2024 | 7:15 PM

અમદાવાદ ગ્રામ્યની શાળાઓમાં નવતર પ્રયોગ હાથ ધરાયો છે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારની DEO કચેરી હસ્તગત આવતી શાળાઓમાં હવે પ્રાર્થના દરમિયાન જ ગીતાના પાઠ પણ શીખવવાનો પ્રસ્તાવ મૂકાયો છે. ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓને ગીતાના પાઠ પણ શીખવવામાં આવશે. બાળક ભણતરની સાથે ગણતરના પાઠ પણ શીખે તે હેતુ સાથે આ પ્રોજેક્ટ તૈયાર કરાયો છે.

પ્રોજેક્ટ અંતર્ગત ગ્રામ્ય વિસ્તારની જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા ભગવદ્ ગીતાના કુલ 51 જેટલા શ્લોકને અલગથી તારવવામાં આવ્યા છે. આ એવા શ્લોક છે કે જે સીધા વિદ્યાર્થીઓને બોધપાઠ આપે છે અને જીવન ઘડતર માટે પ્રેરણારૂપ બને છે. આમ તો રાજ્ય સરકાર પાઠ્ય પુસ્તકના માધ્યમથી બાળકોને ભગવદ્ ગીતાના પાઠ શીખવવા પ્રયત્નશીલ છે, પરંતુ અમદાવાદ ગ્રામીણ DEOએ થોડો નવતર પ્રયોગ હાથ ધરી અનોખો પ્રોજેક્ટ તૈયાર કર્યો. જેનું રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી પ્રફૂલ પાનસેરીયા દ્વારા લોકાર્પણ કરાયું હતું.

શાળાઓમાં થતી પ્રાર્થના માટે ગીતાના શ્લોકને ખાસ ઓડિયો-વિઝ્યુઅલ ફોર્મમાં તૈયાર કરાયા છે. દર અઠવાડિયે વિદ્યાર્થીઓને ગીતાનો એક શ્લોક ભણાવ્યા બાદ વર્ષના અંતે એક સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવશે. જેમાં 11 હજારથી લઈ 51 હજાર સુધીના પ્રોત્સાહન ઈનામો આપવામાં આવશે. કચેરીના તાબા હેઠળ આવતી તમામ શાળાઓમાં આ પ્રોજેક્ટ સ્વેચ્છાએ લાગુ કરવામાં આવ્યો છે. ત્યારે લઘુમતી શાળાઓને પણ આગ્રહ કરવામાં આવશે કે તેઓ પણ શાળામાં ગીતાના શ્લોકોનું પઠન કરાવે.

Follow Us:
અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
g clip-path="url(#clip0_868_265)">