Exclusive Interview: TV9 દ્વારા તાલીબાનનું એક્સક્લુઝીવ ઈન્ટરવ્યુ, સુહૈલ શાહીને ISIS-K વિશે આપ્યું આ નિવેદન
કાબુલ બ્લાસ્ટ બાદ તાલીબાનનું ટીવી 9 દ્વારા એક્સક્લુઝીવ ઈન્ટરવ્યુ લેવામાં આવ્યું છે. સુહૈલ શાહીન દ્વારા ISIS-K વિશે મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે.
કાબુલ એરપોર્ટ (Kabul Airport) પર વિસ્ફોટ બાદ ટીવી9 દ્વારા તાલીબાનોનું પ્રથમ ઈન્ટવ્યુ લેવામાં આવ્યું છે. જેમાં સુહૈલ શાહીન (Suhail Shaheen) દ્વારા તાલીબાન તરફથી ઘણા મહત્વના નિવેદનો આપવામાં આવ્યા છે. આ ઈન્ટરવ્યુ બાદ સરકાર તરફથી પણ ટીવી 9ની હિમ્મતની પ્રસંશા કરવામાં આવી છે.
આ ઈન્ટરવ્યુમાં સુહૈલ શાહીને તાલીબાનનું ભારત પ્રત્યેનું વલણ સ્પષ્ટ કર્યું છે. તેમણે કહ્યું કે કાશ્મીર મુદ્દે તાલીબાન સ્પષ્ટ છે. આ મુદ્દે તેઓ પાકિસ્તાનને સાથ નહીં આપે. આ સાથે જ ચીનના ઉઈગર મુસ્લીમ વિશે પણ નિવેદન આપતા કહ્યું કે આ ચીનનો પોતાનો મામલો છે. ઉઈગર મુસ્લીમોને પોતાનો હકો મળવા જ જોઈએ એમાં કોઈ બેમત નથી. પરંતુ તાલીબાન આ વિશે કોઈ દખલગીરી કરશે નહીં.
આ ઉપરાંત તાલીબાને આઈએસઆઈએસ-કે વિશે પણ નિવેદન આપ્યું છે. તે અફઘાનની બહારના તત્વો છે. તેમને જલ્દીથી જ કાબુ કરી લેવામાં આવશે. તેમજ અમેરિકાને હવે ડ્રોન હુમલાઓ માટે પરવાનગી આપવામાં નહીં આવે. તાલીબાન પોતાના દેશની સુરક્ષા માટે સજ્જ છે. તેમજ જરૂર પડ્યે હથિયારોનો ઉપયોગ પણ કરશે.
તાલીબાને મહિલા વિશે વાત કરતા કહ્યું કે મહિલાઓને ઘણી છૂટ-છાટો આપવામાં આવશે. ઘણી મહિલાઓ પોતાના કામ પર પાછી ફરી રહી છે. બાળકીઓને ભણવાની છૂટ આપવામાં આવશે. તેમજ શાળાઓ શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત, તાલીબાન ભારત સાથે પણ સારા સંબંધો ઈચ્છી રહ્યું છે.
આ પણ વાંચો : Bank Closed in Afghanistan: અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબ્જા બાદ બેન્ક બંધ રહેતા લોકોએ કર્યું વિરોધ પ્રદર્શન