ભારતને સમગ્ર વિશ્વમાં દરેક ક્ષેત્રે નંબર 1 બનાવાશે : અમિત શાહ

10 વર્ષમાં અનેક ક્ષેત્રે વિશ્વને અંચબિત કરનાર સિદ્ધિ ભારતે પ્રાપ્ત કરી છે. ચંદ્ર પર કોઈ ના પહોચ્યું હોય તે જગ્યાએ ભારતનો તિરંગો લહેરાવ્યો છે. સર્જીક્લ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઈકથી દુશ્મનના દાંત ખાટા કરી દીધા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 13, 2024 | 6:38 PM

કેન્દ્રીય ગૃહ અને સહકારીતા પ્રધાન અમિત શાહે, તિંરગા યાત્રાને પ્રસ્થાન કરાવતા પૂર્વે સંબોધન કરતા કહ્યું કે, આજે હર ઘર તિરંગા એક કાર્યક્રમના પ્રચાર અને પ્રસાર માટે તિરંગા યાત્રાનું આયોજન દરેક જિલ્લા મથકે કરાયું છે. સમગ્ર દેશભરમાં જુવાનિયામાં ઉર્જા ભરવાનું કામ કરે છે. દેશભક્તિની અભિવ્યક્તિ નહીં, 2047માં વિકસીત ભારતના સંકલ્પનો એક ભાગ બન્યું છે. 15મી ઓગસ્ટે દરેક જગ્યાએ તિરંગો ફરકે અને વાતાવરણ તિરંગામય બને.

નરેન્દ્ર મોદીએ આઝાદીના અમૃત મહોત્સવ માટે 3 લક્ષ્યાંક રાખ્યા હતા. આઝાદીના લડતનો ઈતિહાસ યાદ કરાવવો. 75 વર્ષમાં દેશે પ્રાપ્ત કરેલ સિદ્ધિઓથી અવગત કરાવવા અને 75થી 100 વર્ષની આ યાત્રા દેશના વિકાસ સાથે જોડાઈ ભારતને સમગ્ર વિશ્વમાં દરેક ક્ષેત્રે નંબર 1 બનાવવાનો પુરુષાર્થ કરવા માટે આયોજન કરાયું હતું.

મેડમ ભિખાજી કામાએ પ્રથમ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. તેમની આજે પૃણ્યતિથી છે. તેમને આંદરજલિ અર્પીએ. આઝાદીના 100 વર્ષે ભારત સંપૂર્ણ વિકસિત મહાન હોય. દરેક ક્ષેત્રે નેતૃત્વ ભારત કરતું હોય તેવા સંકલ્પને સિદ્ધિ સુધી પહોચાડવાનું છે.

10 વર્ષમાં અનેક ક્ષેત્રે વિશ્વને અંચબિત કરનાર સિદ્ધિ ભારતે પ્રાપ્ત કરી છે. ચંદ્ર પર કોઈ ના પહોચ્યું હોય તે જગ્યાએ ભારતનો તિરંગો લહેરાવ્યો છે. સર્જીક્લ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઈકથી દુશ્મનના દાંત ખાટા કરી દીધા છે. કોરોનાકાળમાં બે રસી વિનામૂલ્યે આપીને માનવ જીંદગી બચાવી છે. મહાત્મા ગાંધીની સમાધિસ્થળે વિશ્વના અનેક નેતાએ એક જ સમયે અંજલિ આપી હતી.

વિશેષ કરીને યુવાનોએ આગળ આવવાની હાકલ કરતા અમિત શાહે કહ્યું કે, જે ક્ષેત્રમાં કામ કરતા હોય તે ક્ષેત્રે શ્રેષ્ઠ આપવું. દરેક જગ્યાએ તિરંગો ફરકાવીને રાષ્ટ્ર ભક્તિ જાગૃત કરીએ. દેશમાં ખાદીનો ઉપયોગ વધે તે માટે વડાપ્રધાને અપિલ કરી છે. ખાદી ફોર ફેશન ખાદી ફોર નેશન દ્વારા ખાદી દ્વારા રોજગારી વધે તે માટે પ્રયાસ કર્યો છે.

Follow Us:
સુરત પથ્થરમારાના 23 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર
સુરત પથ્થરમારાના 23 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર
ભાવનગરમાં બેફામ રીતે દિવસે પણ દોડી રહ્યા છે ભારે વાહનો- Video
ભાવનગરમાં બેફામ રીતે દિવસે પણ દોડી રહ્યા છે ભારે વાહનો- Video
અમદાવાદ મનપામાં વિપક્ષના નેતા તરીકે શહેઝાદ ખાન પઠાણ ચૂંટાયા
અમદાવાદ મનપામાં વિપક્ષના નેતા તરીકે શહેઝાદ ખાન પઠાણ ચૂંટાયા
વડોદરામાં રોગચાળો વકર્યો, 24 કલાકમાં 5થી વધારે ડેન્ગ્યુના કેસ નોંધાયા
વડોદરામાં રોગચાળો વકર્યો, 24 કલાકમાં 5થી વધારે ડેન્ગ્યુના કેસ નોંધાયા
વિશ્વામિત્રીમાં આવતા પૂરના કાયમી ઉકેલ માટે મનપા લાવશે એક્શન પ્લાન
વિશ્વામિત્રીમાં આવતા પૂરના કાયમી ઉકેલ માટે મનપા લાવશે એક્શન પ્લાન
ગરૂડેશ્વરમાં જળબંબાકારની સ્થિતિ, 3 ગામનો સંપર્ક તૂટ્યો
ગરૂડેશ્વરમાં જળબંબાકારની સ્થિતિ, 3 ગામનો સંપર્ક તૂટ્યો
સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં તિરાડો પડી હોવાની પોસ્ટ કરી ફસાયો યુઝર-Video
સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં તિરાડો પડી હોવાની પોસ્ટ કરી ફસાયો યુઝર-Video
સુરતમાં થયેલ પથ્થરમારાનો મામલે પોલીસે 6 બાળકોને જુવેનાઈલ કોર્ટમાં રજૂ
સુરતમાં થયેલ પથ્થરમારાનો મામલે પોલીસે 6 બાળકોને જુવેનાઈલ કોર્ટમાં રજૂ
પાલનપુરના ગ્રામ્ય વિસ્તારોમાં 2 કલાકમાં 1 ઈંચ વરસાદ ખાબક્યો
પાલનપુરના ગ્રામ્ય વિસ્તારોમાં 2 કલાકમાં 1 ઈંચ વરસાદ ખાબક્યો
અંબાલાલની મોટી આગાહી, 11 તારીખથી શરૂ થશે ધોધમાર વરસાદનો વધુ એક રાઉન્ડ
અંબાલાલની મોટી આગાહી, 11 તારીખથી શરૂ થશે ધોધમાર વરસાદનો વધુ એક રાઉન્ડ
g clip-path="url(#clip0_868_265)">