ધોરાજીના ચિચોડમાં 3 કલાકમાં ખાબક્યો 9 ઈંચ વરસાદ, તો 12 ઈંચ વરસાદથી ભાડેર ગામ બેટમાં ફેરવાયુ

રાજકોટના ધોરાજી પંથકમાં છેલ્લા 24 કલાકથી અનારાધાર વરસાદ વરસી રહ્યો છે. ધોરાજીના ચિચોડ ગામે ધોધમાર વરસાદ વરસવાનુ યથાવત છે. ચિચોડમાં 3 કલાકમાં 9 ઈંચ વરસાદ ખાબકી જતા નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ છે. ગામમાંથી પસાર થતી નદીઓમાં ઘોડાપૂર આવ્યુ છે. આ તરફ ભાડેર ગામમાં છેલ્લા 24 કલાકમાં 12 ઈંચ વરસાદથી ગામ બેટમાં ફેરવાયુ છે.

Follow Us:
| Updated on: Jul 19, 2024 | 3:15 PM

રાજકોટના ધોરાજી બારે મેઘ ખાંભા જેવી સ્થિતિ થઈ છે. મેઘરાજાએ સમગ્ર ધોરાજી ઉપલેટા તાલુકાને ઘમરોળ્યો છે. ચિચોડ ગામમાં ત્રણ કલાકમાં 9 ઈંચ વરસાદ ખાબકી જતા જળબંબાકારની સ્થિતિ છે. ગામમાંથી પસાર થતી નદીઓમાં ઘોડાપૂર આવ્યુ છે. ખેતરોમાં પાણીમાં ગરકાવ થયા છે. આ તરફ ઉપલેટા પંથકમાં ધોધમાર વરસાદથી ચોતરફ પાણી ભરાયા છે. પોરબંદર-રાજકોટ હાઈવે પર ખેતરમાં પાણી ભરાયા છે. વરસાદી પાણી ભરાતા ખેડૂતોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ધોરાજી ઉપલેટામાં ગઈકાલથી મેઘરાજા મહેર નહીં કહેર બનીને વરસી રહ્યા હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયુ છે.

ભાડેર ગામમાં 24 કલાકમાં 12 ઇંચ વરસાદ

આ તરફ ધોરાજીના ભાડેર ગામમાં 24 કલાકમાં 12 ઈંચ વરસાદ ખાબક્યો છે. ભાડેર ગામમાં ધોધમાર વરસાદ થતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સમગ્ર ગામ બેટમાં પરિવર્તિત થયુ છે. નદી-નાળાઓમાં ઘોડાપૂરની સ્થિતિ છે. ભારે વરસાદ બાદ ગામના રહેણાંક વિસ્તારમાં પાણી ભરાતા લોકોને પારાવાર હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ન્યુ કલ્યાણ સોસાયટી વિસ્તારમાં પાણી ભરાતા સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

ચિત્રાવડ, ખજૂરડા, રોઘેલ સહિતના ગામોમાં ધોધમાર

આ તરફ જામકંડોરણાના ગુદાસરી ગામે આવેલા વિઠ્ઠલ રાદડિયા ભવનમાં પાણી ભરાઈ ગયા છે. જામકંડોરણાની દૂધ મંડળીમાં પણ પૂરના પાણી પ્રવેશ્યા છે. ગુંદાસરી ગામના નદીકાંઠા વિસ્તારમાં પાણી ભરાયા છે. અનેક ગામોમાં ચાર ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. બે દિવસથી વરસી રહેલા વરસાદથી અનેક નદીઓમાં પૂરની સ્થિતિ છે. ફોફળ ડેમ ઓવરફ્લો થવામાં 3 ફુટની સપાટી બાકી છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">