ભાજપના હર્ષદ રિબડિયા બાદ હવે દિલીપ સંઘાણીએ પણ ઈકો સેન્સિટીવ ઝોનનો કર્યો વિરોધ, ગણાવ્યો વિકાસ માટે અવરોધરૂપ- Video

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોન બનાવવાને લઈને ભાજપના નેતાઓનો જ વિરોધનો સૂર જોવા મળ્યો છે. પહેલા હર્ષદ રિબડિયાએ ખૂલીને સામે આવ્યા, હવે દિલીપ સંઘાણીએ પણ ઈકો સેન્સિટીવ ઝોનને વિકાસ માટે નડતરરૂપ ગણાવ્યો છે અને નોટિફિકેશન રદ કરવા માગ કરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 04, 2024 | 2:09 PM

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોન બનાવવાને લઈને હર્ષદ રિબડિયા બાદ હવે ભાજપના દિલીપ સંઘાણીએ પણ વિરોધનો સૂર છેડ્યો છે. સંઘાણીએ ઈકો સેન્સિટિવ ઝોનને વિકાસ માટે નડતરરૂપ ગણાવ્યો. અને નિટોફિકેશન રદ કરવાની માગ કરી છે. તેમણે જણાવ્યુ કે ઈકો સેન્સિટીવ ઝોન વિકાસ માટે અવરોધ ઉભો કરે છે અને તેના કારણે ખેડૂતોને મુશ્કેલી આવી શકે છે. સંઘાણીએ આ મામલે સરકારને ફેર વિચારણા કરવા પણ જણાવ્યુ છે. તેમણે કહ્યુ કે આ બાબતે લોકોની માગનેતેઓ સરકાર સુધી જરૂરથી પહોંચાડશે.

દિલીપ સંઘાણીએ જણાવ્યુ કે ગ્રામ્ય વિકાસને અને ખેડૂતોને મુશ્કેલીમાં મુકે તેવી હાલ પ્રાથમિક માન્યતાઓ લોકોની છે અને મને પણ લાગે છે કે તેમા કોઈ ઉતાવળ ન કરવી જોઈએ. સરકારે આ નોટિફિકેશન રદ કરીને નિર્ણય પરત લેવો જોઈએ.

આપને જણાવી દઈએ કે 25 સપ્ટેમ્બરે સરકારે એશિયાઈ સિંહોના રક્ષણ અને સંવર્ધન માટે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય કરતા નોટિફિકેશન જારી કર્યુ હતુ. જેમા ‘ગીર રક્ષિત વિસ્તાર’ની આજુબાજુના વિસ્તારને  ‘ઈકો સેન્સિટીવ ઝોન’ જાહેર કર્યુ છે. જે અંતર્ગત 1.84 લાખ હેક્ટર વિસ્તારને ઈકો સેન્સિટિવ ઝોન આવરી લેવાશે. રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મૂળુભાઈ બેરાએ જણાવ્યુ કે હાલના ગીર રક્ષિત વિસ્તારની હદથી 10 કિ.મી. વિસ્તારનો ઈકો સેન્સિટિવ ઝોનમાં સમાવેશ કરાયો છે. આ નવા ઝોનમાં જુનાગઢ, અમરેલી અને ગીર-સોમનાથ જિલ્લાના વિસ્તારનો સમાવેશ કરાશે.  ત્રણ જિલ્લાના કુલ 196 ગામ તેમજ 17 નદીઓનો ઝોનમાં સમાવેશ કરાશે. નવીન ઝોનમાં 24 હજાર હેક્ટરથી વધુ વન વિસ્તારનો સમાવેશ કરાયો છે.
1.59 લાખ હેક્ટર બિન જંગલ વિસ્તારનો પણ ઈકો સેન્સિટિવ ઝોનમાં સમાવેશ કરાશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
વડોદરાના પ્રસિદ્ધ યુનાઈટેડ વેના ગરબાના મેદાન પર કીચડનું સામ્રાજ્ય
વડોદરાના પ્રસિદ્ધ યુનાઈટેડ વેના ગરબાના મેદાન પર કીચડનું સામ્રાજ્ય
રિબડિયા બાદ હવે દિલીપ સંઘણીએ પણ ઈકો સેન્સિટીવ ઝોનનો કર્યો વિરોધ- Video
રિબડિયા બાદ હવે દિલીપ સંઘણીએ પણ ઈકો સેન્સિટીવ ઝોનનો કર્યો વિરોધ- Video
ઈકો સેન્સિટીવ ઝોન મામલે ભાજપના જ નેતાઓએ ઉચ્ચાર્યો વિરોધનો સૂર- Video
ઈકો સેન્સિટીવ ઝોન મામલે ભાજપના જ નેતાઓએ ઉચ્ચાર્યો વિરોધનો સૂર- Video
મચ્છરજન્ય રોગચાળો વકર્યો, 28 વર્ષીય મહિલાનું ડેન્ગ્યૂથી મોત
મચ્છરજન્ય રોગચાળો વકર્યો, 28 વર્ષીય મહિલાનું ડેન્ગ્યૂથી મોત
રાજકોટ જિલ્લામાં 2000 જેટલા ધાર્મિક દબાણો દૂર કરાશે
રાજકોટ જિલ્લામાં 2000 જેટલા ધાર્મિક દબાણો દૂર કરાશે
અમિત શાહ આજે વિવિધ વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
અમિત શાહ આજે વિવિધ વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
નવરાત્રીમાં વિઘ્ન બનશે મેઘરાજા ! આ વિસ્તારોમાં પડી શકે છે વરસાદ
નવરાત્રીમાં વિઘ્ન બનશે મેઘરાજા ! આ વિસ્તારોમાં પડી શકે છે વરસાદ
આ 5 રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે લાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે લાભના સંકેત
ખૂનનો બદલો ખૂન, અમદાવાદના બોડકદેવ અકસ્માત કેસમાં મોટો ખુલાસો
ખૂનનો બદલો ખૂન, અમદાવાદના બોડકદેવ અકસ્માત કેસમાં મોટો ખુલાસો
પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકરતા દર્દીઓથી ઉભરાઈ સુરતની નવી સિવિલ
પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકરતા દર્દીઓથી ઉભરાઈ સુરતની નવી સિવિલ
g clip-path="url(#clip0_868_265)">