Ahmedabad Rain : શેલાની એપલ વુડ વિલા સોસાયટીના રહીશો પરેશાન, ગટરના પાણી બેક મારતા લોકોમાં રોષ, જુઓ Video

ગુજરાતભરમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. અમદાવાદના શેલાની એપલ વુડ વિલા સોસાયટીના રસ્તા પરથી વરસાદી પાણી ન ઓસરતા હાલાકીનો સામનો કરવો પડ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 06, 2024 | 2:52 PM

ગુજરાતભરમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે.  અમદાવાદમાં પણ ગત સપ્તાહમાં સારો એવો વરસાદ વરસ્યો છે. જો કે છેલ્લા 2-3 દિવસથી વરસાદે અમદાવાદમાં વિરામ લીધો છે. તેમ છતા અમદાવાદની એપલ વુડ સોસાયટીમાં અંદર હજુ સુધી પાણી ભરાયેલા છે. જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

અમદાવાદના શેલાની એપલ વુડ વિલા સોસાયટીના રસ્તા પરથી વરસાદી પાણી ન ઓસરતા હાલાકીનો સામનો કરવો પડ્યો છે.  પાણી સોસાયટીમાં ભરાઇ રહેતા લોકોને ભારે દુર્ગંધ પણ આવી રહી છે અને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે. તેમજ રોગચાળો ફેલાવાનો ડર છે. વરસાદી પાણી ભરાઈ રહેતા ગટરના પાણી બેક મારતા હોવાની પણ સમસ્યા છે. રહીશોના ઘરમાં પાણીભરાવવાથી ઘરવખરીને નુકસાન થયા છે. દર ચોમાસે સર્જાતી સ્થિતિ અંગે તંત્રને અનેક રજૂઆત છતા કોઈ ઉકેલ આવ્યો નથી.

છેલ્લા 24 કલાકમાં 131 તાલુકામાં ખાબક્યો વરસાદ

ગુજરાતભરમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં 131 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે. સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં નોંધાયો છે. જ્યારે દક્ષિણ ગુજરાતના ઉમરપાડામાં 5 ઈંચ વરસાદ ખાબક્યો છે. વાંસદા, કપરાડા, ખેરગામ અને પારડીમાં ચાર-ચાર ઈંચ વરસાદ વરસ્યો છે. તેમજ ભાવનગર, દેડિયાપાડા, તિલકવાડામાં સાડા ત્રણથી ચાર ઈંચ વરસાદ પડ્યો છે.

Follow Us:
ગુજરાતના વિવિધ જિલ્લામાં છૂટા છવાયા વરસાદની આગાહી
ગુજરાતના વિવિધ જિલ્લામાં છૂટા છવાયા વરસાદની આગાહી
આ 4 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભની સાથે વૃદ્ધિના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભની સાથે વૃદ્ધિના સંકેત
ડાંગમાં પણ ઈકો સેન્સિટીવ ઝોનનો થયો વિરોધ, મંગળ ગાવિતે દર્શાવી નારાજગી
ડાંગમાં પણ ઈકો સેન્સિટીવ ઝોનનો થયો વિરોધ, મંગળ ગાવિતે દર્શાવી નારાજગી
સુરતમાં વકર્યો રોગચાળો, શ્રમિક યુવકનું મેલેરિયાથી મોત !
સુરતમાં વકર્યો રોગચાળો, શ્રમિક યુવકનું મેલેરિયાથી મોત !
રાજકોટ મનપાન વધુ એક કાંડ, ગેરકાયદે બાંધકામ પર ખડકી દીધી આખેઆખી સ્કૂલ
રાજકોટ મનપાન વધુ એક કાંડ, ગેરકાયદે બાંધકામ પર ખડકી દીધી આખેઆખી સ્કૂલ
આ મંદિરમાં નવરાત્રીના નવ દિવસ પ્રગટાવવામાં આવે છે 1100 અખંડ દીવા
આ મંદિરમાં નવરાત્રીના નવ દિવસ પ્રગટાવવામાં આવે છે 1100 અખંડ દીવા
વડોદરાના પ્રસિદ્ધ યુનાઈટેડ વેના ગરબાના મેદાન પર કીચડનું સામ્રાજ્ય
વડોદરાના પ્રસિદ્ધ યુનાઈટેડ વેના ગરબાના મેદાન પર કીચડનું સામ્રાજ્ય
રિબડિયા બાદ દિલીપ સંઘાણીએ પણ ઈકો સેન્સિટીવ ઝોનનો કર્યો વિરોધ- Video
રિબડિયા બાદ દિલીપ સંઘાણીએ પણ ઈકો સેન્સિટીવ ઝોનનો કર્યો વિરોધ- Video
ઈકો સેન્સિટીવ ઝોન મામલે ભાજપના જ નેતાઓએ ઉચ્ચાર્યો વિરોધનો સૂર- Video
ઈકો સેન્સિટીવ ઝોન મામલે ભાજપના જ નેતાઓએ ઉચ્ચાર્યો વિરોધનો સૂર- Video
મચ્છરજન્ય રોગચાળો વકર્યો, 28 વર્ષીય મહિલાનું ડેન્ગ્યૂથી મોત
મચ્છરજન્ય રોગચાળો વકર્યો, 28 વર્ષીય મહિલાનું ડેન્ગ્યૂથી મોત
g clip-path="url(#clip0_868_265)">