અમદાવાદ : ગ્રામજનો રિસાયા…ન કર્યું મતદાન! આખા ગામમાં માત્ર એક જ મત પડ્યો, જુઓ વીડિયો
અમદાવાદ : ધંધુકા તાલુકાના રતનપર ગામે અઢી વાગ્યા સુધીમાં માત્ર એક મત પડ્યો છે. ગામના લોકોએ સામુહિક રીતે મતદાનનો બહિષ્કાર કર્યો છે.
આજે એટલે કે 12 રાજ્યોની 93 લોકસભા બેઠકો પર ત્રીજા તબક્કાનું મતદાન યોજાયુ હતુ. જેમાં 1331 ઉમેદવારોનું ભવિષ્ય EVMમાં કેદ થયું છે. ત્યારે ગુજરાતની વાત કરીએ તો, રાજ્યની 25 લોકસભા બેઠકો પર મતદાન યોજાયું હતું અને સાથે જ 5 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ હતી.
મતદાનનો કર્યો બહિષ્કાર
આ મતદાનની વચ્ચે ધંધુકા તાલુકાના રતનપર ગામમાં સામુહિક રીતે મતદાનનો બહિષ્કાર કર્યો હતો. 318 મતમાથી 8 કલાકમાં માત્ર એક મત પડ્યો હતો. ગ્રામજનોએ ગામની શાળા ફરી ચાલુ કરવાની માગ કરી છે. ગ્રામજનોને સમજાવવા મામલતદાર ગામે પહોંચ્યા હતા અને લોકોને મત આપવા સમજાવ્યું હતું. ગ્રામજનોના પ્રશ્ને ચૂંટણી બાદ જરૂરી સહકારનું આશ્વાસન આપ્યું હતું.
અન્ય સ્થળોએ પણ થયો છે બહિષ્કાર
ગ્રામજનોએ અડધો કલાકમાં ચર્ચા બેઠક કરી જવાબ આપવા જણાવ્યું હતું. ગામમાં રહેલી શાળા, બાજુના ગામમાં સ્થળાંતર કરવામાં આવી હતી. તેથી ગામમાં ફરી શાળા શરૂ કરવાની ગ્રામજનોએ માગ કરી છે.
પ્રાથમિક માહિતી પ્રમાણે ભરૂચના કેસર, સુરતના સણધરા તેમજ બનાસકાંઠાના ભાખરી ગામે ગ્રામજનોએ મતદાનનો સંપૂર્ણ બહિષ્કાર કર્યો હોવાની જાણકારી મળી છે. જ્યારે માંગરોળના ભાટગામ તથા બાલાસિનોરના બોડોલી અને પુંજરા ગામે આંશિક બહિષ્કારની જાણકારી મળી છે.